________________
૨૫. કરણપ્રધાન : યથોચિત કાળક્રમે થતી ક્રિયાના ૭૦ ગુણોથી યુક્ત છે.
૨૬. ચરણપ્રધાન : નિરંતર પાલન કરી શકનાર ચિરત્રના ૭૦ ગુણોથી યુક્ત અર્થાત્ ચરણસત્તરીના ધારક.
૨૭. નિગ્રહપ્રધાન અનાચીર્ણોનો નિષેધ કરવામાં પ્રધાન અર્થાત્ અસ્ખલિત આજ્ઞાના પ્રવર્તક. ૨૮. નિશ્ચયપ્રધાન ઃ ઇન્દ્ર યા રાજા પણ જેમને ક્ષોભ ન પહોંચાડી શકે અને જે દ્રવ્ય, નય, પ્રમાણ વગેરેના સૂક્ષ્મ જ્ઞાનધારક હોય.
: રોહિણી, પ્રજ્ઞપ્તિ વગેરે વિદ્યાઓના ધારક.
★
: વિષાપહરણ, વ્યાધિનિવારણ અને વ્યંતરોપસર્ગનાશક વગેરે મંત્રોના જ્ઞાતા. : ઋગ્વેદ, યજુર્વેદ વગેરે વેદોના જ્ઞાતા (જાણકાર).
: બ્રહ્મચર્યમાં સુદૃઢ રહેનાર તથા ને ઘાં નાળફ સે સર્વાં નાળ'' વગેરે આગમ અનુસાર આત્મા-પરમાત્માનાં રહસ્યોને સારી રીતે સમજનાર. : નૈગમ વગેરે સાતેય નયો યથાતથ્ય સ્વરૂપને જાણનાર.
33. નયપ્રધાન
૩૪. નિયમપ્રધાન : અભિગ્રહ વગેરે નિયમોના ધારક અને પ્રાયશ્ચિત્ત વિધિના જ્ઞાતા. ૩૫. સત્યપ્રધાન : અટલ (દઢ) વચનોનું ઉચ્ચારણ કરનાર.
૩૬. શૌચપ્રધાન
: દ્રવ્ય-સ્વરૂપ લોકમાં અપવાદ કરનાર, મલિન વસ્ત્ર વગેરે ધારણ ન
૨૯. વિધાપ્રધાન
૩૦. મંત્રપ્રધાન
૩૧. વેદપ્રધાન
૩૨. બ્રહ્મપ્રધાન
કરનાર અને ભાવતઃ પાપરૂપ મેલથી મિલન ન થનાર.
આ ૩૬ ગુણોમાંથી પહેલાંથી લઈને દસમા સુધી દસ ગુણોનું હોવું આવશ્યક છે. આગળના (૧૧-૧૪ સુધી) ગુણ સ્વાભાવિક હોય છે.
આચાર્યની ૮ સંપત્તિ :
જેમ ગૃહસ્થ ધન, કુટુંબ વગેરેની સંપત્તિથી શોભે છે એમ આચાર્ય પણ ૮ સંપત્તિથી શોભે છે. પ્રત્યેક સંપત્તિના ચાર-ચાર પ્રકાર છે. કુલ મળીને ૩૨ ભેદ થાય છે. વિનયના ૪ ગુણ એમાં મેળવવાથી ૩૬ ગુણ થઈ જાય છે. ૮ સંપત્તિઓનું સ્વરૂપ આ પ્રકાર છે.
૧. જે જ્ઞાન વગેરે પૂર્વોક્ત પાંચ આચાર કરવા યોગ્ય છે. એમનું આચરણ કરવું આચાર સંપત્તિ છે. એના ચાર પ્રકાર છે :
(૧) પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ તેર પ્રકારના ચારિત્ર્ય ગુણોમાં ધ્રુવનિશ્ચલ સ્થિર હમેશાં અડોલ વૃત્તિ રાખવી ચરણ ગુણ* ધ્રુવયોગ યુક્તતા છે. (૨) જાતિમદ વગેરે આઠેય મદોનો ત્યાગ કરી હંમેશાં નિરાભિમાની-નમ્ર રહેવું માર્દવગુણ સંપન્નતા છે.
* આચાર્ય વિદ્યાઓ અને મંત્રોના જ્ઞાતા હોય છે, પરંતુ એમનો વિશેષ પરિસ્થિતિઓ સિવાય પ્રયોગ નથી કરતા.
આચાર્ય
૩૯