________________
(૩૦) અને મો સામો : કાલિક-ઉત્કાલિક સૂત્રના ભેદ સમજ્યા વગર અકાળમાં શાસ્ત્ર વાંચવું વંચાવવું.
(૩૧) ત્નિ મો સામો : સ્વાધ્યાયનો સમય હોવા છતાં પણ પ્રમાદવશ સ્વાધ્યાય અથવા શાસ્ત્રનું પઠન-પાઠન ન કરવું.
(૩૨) મટ્ટા સાયં : સ્વાધ્યાયની યોગ્ય સ્થિતિ ન હોવાથી અશુચિ વગેરે અવસ્થામાં શાસ્ત્રનું સ્વાધ્યાય કરવું.
(૩૩) સાધુ ન સાયં : અસ્વાધ્યાયનાં ચોત્રીસ કારણો ન હોવા છતાં પણ પ્રમાદના વશ સ્વાધ્યાય ન કરવા.
આ રીતે તેત્રીસ આશાતનાઓ કહી છે, જે અશુભ ક્રિયા રૂપ હોવાથી મિથ્યાત્વ માની ગઈ છે. તેત્રીસ આશાતના :
એક અન્ય વિવેક્ષાથી પણ આચાર્ય-ગુરુ વગેરેની તેત્રીસ આશાતનાઓ બતાવી ગઈ છેઃ (૧) માર્ગમાં રત્નાધિક(દીક્ષામાં મોટા)થી આગળ ચાલવું. (૨) માર્ગમાં રત્નાધિકના બરાબર ચાલવું. (૩) માર્ગમાં રત્નાધિકના પાછળ અડીને ચાલવું. (૪-૬) રત્નાધિકની આગળ, બરાબર તથા પાછળ અડીને ઊભા રહેવું. (૭-૯) રત્નાધિકના આગળ, બરાબર તથા પાછળ અડીને બેસવું.
(૧૦) રત્નાધિક અને શિષ્ય વિચાર ભૂમિ (જંગલમાં) ગયા હોય ત્યાં રત્નાધિકથી પૂર્વ આચમન-શૌચ શુદ્ધિ કરવી.
(૧૧) બહારથી ઉપાશ્રયમાં પાછા ફરતાં રત્નાધિકથી પહેલાં ઈર્યાપથની આલોચના કરવી.
(૧૨) રાત્રિમાં રત્નાધિકની તરફથી “કોણ જાગે છે?' પૂછવા પર જાગતા હોવા છતાં પણ ઉત્તર ન દેવો.
(૧૩) જે વ્યક્તિ જોડે રત્નાધિકે પહેલાં વાતચીત કરવી જોઈએ, તેના જોડે પહેલાં સ્વયં જ વાતચીત કરવી.
(૧૪) આહાર આદિની આલોચના પ્રથમ બીજા સાધુઓની આગળ કર્યા પછી રત્નાધિકને આગળ કરવા.
(૧૫) આહાર વગેરે પ્રથમ બીજા સાધુઓને બતાવી બાદમાં રત્નાધિકને બતાવવું.
(૧૬) આહાર વગેરે માટે પ્રથમ બીજા સાધુઓને નિમંત્રિત કરી પછી રત્નાધિકને નિમંત્રણ આપવું.
(૧૭) રત્નાધિકને પૂછ્યા વગર બીજા સાધુને તેમની ઇચ્છાનુસાર અચુર આહાર આપવો.
(૧૮) રત્નાધિકની સાથે આહાર કરતાં સમયે સુસ્વાદુ આહાર સ્વયં ખાઈ લેવો અથવા સાધારણ આહાર પણ શીઘ્રતાથી વધુ ખાઈ લેવો.
(૧૯) રત્નાધિકના બોલાવવા પર સાંભળ્યું - ન સાંભળ્યું કરી દેવું.
[ મિથ્યાત્વ 5000000000000000 ૫૧૯)