________________
જ નહિ એક રૂપને કહેનારા અનેક પર્યાયવાચી શબ્દ હોય છે. જેમ કે અણુ, પરમાણુ, નિરંશ, નિર્ભેદ, નિરવયવ, નિષ્પદેશ, અપ્રદેશ વગેરે અનેક શબ્દો દ્વારા અણુનું કથન હોય છે. લયણુકના પણ અનેક પર્યાયવાચી નામ છે. યથા યણુક, ટ્રિપ્રદેશિક, દ્વિભેદ, દ્વિઅવયવ વગેરે. એમ જ સર્વદ્રવ્ય અને સર્વપર્યાયોમાં સમજી લેવું જોઈએ. આશય એ છે કે અભિધેયની અનંતતાના કારણે અભિધાન પણ અનંત જ સિદ્ધ થાય છે. તેથી આગમમાં કહ્યું છે - મviતા મા, મviતા પંઝવા”
- નંદીસૂત્ર ઘટ' વગેરે શબ્દમાં રહેલા અકારાદિ વર્ણ જે રૂપમાં એમાં સંયુક્ત છે એ જ રૂપમાં પટ શબ્દમાં નથી. જો એવું હોય તો ઘટ-પટ એક થઈ જશે, જેમ ઘટ અને એનું સ્વરૂપ. બધા અક્ષર ભિન્ન-ભિન્ન સંયોગોમાં ભિન્ન વિષયના વાચક હોય છે, માટે વિષયોની અભિધેયની અનંતતાના કારણે અભિધાન પણ અનંત હોય છે. તેથી આગમમાં અનંતગમ અને અનંત પર્યાયનું કથન કરવામાં આવ્યું છે. આ અપેક્ષાથી શ્રુતજ્ઞાનના અનંત ભેદ પ્રાપ્ત થાય છે.
જે પણ શ્રુતજ્ઞાનના અંશ અંગ પ્રવિષ્ટ વગેરે ભેદ તથા બાહ્ય-આત્યંતર વગેરે હેતુ કહેવાય છે, એ બધા અનંત છે. શ્રુતજ્ઞાનનો બાહ્ય-હેતુ પત્રલિખિત અક્ષર વગેરે છે અને આંતરિક હેતુ ક્ષયોપશમની વિચિત્રતા છે. એકેન્દ્રિયથી લઈને ચવદહ પૂર્વધારી જીવોમાં જે તરતમતા છે એ પણ અનંત છે, માટે શ્રુતજ્ઞાનના અનંત ભેદોનું પરિપૂર્ણ કથન સંભવ જ નથી, કારણ કે આયુષ્ય પરિમિત છે અને વચન ક્રમવર્તી છે, તેથી એમનું પરિપૂર્ણ કથન નથી થઈ શકતું. ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાની અર્થાત્ ચતુર્દશ પૂર્વધારી સુધી શ્રુતજ્ઞાનના અનંત અભિધેયોને જાણવા છતાં પણ એમને સંપૂર્ણ રૂપથી કહી શકાતું નથી. ચતુર્દશ પૂર્વધારી પણ નિરંતર બોલવા છતાં શ્રુતજ્ઞાનના વિષયોને સંપૂર્ણ રીતે કહેવામાં સમર્થ નથી. નિરંતર બોલતાંબોલતાં આયુની સમાપ્તિ થઈ શકે છે, પરંતુ શ્રુતના અભિધેય વિષયની સમાપ્તિ નથી થઈ શકતી. શબ્દ ક્રમશઃ જ નીકળે છે, માટે તે એકસાથે પોતાના અભિધેયને નથી કહી શકતા. એવી સ્થિતિમાં આ સંભવ જ નથી કે કૃતના વિષયનું પરિપૂર્ણ કથન થઈ જાય. માટે ભાષ્યકારે કહ્યું છે - "
उक्कोस सुयन्नाणी वि जाणमाणो वि तेऽभिलप्पे वि । न तरइ सव्वे वोत्तुं, न पहुप्पइ जेण कालो से ॥
- વિશેષા. ભાષ્ય, ગા.-૪૫ર જ્યારે ચતુર્દશ પૂર્વધારી પણ શ્રુતજ્ઞાનના અનંત અભિધેયોને કહેવામાં સમર્થ નથી, તો આપણી વાત જ શું?
શ્રુતજ્ઞાનના અનંત ભેદ હોવા છતાંય પરમોપકારી શાસ્ત્રકારોએ એમનું વર્ગીકરણ કરીને સામાન્ય જિજ્ઞાસુઓની જ્ઞાનવૃદ્ધિ-હેતુ વિવિધ અપેક્ષાઓથી વિવિધ ભેદ કર્યા છે. ( શ્રુતજ્ઞાનના ભેદ
આ કે ૧૯૦)