Book Title: Jina Dhammo Part 01
Author(s): Nanesh Acharya
Publisher: Akhil Bharatvarshiya Sadhumargi Jain Sangh

View full book text
Previous | Next

Page 502
________________ (૨) કષાય આસ્રવ : ક્રોધ, માન, માયા અને લોભ - એ ચાર કષાય છે, જેમના દ્વારા જીવ કર્મોનો આસ્રવ કરે છે. આ ચાર કષાયોનું વિસ્તૃત વર્ણન મોહનીય કર્મના વર્ણનના અંતર્ગત કરવામાં આવશે. (૩) અવ્રત-આસ્રવ ઃ ૧. પ્રાણાતિપાત, ૨. મૃષાવાદ, ૩. અદત્તાદાન, ૪. મૈથુન, ૫. પરિગ્રહ - એ પાંચ અવ્રત છે. એમના નિમિત્તથી થનારો કર્મબંધ અવ્રત આસ્રવ છે. (૪) ૨૫ ક્રિયા અને એનાથી થનારો આસ્રવ : જેનાથી કર્મનો આસ્રવ થાય છે, એવી પ્રવૃત્તિને ક્રિયા કહે છે. શાસ્ત્રકારોએ મુમુક્ષુઓની સુવિધા હેતુ એવી મુખ્ય-મુખ્ય ક્રિયાઓનો નિર્દેશ કર્યો છે. મુખ્ય રૂપથી પચીસ ક્રિયાઓ વિશેષ પ્રસિદ્ધ છે. ‘સ્થાનાંગ સૂત્ર’ના દ્વિતીય સ્થાન અનુસાર ક્રિયાઓનું આ પ્રકારે સમજવું જોઈએ - दो किरियाओ पन्नताओ, तंजहा जीव किरिया चेव अजीव किरिया चेव ॥ १ ॥ जीव किरिया दुविहा पन्नता, तं जहा सम्मत्त किरिया चेव, मिच्छत किरिया चेव, ॥२॥ अजीव किरिया दुविहा पन्नता - तं जहा - इरिया वहिया चेव, સંપાડ્યા ચેવ રૂા અર્થાત્ ઃ ક્રિયાઓ બે પ્રકારની કહેવામાં આવી છે જીવ ક્રિયા અને અજીવ ક્રિયા. 'जीवस्य क्रिया - व्यापारो जीव - क्रिया तथा अजीवस्य - पुद्गल समुदायस्य यत्कर्मतया રામન મા અનીવ યિા।’ અહીં ‘ક્રિયા’ શબ્દનો અર્થ વ્યાપાર છે. અર્થાત્ જીવના દ્વારા જે કરવામાં આવે છે તે જીવ ક્રિયા છે. કર્મ રૂપથી પરિણત અજીવ-પુદ્ગલ દ્વારા જે કરવામાં આવે તે અજીવ ક્રિયા છે. જીવ ક્રિયાના બે ભેદ છે - સમ્યક્ત્વ ક્રિયા અને મિથ્યાત્વ ક્રિયા. તત્ત્વ શ્રદ્ધાન રૂપ સમ્યક્ત્વ જીવ વ્યાપાર હોવાથી જીવ ક્રિયા છે. આ જ રીતે અતત્ત્વ શ્રદ્ધાન રૂપ મિથ્યાત્વ પણ જીવ વ્યાપાર હોવાથી જીવ ક્રિયા છે. અથવા સમ્યગ્દર્શનના હોવાથી જે ક્રિયાઓ થાય છે તે સમ્યક્ત્વ ક્રિયા છે અને મિથ્યાદર્શનના હોવાથી જે ક્રિયાઓ થાય છે તે મિથ્યાત્વ ક્રિયા છે. અજીવ ક્રિયાના બે ભેદ છે - ઇર્યાપથિક ક્રિયા અને સાંપરાયિક ક્રિયા. માત્ર યોગના નિમિત્તથી ઉપશાંત મોહ વગેરે અગિયારમાથી લઈને તેરમા ગુણસ્થાનવર્તી જીવોના અજીવ પુદ્ગલ રાશિ કર્મના સાતાવેદનીયના રૂપમાં પરિણત હોવું ઈર્ષાપથિક ક્રિયા છે. અહીં જીવ-વ્યાપાર રૂપ હોવા છતાંય અજીવની પ્રધાન રૂપથી વિવક્ષા હોવાથી અજીવ ક્રિયા કહેવામાં આવે છે. અથવા કર્મ વિશેષને ઈર્યાપથિકી ક્રિયા કહે છે જેમ કે કહ્યું છે - “इरियावहिया किरिया दुविहा- बज्झमाणा वेइज्जमाणा य । जा पढम समये बद्धा, बीय समये वेइया, सा वद्धा पुट्ठा वेइया निजिण्णा सेयकाले અમાંવિમવરૂ '' ઈર્યાથિકી ક્રિયા બે પ્રકારની છે બધ્યમાન અને વેધમાન. આ પ્રથમ સમયમાં બંધાય છે એ સમયમાં આનું વેદન થાય છે. આ બદ્ધ-સ્પષ્ટ, વેદિત અને નિર્જીર્ણ થઈને ત્રીજા સમયમાં અકર્મ રૂપ થઈ જાય છે. આસવ તત્ત્વ ૪૮૫

Loading...

Page Navigation
1 ... 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538