________________
કળશ-૧૫૫
૪૫
વિદ્લો સ્વયં વ’ (અર્થાત્) એ જ્ઞાનલોક. જ્ઞાનસ્વરૂપનો સાગર ભગવાન ! એને પોતે જ, નોવૃત્તિ (અર્થાત્) જાણે. આ..હા..હા...! જ્ઞાનની વર્તમાન પર્યાય દ્વારા સ્વયં ચિદાનંદ ભગવાનને જ્ઞાનપર્યાય જાણે. કઈ જાતની વાતું આવી ! બાપુ ! મારગડા એવા છે. એ ધર્મનો માર્ગ તો કોઈ અલૌકિક છે, ભાઈ ! આહા..હા..! એ ધર્મનું સ્વરૂપ વીતરાગે, ૫રમેશ્વરે, જિનેન્દ્રે કહ્યું એ આવું સ્વરૂપ છે.
મુમુક્ષુ :- આ વાત ક્યાંય નથી.
ઉત્તર :– બહારમાં તો બધી ધમાલ (ચાલે છે). અહીં (તો) બધી ખબર છે ને ! હો..હા... હો..હા...! સામાયિક કરી ને પોષા કર્યા ને અપવાસ કર્યાં ને ઉપધાન કર્યાં ને આ બધી (ધમાલ છે). આહા..હા...!
ભગવાન ! અહીં શબ્દ તો એવો પડ્યો છે (કે), ચિત્નો સ્વયં વ ભોતિ આ..હા..હા...! ભગવાન જ્ઞાનસ્વરૂપ પ્રભુ ! આ ભગવાનઆત્મા, હોં ! ભગવાન થઈ ગયા ઈ તો થઈ ગયા, ઈ એનામાં. આહા..હા...! બહુ ટૂંકી ભાષા અને ઘણો માલ ભરેલો છે !! ચિત્તોત્ર સ્વયં વ ોતિ” જ્ઞાનસ્વરૂપ, જ્ઞાનરૂપ... જ્ઞાનરૂપ. આત્મા જ્ઞાનરૂપ પ્રભુ છે). જેમ સાકરનું ગળપણ રૂપ છે) એમ આત્માનું જ્ઞાન રૂપ (છે). એ સ્વયમેવ – પોતે જ પોતાને દેખે છે. આ..હા..હા...! એને આત્માનો સ્વયં લોક – ચિલોક કહેવામાં આવે છે. આત્માને શરીર ને વાણી ને આ મનુષ્ય ને દેવ ગતિ (આદિ) એ લોક એનો નથી. આહા..હા...! છે ?
ભાવાર્થ આમ છે કે—જે જીવનું સ્વરૂપ જ્ઞાનમાત્ર તે તો જ્ઞાનમાત્ર જ છે.’ એ દયા, દાન, વ્રત આદિના વિકલ્પો રાગ એ કંઈ આત્માનું સ્વરૂપ નથી. આહા..હા...! હવે આવું જાણવું... પણ નવરાશ ક્યાં ? બાયડી, છોકરા... બાયડીના તો હાથ ઝાલ્યા હોય, એને નભાવવા, એને છોકરા થાય (એને સાચવવા) એ કરવું કે અમારે આ કરવું ? હોળી કરે છે અનાદિથી, સાંભળને હવે ! એ તો કષાયની અગ્નિથી બળી ગયો છો. આ..હા..હા...!
—
આ વસ્તુ તો ભગવાન પરમાત્મા ત્રિલોકનાથે અંદર શાંત... શાંત... અકષાય જ્ઞાન... અકષાય જ્ઞાન, અકષાય આનંદ, અકષાય સ્વચ્છતા, અકષાય પ્રભુતા... આ..હા..હા...! એને જે લોકે – દેખે – જાણે એ જ્ઞાનમાત્ર જ વસ્તુ છે. આહા..હા...! એમાં પુણ્ય-પાપના ભાવ, દયા, દાન, વ્રત આદિના વિકલ્પ એનામાં છે જ નહિ, એ તો વિકાર છે. આહા..હા...! આવી વાત છે. જાણે આ તે કાંઈ નવો ધર્મ કાઢ્યો હશે ? એવું લાગે. ભગવાન માર્ગ તો આ છે, બાપુ ! તને ખબર નથી). અત્યારે તો બધી ગડબડ થઈ ગઈ. ધર્મને નામે કંઈકનું કંઈક વેતરાઈ ગયું છે. આહા..હા...!
ભગવાન અંદર કહે છે, જ્ઞાનમાત્ર તે તો જ્ઞાનમાત્ર જ છે.’ એમ. અમે કહીએ છીએ કે, એ ચિદ્લોક છે પણ એ જ્ઞાનમાત્ર તે જ્ઞાનમાત્ર જ છે. એ કોઈ દિ' રાગરૂપ થયો નથી.