________________
ઉપર્યુક્ત બંને પદો વિધિ રૂપથી કહેવામાં આવ્યાં છે. આ જ વાતને હવે નિષેધ રૂપથી સૂત્રકાર ફરમાવે છે - “જે માણસવા તે અપરિસંવા” અર્થાત્ જે આસ્રવ રૂપ નથી તે વ્રત વગેરે પણ કર્યોદયથી અશુભ અધ્યવસાયવાળાને માટે કર્મની નિર્જરાના કારણે નથી હોતા. વ્રત વગેરે કર્મોની નિર્જરાનું કારણ છે તો પણ અધ્યવસાયોની અશુભતા માટે તે નિર્જરાનું કારણ નથી હોતા. આ રીતે - “ને પરિસંવા તે મUસિવા' અર્થાત્ તે અપરિસ્સવ-કર્મના ઉપાદાન કારણ છે, તે કદાચિત્ પ્રવચનના ઉપકાર વગેરે શુભ અધ્યવસાયપૂર્વક કરવાથી કર્મ બંધન રૂપ નથી થતા.
ઉક્ત વિવેચનથી એ સ્પષ્ટ થઈ જાય છે કે આસ્રવ અને સંવર-નિર્જરાનો મુખ્ય આધાર ચિત્તવૃત્તિ - માનસિક પરિણામોની ધારા પર નિર્ભર છે. બાહ્ય પદાર્થ અને બાહ્ય ક્રિયાઓ નિમિત્ત માત્ર છે. નિમિત્ત ઉપાદાનની શુદ્ધિની પ્રગટતા માટે છે. નિમિત્ત જ્યાં સુધી ઉપાદાનના ઉપકારી હોય ત્યાં સુધી ગ્રાહ્ય છે, પણ નિમિત્તોની પાછળ ઉપાદાનની અવહેલના ન કરવી જોઈએ. જ્યારે ઉપાદાનને વિસરીને માત્ર નિમિત્તોને મહત્ત્વ આપવામાં આવે છે તો ધર્મ માત્ર શુષ્ક ક્રિયાકાંડ બનીને રહી જાય છે. તે જીવનવ્યાપી નથી બની શકતો. જ્યાં સુધી ધર્મના વ્યવહારમાં સર્વત્ર સ્પર્શી પ્રયોગ ન થાય, ત્યાં સુધી ધર્મનું સાચું રહસ્ય નથી સમજી શકાયું એવું માનવું પડશે. નિમિત્ત ઉપાદાનના ઉપકારી છે, તેથી ગ્રાહ્યી હોય છે, પરંતુ ઉપાદાનના મહત્ત્વને ન ભૂલવું જોઈએ. સાથે યથાસ્થાન નિમિત્તોની સર્વથા ઉપેક્ષા પણ સન્માર્ગથી ભટકાવી દે છે. નિમિત્તો તથા ઉપાદાનોને પોત-પોતાના સ્થાન પર મહત્ત્વપૂર્ણ સમજીને તે અનુસાર અનુગમન કરનાર સાચો સાધક હોય છે. તેથી ઉપાદાનને ચિત્તવૃત્તિને શુદ્ધ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. અહીં આ વાત વિશેષ રૂપથી ધ્યાનમાં રાખવી જોઈએ કે ઉક્ત અનાસક્ત યોગ કહેવામાં જેટલો સરળ છે એટલો આચરણમાં મૂકવો મુશ્કેલ છે. કોઈપણ સાધક શ્રી સ્થૂલિભદ્ર મુનિનું અનુકરણ કરીને વિલાસવર્ધક તથા વિકારોત્તેજક સંયોગોમાં રહેવાનું સાહસ ન કરે. એકદમ અનાસક્ત યોગની સાધના સાધક માટે સમુચિત નથી માની શકાતી. કારણ કે એ તો એક અપવાદિક વિષય છે, અપવાદ ક્યારેક ઉત્સર્ગ રાજમાર્ગ નથી બની શકતો. જો આ રાજમાર્ગ હોત તો તીર્થકર દેવ સ્વયં જ રાજપાટ વગેરેનો પરિત્યાગ કરી સાધુ નથી બનતા. અને કેવળજ્ઞાન થયા પછી આ વિષયને વિધિ રૂપથી પણ પ્રતિપાદિત કરે. પરંતુ એમણે એવું ન કરીને બ્રહ્મચારી વર્ગ માટે નવાવાડની મર્યાદાઓના સમીચીનતયા વિધિ વિધાન કર્યું. તેથી આ ઘટના પ્રસંગ ચરિતાનુવાદનો પણ એક અપવાદ છે. અનાસક્ત યોગની પહેલી સીડી ત્યાગમાર્ગ છે. ત્યાગમાર્ગ પર આવ્યા વિના જે સાધક સીધો અનાસક્ત યોગ પર જવા લાગશે, તે સીડીઓ કૂદીને ઉપર ચડવા સમાન જ કહેવાશે, જે શક્ય નથી. કર્મબંધનના સ્થાનમાં સમભાવ તટસ્થ અને નિર્વિકાર રહી શકવાની શક્તિ દીર્ઘકાળના ત્યાગમાર્ગની સાધના પછી જ પ્રાપ્ત થાય છે. તેથી કર્મબંધનોનાં સ્થાનોથી અલગ રહેવું જ શ્રેયષ્કર છે. સંયમનાં સ્થાનોથી વિચરણ કરતા અધ્યવસાયોની શુદ્ધિ પર વિશેષ લક્ષ્ય દેવાની આવશ્યકતા છે.
આ રીતે આસ્રવ અને નિર્જરાનાં સ્થાનોનો વિવેક સમજવો જોઈએ.
[ આસ્રવ તત્ત્વ છેજ
છે
જે છે તે
છે
(૮૩)