Book Title: Jina Dhammo Part 01
Author(s): Nanesh Acharya
Publisher: Akhil Bharatvarshiya Sadhumargi Jain Sangh

View full book text
Previous | Next

Page 508
________________ અહીં એ ધ્યાન રાખવું આવશ્યક છે કે ઉપયોગમાં ધર્મ રહેલો છે. ઉપયોગપૂર્વક ક્રિયા કરતાં-કરતાં જો કદાચ જીવ હિંસા પણ થઈ જાય તો તે હિંસા નિકાચિત કર્મનું બંધન કરાવનાર નથી થતી. પરંતુ જો વગર ઉપયોગના પ્રતિલેખન-પ્રમાર્જન કે અન્ય કોઈ ક્રિયા કરવામાં આવે છે અને એમાં કોઈ જીવના પ્રાણોનો ઘાત ન હોય તો પણ તે અપેક્ષાથી હિંસા છે. તેથી ઉપયોગ રાખતા અનાભોગ પ્રત્યયા ક્રિયાથી બચવું જોઈએ. (૨૦) અનવકાંક્ષા પ્રત્યયા જિનોક્ત કર્તવ્ય-વિધિઓમાં પ્રસાદના કારણે અનાદર ભાવ રાખવાથી લાગનારી ક્રિયાને અનવકાંક્ષા પ્રત્યયા ક્રિયા કહે છે. આનો અન્ય અર્થ આ રીતે છે કે ક્રોધ વગેરે વશ સ્વશરીર કે પરશરીરમાં ક્ષતિ પહોંચાડનાર ક્રિયા કરવી અનવકાંક્ષા પ્રત્યયા ક્રિયા છે. એના બે ભેદ છે - આત્મશરીર અનવકાંક્ષા પ્રત્યયા અને પરશરીર અનવકાંક્ષા પ્રત્યયા. આવેશવશ સ્વશરીરમાં ક્ષતિ પહોંચાડનારી ક્રિયા આત્મ શરીર અનવકાંક્ષા છે અને આવેશ વશ બીજાના શરીરને ક્ષતિ પહોંચાડનારી ક્રિયા પર-શરીર અનવકાંક્ષા પ્રત્યયા ક્રિયા છે. (૨૧) પેજ્જવત્તિયા (પ્રેમ પ્રત્યયા) : રાગ, રૂપ, માયા તથા લોભથી લાગનારી ક્રિયાને પેજ્જવત્તિયા કહે છે. એના બે ભેદ છે - માયા કરવાથી લાગનારી ક્રિયા અને લોભ કરવાથી લાગનારી ક્રિયા. (૨૨) દોસ વરિયા (ઢેષ પ્રત્યયા) દ્વેષ રૂપ ક્રોધ અને માનથી થનારી ક્રિયાને દોસ વત્તિયા કહે છે. એના બે ભેદ છે - ક્રોધ કરવાથી થનારી ક્રિયા અને માન કરવાથી થનારી ક્રિયા. (૨૩) પ્રયોગ ક્રિયા : અયતનાની સાથે ગમનાગમન કરવું, આકુંચન પ્રસારણ કરવું વગેરે શારીરિક ચેષ્ટાઓથી થનારી ક્રિયાને પ્રયોગ ક્રિયા કહે છે. અથવા બીજાના દ્વારા સાવદ્ય પ્રવૃત્તિ કરાવવાથી જે ક્રિયા લાગે છે, એને પ્રયોગ ક્રિયા કહે છે. (૨૪) સમુદાન ક્રિયા ત્રણેય યોગો દ્વારા જે કમનું ઉપાદાન હોય છે, તે સમુદાન કે સમાદાન ક્રિયા છે. ધાવન, વલ્સન વગેરે કાય-વ્યાપાર, કઠોર તથા અસત્ય ભાષણ રૂપ વાગુ વ્યાપાર અને અભિદ્રોહ રૂપ મનોવ્યાપાર આ ત્રણેય યોગો દ્વારા જે કર્મોનું આદાન થાય છે, તે સમુદાન કે સમાદાન ક્રિયા છે. પ્રયોગ ક્રિયા દ્વારા સંગૃહીત કર્મોમાં પ્રકૃતિ સ્થિતિ વગેરે રૂપમાં કે દેશઘાતી-સર્વઘાતી રૂપમાં કર્મોની વ્યવસ્થાપન સમુદાન ક્રિયા છે અથવા આઠેય કર્મોનું ઉપાર્જન જે ક્રિયા દ્વારા થાય છે, તે સમુદાન ક્રિયા છે. ઉક્ત બે ક્રિયાઓ - પ્રયોગ ક્રિયા અને સમુદાન ક્રિયાનો ઉલ્લેખ “ઠાણાંગ સૂત્ર'ના પાંચમા ઠાણામાં છે. સામુદાનિક ક્રિયાનો બહુ પ્રચલિત અર્થ - ઘણા લોકો દ્વારા એક સાથે એક ક્રિયાનો કરવો જોઈએ અને એના નિમિત્તથી બધાને એક સમાન ક્રિયાનું લાગવું તથા બધાને એક સાથે એનું પરિણામ પણ ભોગવવું. જેમ ઘણાય દર્શન દ્વારા એક સાથે નાટક, સિનેમા જોવું, કંપની બનાવીને સાવદ્ય વ્યવસાય કરવો, ટોળું બનાવીને મનોરંજન હેતુ તારા વગેરે રમવું, નૃત્ય [ આસવ તત્ત્વ છે , જે જે છે તે છે ૯૧)

Loading...

Page Navigation
1 ... 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538