________________
શંકા : આ વ્યાખ્યા અનુસાર તો પાંચેય પ્રકારનું જ્ઞાન અક્ષર સિદ્ધ હોય છે, કારણ કે બધાં જ્ઞાન પોતાના સ્વરૂપથી અવિચળ રહે છે. જેમ કે સૂત્રમાં સામાન્ય રૂપથી આ કથન છે કે “સબગીવાdi fu vi મઘર મviતમાનો નિગ્રુધાદિયમત્તિ' બધા જીવોના અક્ષરનો અનંતમો ભાગ નિત્ય ઉદ્દઘાટિત રહે છે. અહીં “અક્ષર' શબ્દથી સામાન્ય જ્ઞાનનો જ અભિપ્રાય છે, શ્રુતજ્ઞાનનો નથી. પછી શ્રુતજ્ઞાનમાં એવી શું વિશેષતા છે જે એના જ અક્ષરદ્યુત- અનક્ષશ્રુત એ ભેદ કરવામાં આવ્યા છે ?
સમાધાન : જો કે બધાં જ્ઞાન નૈગમાદિનયની અપેક્ષા અક્ષરરૂપ છે. છતાં રૂઢિવશ અક્ષરનો અર્થ “વર્ણ'થી લેવામાં આવે છે. જેમ કે – “છતાંતિ , પંઘે નાતં પંજન' વગેરે અવિશિષ્ટ અર્થના પ્રતિપાદક શબ્દ રૂઢિથી “ગાય” અને “કમળ'માં જ રૂઢ છે. આ રીતે અક્ષર શબ્દ “વર્ણ'ના અર્થમાં જ રૂઢ છે. વર્ણ શ્રુતરૂપ છે, માટે એના જ અક્ષર-શ્રુત, અનક્ષર-શ્રુત - એવા ભેદ કરવામાં આવ્યા છે.
અક્ષરના ભેદ : અક્ષરના ત્રણ ભેદ કરવામાં આવ્યા છે - (૧) સંજ્ઞાક્ષર, (૨) વ્યંજનાક્ષર, અને (૩) લધ્યક્ષર.
(૧) સંજ્ઞાક્ષર : અક્ષરોની બનાવટ, સંસ્થાન કે આકૃતિને સંજ્ઞાક્ષર કહે છે. વિશ્વની વિભિન્ન લિપિઓના અક્ષરો આના ઉદાહરણ છે. “નંદીસૂત્રમાં કહ્યું છે - “સન્નર ૩રક્ષ સંડાાિ અક્ષરોથી આકૃતિ-લિપિ સંજ્ઞાક્ષર કહેવાય છે. ગ્રંથોમાં અઢાર પ્રકારની લિપિઓનાં નામ ઉપલબ્ધ થાય છે. જેમ કે -
हंसलिवी भूयलिवी, जक्खी तह रक्खसी य बोद्धवा । ૩ળી, નવનિ, તુરી શીરો, વિકી ય થિવિયા છે. भालविणी नडी, नागरी लाडलिवी, पारसी य बोधव्वा ।
तह अनिमित्ती य लिवी चाणक्की भूलदेवी य ॥ (૧) હંસલિપિ (૨) ભૂતલિપિ (૩) યાક્ષીલિપિ (૪) રાક્ષસીલિપિ (૫) ઉફીલિપિ (૬) યવનીલિપિ (૭) તુર્તલિપિ (૮) કીરીલિપિ (૯) દ્રાવિડીલિપિ (૧૦) સિંધીલિપિ (૧૧) માલવિનીલિપિ (૧૨) નટીલિપિ (૧૩) નાગરી લિપિ (૧૪) લાટલિપિ (૧૫) પારસીલિપિ (૧૬) અનિમિત્તલિપિ (૧૭) ચાણાકીલિપિ (૧૮) મૂલદેવીલિપિ.
આ અઢાર લિપિઓ એ કાળમાં પ્રચલિત હતી. લિપિબદ્ધ અક્ષરોને સંજ્ઞાક્ષર કહે છે.
વ્યંજનાક્ષર : ભાષ્યમાણ - બોલવામાં આવતો શબ્દ વ્યંજનાર છે. જેમ પ્રદીપ દ્વારા ઘટ વ્યક્ત કરવામાં આવે છે, એમ જ જે શબ્દ દ્વારા અર્થ વ્યક્ત થાય છે, એ વ્યંજનાક્ષર છે. ઉચ્ચાર્યમાણ અક્ષર સમૂહને વ્યંજનાક્ષર કહેવાય છે. વ્યંજનાક્ષરનો ઉપયોગ કેવળ (માત્ર) ઉચ્ચારણમાં જ થાય છે. “નંદીસૂત્રમાં કહ્યું છે -
“વંગ માં મમ્રવર વંન TIfમત્નાવો' - નંદીસૂત્ર-૩૯
[ શ્રુતજ્ઞાનના ભેદ
OTO TOOOOOOOOOO (૧૯૯]