Book Title: Jina Dhammo Part 01
Author(s): Nanesh Acharya
Publisher: Akhil Bharatvarshiya Sadhumargi Jain Sangh

View full book text
Previous | Next

Page 519
________________ વિકલ છે. અનભિગ્રાહિક મિથ્યાત્વનું કારણ અજ્ઞાન છે. અજ્ઞાનના કારણે તત્ત્વાતત્ત્વમાં વિવેક થતો નથી. જ્યાં સુધી વિવેક હોય છે ત્યાં સુધી ક્રિયાઓમાં સમ્યકત્વ આવતું નથી. કહેવાય છે કે માલતુષ વગેરે સાધુઓમાં પણ આવી પરીક્ષા બુદ્ધિ ન હતી, તો શું એમને અનભિગ્રહીત મિથ્યાત્વી કહી શકાય છે ? ઉત્તર એ છે કે એમને અનભિગૃહીત મિથ્યાત્વી કહી ન શકાય. કારણ કે તે સ્વયં પરીક્ષક અથવા વિવેચક ન હોવા છતાં પણ પરીક્ષક અને વિવેચક ગુરુજનોના નિર્દેશાનુસાર કામ કરતા હતા, આવા ગુરુની આજ્ઞાઓને તેઓ નિષ્ઠાપૂર્વક અત્યંત શ્રદ્ધાપૂર્વક સ્વીકાર કરતા હતા અને તદનુસાર આચરણ કરતા હતા, તેથી મિથ્યાત્વજન્ય વિકારો અને પરિણતિઓથી તે મુક્ત હતા, તેથી ઉક્ત દોષની સંભાવના રહેતી નથી. સમ્યગુદૃષ્ટિ ગુરુ દ્વારા નિયંત્રિત હોવાથી એમનામાં મિથ્યાત્વની આશંકા કરી નથી શકાતી. આત્મકલ્યાણના અભિલાષી મુમુક્ષુને તત્ત્વ-અતત્ત્વનો વિવેક હોવો જ જોઈએ. જ્યાં સુધી વિવેક જાગૃત થતો નથી ત્યાં સુધી મોક્ષમાર્ગને માટે જનારી ક્રિયાઓમાં સમ્યક્ત્વ આવતું નથી. તેથી મુમુક્ષુ આત્માએ તત્ત્વાતત્ત્વ અને સત્યાસત્યનો વિવેક કરવાની ક્ષમતા પ્રાપ્ત કરવી જ જોઈએ. આવી ક્ષમતા પ્રાપ્ત હોવાથી મૂઢતાથી લાગતા અનભિગૃહીત મિથ્યાત્વથી બચી શકાય છે. વીતરાગ પરમાત્મા દ્વારા કહેવાયેલા અહિંસા, સંયમ અને તપ રૂપ માર્ગ સત્ય છે, આ તત્ત્વ ઉપદેશક અને પાલક નિર્ચન્થ ગુરુ સાચા ગુરુ છે અને વીતરાગ પરંપરા સાચા દેવ છે, આવી આસ્થા રાખનાર અનભિગ્રાહિક મિથ્યાત્વથી બચવું જોઈએ. (૩) અભિનિવેશિક મિથ્યાત્વ ઃ સત્ય તત્ત્વને પોતાના દિલમાં સમજતા હોવા છતાં પણ અભિનિવેશ (દુરાગ્રહપૂર્ણ દુબુદ્ધિ)ના કારણે પોતાની પકડેલી મિથ્યા વાતને ન છોડવી, જિનેન્દ્ર દેવ દ્વારા પ્રરૂપિત સન્શાસ્ત્રોની વિરુદ્ધ (ઉસૂત્ર) પ્રરૂપણા કરવી, પોતાના મિથ્યા પક્ષની સ્થાપનાને માટે કુતર્ક અને કુયુક્તિઓનો આશ્રય લેવો અભિનિવેશિક મિથ્યાત્વ છે. અભિનિવેશ(દુબુદ્ધિમય દુરાગ્રહ)નું કાર્ય હોવાથી આ અભિનિવેશિક કહેવાય છે. ગોષ્ઠા માહિલ જેવા નિcવ અભિનિવેશિક મિથ્યાત્વનું ઉદાહરણ સમજવું જોઈએ. ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૫૦૪ વર્ષ બાદ ગોષ્ઠામાહિલ નિન્દવ (સત્યનો અપલાયક) થયો. આચાર્ય આર્યરક્ષિતના ત્રણ શિષ્ય વિશિષ્ટ પ્રતિભા સંપન્ન હતા. (૧) દુર્બલિકા પુષ્પમિત્ર, (૨) ફલ્યુરક્ષિત અને (૩) ગોષ્ઠામાહિલ. ગોષ્ઠામાહિલ વાદ લબ્ધિથી સંપન્ન હતો. આચાર્યો સમજી-વિચારીને દુર્બલિકા પુષ્પમિત્રને પોતાનો ઉત્તરાધિકારી ઘોષિત કરી દીધા. આચાર્યના સ્વર્ગવાસી થયા બાદ દુર્બલિકા પુષ્પમિત્ર આચાર્ય બન્યા. ગોષ્ઠામાહિલને આ વાત અરુચિકર લાગી. તેમને દુબલિકા પુષ્પમિત્રથી ઈર્ષા થવા લાગી, અને તે એમનાં અવિદ્યમાન છિદ્રોને જોવા લાગ્યા. આચાર્ય વ્યાખ્યાનમાં જે પ્રરૂપણ કરતા, તેમાં પણ તે દોષ કાઢવા લાગ્યા. એકવાર આચાર્યો કર્મ સંબંધી પ્રરૂપણા કરતા શાસ્ત્રાનુકૂળ પ્રતિપાદિત કર્યું કે - “જીવ-કર્મનો સંબંધમાં ક્ષીર-નીરવત્ નહિ, પરંતુ સર્પ-કંચુકવતું હોય છે. આચાર્ય અને સંઘને ગોષ્ઠામાહિલને તર્કોના શાસ્ત્રાનુકૂળ ઉત્તર દીધો, પરંતુ ગોષ્ઠામાહિલ તો ઈર્ષા અને મત્સર્યથી પ્રેરિત થઈને એ કહે છે, તેથી તેણે પોતાના દુરાશય પૂર્ણ દુરાગ્રહને છોડ્યો નહિ અને અંત સુધી મિથ્યા પ્રરૂપણા કરતો રહ્યો. સંઘે તેને પૃથક કરી દીધા. ગોષ્ઠામાહિલ સત્ય K૫૦૨) એ છે કે જો સારી અ ને જિણઘમ્મો)

Loading...

Page Navigation
1 ... 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538