Book Title: Jina Dhammo Part 01
Author(s): Nanesh Acharya
Publisher: Akhil Bharatvarshiya Sadhumargi Jain Sangh

View full book text
Previous | Next

Page 504
________________ (૪) પારિતાપનિકી : હાથ કે લાકડી વગેરેથી કોઈને પ્રહાર કરીને દુઃખ પહોંચાડવાથી પારિતાપનિકી ક્રિયા લાગે છે. એના બે ભેદ છે - સ્વહસ્ત પારિતાપનિકી અને પરહસ્ત પારિતાપનિકી. પોતાના હાથથી કોઈ બીજાને સ્વયં પરિતાપ આપવા, સ્વ-હસ્ત પારિતાપનિકી ક્રિયા છે અને બીજાના હાથોથી પરિતાપ પહોંચાડવો પરહસ્ય પારિતાપનિકી ક્રિયા છે. (૫) પ્રાણાતિપાતિકી ક્રિયા : જીવોના દસ પ્રકારના પ્રાણોની હત્યા કરવાથી કે આત્મહત્યા કરવાથી પ્રાણાતિપાતિકી ક્રિયા લાગે છે. એના બે ભેદ છે - સ્વસ્તિકી અને પરહસ્તિકી. પોતાના હાથોથી જીવોની ઘાત કરવી, શિકાર ખેલવો વગેરે સ્વસ્તિકી ક્રિયા છે અને બીજાના દ્વારા જીવઘાત કરાવવો, શિકારી કૂતરા વગેરે છોડીને જીવહિંસા કરાવવી તથા મારવા માટે ઉદ્યત થયેલ વ્યક્તિને પ્રોત્સાહિત કરવી, પુરસ્કાર આપવો વગેરે પરહસ્તિની પ્રાણાતિપાતિકી ક્રિયા છે. (૬) આરંભિકી : ષકાયના જીવોનું ઉપમર્દન-છેદન-ભેદન વગેરે કરવાથી લાગતી ક્રિયા આરંભિકી ક્રિયા છે. એના બે ભેદ છે - “જીવ આરંભિકી અને અજીવ આરંભિકી. શકાય જીવોનું છેદન-ભેદન કરવાથી લાગનારી ક્રિયા જીવ આરંભિકી છે અને અજીવ - અર્થાત્ લોટની બનાવેલી જીવાકૃતિ કે વસ્ત્ર વગેરેનો આરંભ કરવાથી લાગનારી ક્રિયા અજીવ આરંભિકી ક્રિયા છે. (૭) પરિગ્રહિકી : સચિત્ત કે અચિત્ત પરિગ્રહ રાખવાથી લાગનારી ક્રિયા પરિગ્રહિકી ક્રિયા છે. ધન, ધાન્ય, દ્વિપદ, ચતુષ્પદ વગેરે પરિગ્રહનો ત્યાગ મર્યાદા ન કરવાથી આ ક્રિયા લાગે છે. એના પણ બે ભેદ છે - જીવ પરિગ્રહિણી અને અજીવ પરિગ્રહિકી, દાસદાસી, પશુ-પક્ષી, સચિત્ત ધાન્ય વગેરેની મમતાથી થનારી ક્રિયા જીવ પરિગ્રહિકી છે અને ધન, આભૂષણ, મકાન, વસ્ત્ર, પાત્ર વગેરે અચિત્ત પદાર્થોની મમતાથી થનારી ક્રિયા અજીવ પરિગ્રહિક ક્રિયા છે. (૮) માયા પ્રત્યયા ? કપટ કે ધૂર્તતા કરવાથી લાગનારી ક્રિયાને માયા પ્રત્યયા કહે છે. એના બે ભેદ છે – આત્મભાવ વંચકતા અને પરભાવ વંચકતા. સ્વયંને લઈને કપટભાવ કરવો. જેમ કે સ્વયંમાં સારું ન હોવા છતાંય પોતાની સારાઈ (સારાપણું) બતાવવી, કપટપૂર્ણ આડંબર કરવો, પોતાને છેતરવું, આત્મભાવ વંચકતા છે. બીજાને કૂટલેખ વગેરે દ્વારા ઠગવો, છેતરવો, ખોટું માપ-તોલ રાખવું, વસ્તુમાં કપટ બુદ્ધિથી ભેળસેળ કરવી વગેરે પરભાવ વંચકતા છે. કહ્યું છે - જં તું ભાવમાં રહું ને પર વં ન્નડ્ડ' અર્થાત્ એવી બધી ક્રિયાઓ માયાના અંતર્ગત આવે છે, જેમના દ્વારા બીજી વ્યક્તિ છેતરાઈ રહ્યો હોય. છેતરવાથી લાગનારી ક્રિયા માયા પ્રત્યયા છે. (૯) અપ્રત્યાખ્યાન પ્રત્યયા : વ્રત-નિયમ, ત્યાગ, પ્રત્યાખ્યાન કે વિરતિ ન કરવાથી લાગનારી ક્રિયા અપ્રત્યાખ્યાન પ્રત્યયા ક્રિયા છે. જ્યાં સુધી દૈનંદિનના ઉપયોગમાં આવનારી વસ્તુઓની મર્યાદા કે ત્યાગ નથી કરવામાં આવતો ત્યાં સુધી લોકના સમસ્ત પદાર્થોના ભોગપભોગની ક્રિયા આત્માને લાગતી રહે છે, કારણ કે એમના ભોગપભોગનો ત્યાગ નથી [ આસ્રવ તત્ત્વ છે ૪૮૦)

Loading...

Page Navigation
1 ... 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538