________________
૪૬
કિલશામૃત ભાગ-૫ એ વ્યવહારના વિકલ્પરૂપ (થયો જ નથી). એ જ્ઞાનમાત્ર તે જ્ઞાનમાત્ર જ રહ્યો છે એમ કહે છે. સમજાણું કાંઈ ? એ તારા દયા, દાન ને વ્રત, ભક્તિના પરિણામ (થાય છે) ઈ તો રાગ છે. ઈ રાગરૂપે અંદર ભગવાન કોઈ દિ થયો જ નથી. આ..હા...હા...! કહો, ભાઈ ! આવી વાતું છે ! “દિલ્હી', “કલકત્તા’, ‘મુંબઈ” ને મોટા મોટા નગર ! મોટી મોટરું શું ... કરતી નીકળે.
મુમુક્ષુ :- આપની મોટર કેમ ચાલે છે ! ઉત્તર :- મોટર તો આ છે ! આહા.હા..!
આહાહા..! શાંતિથી, ધીરજથી કહે છે, જો તો ખરો ! ધીરો થઈને નજરમાં આખો ચિદૂલોક છે તેને જો તો ખરો ! આ..હાહા..! આ અલ્પજ્ઞાપણું), રાગ અને એના ફળને તું જોયા કરે છે પણ) એમાં કાંઈ તું નથી. આહા..હા..! આ ભગવાન પૂર્ણાનંદ અને પૂર્ણ જ્ઞાનથી ભરેલી ચીજ છે એવી જ રહી છે. ગમે તેટલા એણે અવતાર કર્યા, નરકના અનંત અવતાર કર્યા. આહાહા...! એ નિગોદ – લસણ અને ડુંગળીમાં અનંતા જીવો (રહ્યા છે) એમાં તું અનંતવાર રહ્યો, પ્રભુ ! ભાઈ ! તને ખબર નથી. આહા..હા...! છતાં તે જ્ઞાનમાત્ર તે જ્ઞાનમાત્ર જ રહ્યો છે એમ કહે છે. આહા..હા...! એ આનંદનો સાગર તો આનંદના સાગરરૂપે જ રહ્યો છે. આ...હા...હા..! એ કોઈ એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રણઇન્દ્રિય, ચતુરઇન્દ્રિયની) દશાપણે એ વસ્તુ થઈ જ નથી. વસ્તુ થઈ નથી ! આહા...હા...! આ...હા...હા...!
બે (વખત) કહેવાનો આશય ઈ છે. “જ્ઞાનમાત્ર તે તો જ્ઞાનમાત્ર જ છે.” આહા...હા...! ભગવાન તારી વાત તેં સાંભળી નથી. આહા..હા..! ભગવત્ સ્વરૂપ તારું છે ! બધા આત્માઓ અંદર ભગવસ્વરૂપ છે. અરે..! એને ક્યાં બેસે ? બીડી ન મળે તો ઘડીકમાં ભાઈના મગજ ફરી જાય ! આજે બીડી સરખી મળી નથી. આહાહા! બે બીડી.. શું કહેવાય તમારે ? સિગારેટ ! એ પીવે ત્યારે તો પાયખાને સરખું દસ્ત ઊતરે ! આટલા તો જેના અપલખણ ! હવે એને કહેવું તું ભગવત્સ્વ રૂપ) છો !! એનું માપ તું કાઢી નાખ. એને માપ કરવાનું તો અંદરમાં છે. આહા...હા..!
ભગવાન ત્રિલોકનાથ જિનેન્દ્રદેવ સર્વજ્ઞદેવનો પોકાર છે ! જગત પાસે જાહેર કરે) છે. આ સંતો આડતિયા થઈને સર્વજ્ઞનો માલ આપે છે. આહા...! બાપુ ! તું કોણ છો? અંદર ભગવાન (છો) ! આહાહા...! તારામાં તો અતીન્દ્રિય આનંદનો માલ લબાલબ ભર્યો છે ! સર્વજ્ઞપણું તારામાં પડ્યું છે), પ્રભુ ! તને ખબર નથી. અંદર સર્વશપણું પડ્યું છે. આહા..હા..! એને “નોwયતિ’ – દેખે. છે ને ?
“જ્ઞાનમાત્ર તે તો જ્ઞાનમાત્ર જ છે. કેવો છે ચૈતન્યલોક ?” ઈ શું કહે છે ? કે, આવો રહ્યો છે માટે જાણી શકીશ. આવો છે માટે જાણી શકીશ. ઈ નિજાત્મા) એમને એમ રહ્યો છે. ઈ ગમે તે ચીજમાં ગયો પણ પોતાના સ્વરૂપમાં ફેરફાર થયો નથી. માટે તું તેને જાણી