________________
કળશ-૧૫૨
૪૯
કારણપરમાત્મા.... કારમપરમાત્મા તમે કહો છો. કારણપરમાત્મા એટલે ત્રિકાળી વસ્તુ. ઈ કારણજીવ કહો, કારણપરમાત્મા કહો, ધ્રુવ કહો. તો કારણપરમાત્મા તમે કહો, ત્રિકાળી ચીજ જે આ કીધી (ઈ), શાશ્વત વસ્તુ ! ધ્રુવ આત્મા એ કારણપરમાત્મા છે). તો કારણપરમાત્મા છે તો) એનું કાર્ય તો આવવું જોઈએ. એમ પ્રશ્ન કર્યો હતો).
ભગવાન પૂર્ણાનંદનો નાથ ! ચિલોક, આનંદલોક, અનંત શક્તિનો સાગર ! એને ધર્માત્માએ કારણપરમાત્મા કહ્યો છે. કાર્યપરમાત્મા – સર્વજ્ઞ પરમેશ્વર થાય તે કાર્યપરમાત્મા (છે). પર્યાયમાં પર્યાયનું કાર્ય પૂરું થયું). પર્યાયનું પૂરું કાર્ય થાય તેને કાર્યપરમાત્મા કહે છે) અને દ્રવ્યપણે જે વસ્તુ છે તે કારણપરમાત્મા છે). એ કારણ છે તો એનું કાર્ય તો આવવું જોઈએ એમ એમણે કહ્યું. કાર્ય તો આવતું નથી, કારણપરમાત્મા તો અનાદિનો છે. કીધું કે, પણ એણે માન્યું છે ? માને એને કારણપરમાત્મા કે ન માને એને ? એ અહીં કહે છે ને ? વ્યક્ત છે પણ કોને ? આહા..હા..! ઈ કહે છે, જુઓ ! ઈ કારણપ્રભુ છે. ત્રિકાળી આનંદનો નાથ કારણ છે પણ જે સ્વીકારે તેને કારણપણે (છે). છે” એની હયાતીની કબુલાત ન આવે એને “છે' ક્યાં આવ્યું ? સમજાણું કાંઈ ? આહા...હા..!
એમ અહીં કહે છે કે, ભગવાન પૂર્ણાનંદનો નાથ ચૈતન્યસ્વરૂપ ! સકળ વ્યક્ત છે. કોને ? વસ્તુ તો વસ્તુ છે. સકળ પ્રગટ (છે) પણ એ છે” (એવું) જેને ભાન થયું તેને (છે). છે? ‘કોને પ્રગટ છે? “વિવિવરાત્મન ભિન્ન છે આત્મસ્વરૂપ જેને એવો છે ભેદજ્ઞાની પુરુષ, તેને.” આહાહા...! આ વાર્તા નથી, બાપા ! આ કાંઈ કથા નથી. આ તો વીતરાગ ત્રિલોકનાથની આત્મકથા છે ! ભગવતકથા છે. આહા! કહ્યું? કે, જેણે ભિન્ન આત્મસ્વરૂપ જાણ્યું છે, રાગથી ભિન્ન એવો ભગવાન અંદર પૂર્ણાનંદનો નાથ પ્રભુ છે એવું જેણે જાણ્યું એને વ્યક્ત છે. નથી જાણ્યું એને “છે” એમ ક્યાં છે ? એને તો રાગ છે ને પુણ્ય છે ને ધૂળ છે... આહાહા..! ભગવાન તો અંદર કયાંય સંતાય ગયો ! આ.હા..હા....! આવી વાતું છે. આહા...હા...!
“વિવિવેત્તાત્મિન: ભિન્ન પડેલા આત્મસ્વરૂપને – ભેદજ્ઞાની પુરુષને પ્રગટ છે. આહાહા..! જેને રાગથી ભિન્ન પડી અને આત્મા પૂર્ણાનંદ પૂર્ણ ચૈતન્યલોક જેની દૃષ્ટિમાં, જ્ઞાનમાં, અનુભવમાં આવ્યો અને તે પ્રગટ છે. આહા...હા...! આવી બધી વાતું એક કલાકમાં..! વાડામાં જેટલી સાંભળી હોય એથી આ બીજી જાત છે). ભાઈ ! તને વસ્તુની ખબર નથી).
વીતરાગ પરમેશ્વર થયા છે એમ કહે છે કે, વીતરાગ પરમેશ્વરસ્વરૂપે જ તું છો ! આહા..હા..! એમાંથી વીતરાગ સર્વજ્ઞપણે પ્રગટ થશે. વીતરાગ સર્વજ્ઞપણું કંઈ બહારથી આવે છે ? આ.હા...હા...!
એ ૧૫૫ (શ્લોક પૂરો) થયો. ૧૫૬ (શ્લોક). આ શેનો અધિકાર ચાલે છે ? ધર્મીને ભય હોતો નથી. ધર્મી કે જેને આત્મા રાગથી, પુણ્યના પરિણામની ક્રિયાથી ભિન્ન,પૂર્ણાનંદનો