Book Title: Jina Dhammo Part 01
Author(s): Nanesh Acharya
Publisher: Akhil Bharatvarshiya Sadhumargi Jain Sangh

View full book text
Previous | Next

Page 506
________________ છે. એના બે ભેદ છે - જીવ દૃષ્ટિકા અને અજીવ દૃષ્ટિકા. કોઈ રમણીય સ્ત્રી, પુરુષ, હાથી, ઘોડા વગેરે સચિત્ત વસ્તુને જોવાથી લાગનારી ક્રિયા જીવ દૈષ્ટિકા છે. કોઈ ચિત્રશાળા, મકાન, વસ્ત્રાભૂષણ વગેરેને રાગદૅષ્ટિથી, કુતૂહલ દૃષ્ટિથી જોવાથી લાગનારી ક્રિયા અજીવ દૃષ્ટિકા છે. (૧૨) દૃષ્ટિકા : રાગભાવથી કોઈ વસ્તુને સ્પર્શ કરવાથી લાગનારી ક્રિયાને સ્પુષ્ટિકા ક્રિયા કહે છે. અથવા રાગ-દ્વેષની ભાવનાને લઈને પ્રશ્ન પૂછવાથી લાગનારી ક્રિયા સૃષ્ટિકા ક્રિયા છે. એના પણ બે ભેદ છે - જીવ સૃષ્ટિકા અને અજીવ સૃષ્ટિકા. સ્ત્રી, પુરુષ, પશુપક્ષી વગેરેને રાગભાવથી અડવાના નિમિત્તે જે ક્રિયા લાગે છે, તે જીવ સૃષ્ટિકા ક્રિયા છે. સચિત્ત વનસ્પતિ વગેરેના સુકોમળ જીવ-સ્પર્શ કરવા માત્રથી વેદનાનો અનુભવ કરે છે, તેથી નિરર્થક નિષ્પ્રયોજન કોઈ સચિત્ત વસ્તુને અડવાથી બચવું જોઈએ. નિર્જીવ વસ્ત્ર વગેરે વસ્તુઓને રાગભાવથી અડવાથી લાગનારી ક્રિયા અજીવ સૃષ્ટિકા ક્રિયા છે. (૧૩) પ્રાતીત્યિકી (પાડુચ્ચિયા) : જીવ કે અજીવ રૂપ કોઈ બાહ્ય વસ્તુના નિમિત્તથી જ રાગ-દ્વેષની ઉત્પત્તિ થાય છે. એનાથી લાગનારી ક્રિયા પ્રાતીત્યિકી ક્રિયા છે. એના બે ભેદ છે - જીવ પાડુચ્ચિયા અને અજીવ પાડુચ્ચિયા. જીવના નિમિત્તથી જે કર્મબંધ થાય છે. તે જીવ પાડુચ્ચિયા છે અને અજીવને લઈને જે રાગ-દ્વેષનો ઉદ્ભવ થાય છે, એનાથી લાગનારી ક્રિયા અજીવ પાડુચ્ચિયા ક્રિયા છે. ‘તત્ત્વાર્થ સૂત્ર’માં આનો અર્થ નવાં શસ્ત્રોનું નિર્માણ કરવામાં આવ્યો છે. (૧૪) સામંતોપનિપાતિકી ક્રિયા : જનસમૂહની પ્રશંસા પ્રાપ્ત કરવા માટે સંગ્રહણીય અને દર્શનીય સાવદ્ય વસ્તુઓનો સંગ્રહ કરવો અને એ વસ્તુઓના દર્શકો દ્વારા પ્રશંસા કરવાથી પ્રસન્ન થવું સામંતોપનિપાતિકી ક્રિયા છે. જેમ કે કોઈ વ્યક્તિનો સાંઢ ખૂબ જ રૂપવાન હોય તો લોકો એને જોઈને જેમ-જેમ પ્રશંસા કરે છે, એમ-એમ હર્ષિત થવાથી જે ક્રિયા લાગે છે, તે સામંતોપનિપાતિકી ક્રિયા છે. એના પણ બે ભેદ છે - જીવ સામંતોપનિપાતિકી અને અજીવ સામંતોપનિપાતિકી. પોતાનો સાંઢ, હાથી, ઘોડા વગેરે સજીવ પદાર્થોની પ્રશંસાથી હર્ષિત થવું જીવ સામંતોપનિપાતિકી ક્રિયા છે અને પોતાના દર્શનીય રથ વગેરે નિર્જીવ પદાર્થોની પ્રશંસાથી હર્ષિત થવું અજીવ સામંતોપનિપાતિકી ક્રિયા છે. ‘તત્ત્વાર્થ સૂત્ર’માં આનો અર્થ સ્ત્રી-પુરુષ અને પશુઓના આવવા-જવાની જગ્યાએ મળ-મૂત્ર વગેરે ત્યાગ કરવામાં આવ્યો છે. કોઈ-કોઈ આ ક્રિયાનો અર્થ એવો કરે છે કે દૂધ, દહીં, ઘી, તેલ, છાશ, પાણી વગેરે તરલ પદાર્થોનાં પાત્રોને ઉઘાડાં રાખવાથી એમાં પડીને માખી વગેરે પ્રાણી મરે છે કે દુઃખી થાય છે. એનાથી લાગનારી ક્રિયા સામંતોપનિયાતિકી ક્રિયા છે. (૧૫) સાહત્યિયા (સ્વહસ્તિકી) ક્રિયા : પોતાના હાથમાં કોઈ શિકારી જીવને લઈને એના દ્વારા કોઈ જીવને મારવાથી સાહત્યિયા ક્રિયા લાગે છે. અથવા પોતાના હાથથી કોઈ જીવ-અજીવ વસ્તુનું તાડન કરવાથી લાગનારી ક્રિયા સાહત્યિયા કહેવાય છે. એના બે ભેદ છે - જીવ સાહત્યિયા અને અજીવ સાહત્થિયા. પોતાના હાથમાં કોઈ જીવને લઈને વધ આસવ તત્ત્વ ૪૮૯

Loading...

Page Navigation
1 ... 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538