________________
તરસ એટલી લાગે કે ભલે જેટલું પાણી પીએ તો પણ તૃપ્તિ નથી. ગ્રંથોમાં દસ પ્રકારની ક્ષેત્રકૃત વેદનાઓનું વર્ણન કર્યું છે, જેનો સાર આ પ્રકારે છે : - (૧) અનંત ક્ષધા : જગતમાં જેટલા પણ ખાદ્ય પદાર્થ છે, તે બધા એક નૈરયિક જીવને આપવામાં આવે તો પણ તેની સુધા સંબંધી વેદનાથી નારકી જીવ વ્યાકુળ રહે છે.
(૨) અનંત તૃષા : સંસારમાં બધા સમુદ્રોનું જળ એક નૈરયિકને પિવડાવવામાં આવે તો પણ તેની તૃષા શાંત થતી નથી. આટલી તીવ્ર તરસથી નારકી જીવ પીડિત રહે છે.
(૩) અનંત શીતઃ એક લાખ મણના લોખંડનો ગોળા શીતયોનિવાળા બારીક-બારીક ટુકડા નરકમાં છોડવામાં આવે તો તત્કાળ શીતના પ્રભાવથી તે છાર-છાર થઈને વિખેરી જાય છે, એટલી ભયંકર ઠંડક ત્યાં હોય છે. અસત્ કલ્પના અનુસાર જો કોઈ ત્યાંનાં નારકીને ઉઠાવીને હિમાલયના બરફમાં સુવડાવે, તો તેને ત્યાં ખૂબ જ આરામનું સ્થાન સમજશે. આવી ઘોર કડકડતી ઠંડી ત્યાં બની રહે છે.
(૪) અનંત તાપ ઃ નરકના ઉષ્ણયોનિક સ્થાનમાં એક લાખ મણના લોખંડના ગોળા છોડવામાં આવે, તો તત્કાળ ગળીને તે પાણી-પાણી થઈ જાય. અસત્ કલ્પનાથી જો કોઈ એ સ્થાનના નારકને ઉઠાવીને કોઈ બળતી ભઠ્ઠીમાં નાંખી દે તો તે ખૂબ જ આરામ સમજશે અને ઊંઘ આવી જશે. આવી ભયાનક ગરમી ત્યાં સદૈવ બની રહે છે.
(૫) અનંત મહાજવર : નારક જીવના શરીરમાં સદેવ મહાક્તર બની રહે છે. તેના કારણે તેના શરીરમાં ખૂબ જ બળતરા થાય છે.
(૬) અનંત ખંજવાળ : નારક જીવના શરીરમાં સદૈવ ખંજવાળ આવે છે. તેઓ પોતાનું શરીર ખંજવાળતા રહે છે.
(૭) અનંત રોગ : જળોદય, ભગંદર, શ્વાસ, કુષ્ઠ, શૂળ વગેરે મહારોગોથી તથા ૫,૬૮,૯૯,૫૮૫ પ્રકારના નાના રોગોથી નારકી જીવ પીડિત રહે છે.
(૮) અનંત અનાશ્રય : નારક જીવ આટલી ભયાનક વેદનાઓ ભોગવતા હોવા છતાં પણ શરણહીન છે, નિરાધાર છે. કોઈ આશ્રય આપનાર, આશ્વાસન આપનાર, સાંત્વનાના બે શબ્દ કહેનાર કોઈ મળતું નથી.
(૯) અનંત શોક ? નારક જીવ સદા ચિંતા-શોકમાં ડૂખ્યા રહે છે.
(૧૦) અનંત ભય : નરકભૂમિ એટલી અંધકારમય છે કે કરોડો સૂર્ય મળીને પણ ત્યાં પ્રકાશ કરી શકતા નથી. નારકીઓના શરીર પણ મહાભયાનક કાળા હોય છે. ચારે બાજુ માર-મારનો કોલાહલ મચેલો રહે છે. તેથી નારક જીવ સદા ભયભીત બની રહે છે.
ઉક્ત દસ પ્રકારની વેદનાઓના કારણે નારક જીવ સદૈવ દુઃખી અને પીડિત રહે છે. પળવાર માટે પણ તેમને શાંતિ મળતી નથી. (૩૪૦)
છે જે
આ જિણધમો