________________
આમ્રવના ભેદ :
આમ્રવના (૧) ઇન્દ્રિય, (૨) કષાય, (૩) અવ્રત, (૪) ક્રિયા અને (૫) યોગ એ પાંચ મૂળ ભેદ છે. એમનાં ક્રમશઃ પાંચ, ચાર, પાંચ, પચીસ અને ત્રણ ભેદ છે. એ બધા મળીને આમ્રવના ૪૨ ભેદ થઈ જાય છે. કહ્યું છે -
'इंदिय-कसाय-अव्वय-किरिया पण चउर पंच पणुवीसा । जोगा तिन्नेव भवे आसवभेयाउ बायाला ॥
- સ્થાનાંગ ટીકા (૧) પાંચ ઇન્દ્રિયોના આઝવ : પાંચ ઇન્દ્રિયોને અહીં આસ્રવ કહેવામાં આવી છે. એનો અભિપ્રાય એ છે કે આ ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શમાં રાગદ્વેષ રૂપ પ્રવૃત્તિ કરવાથી જે કર્મનો આસ્રવ થાય છે, તે ઇન્દ્રિય આસ્રવ છે. સ્વરૂપ માત્રથી તો કોઈ ઇન્દ્રિય કર્મબંધનું કારણ નથી હોતી અને ન ઇન્દ્રિયોની રાગ-દ્વેષ રહિત પ્રવૃત્તિ જ કર્મબંધનું કારણ હોય છે. | શ્રોત્રેન્દ્રિયનો સ્વભાવ છે કે તે શબ્દને ગ્રહણ કરે. આ તો સંભવ નથી કે શ્રોત્રેન્દ્રિય શબ્દોને ગ્રહણ જ ન કરે. શ્રોત્રેન્દ્રિય દ્વારા ગ્રહણ કરવામાં આવતા મનોજ્ઞ અને અમનોજ્ઞ શબ્દોમાં રાગભાવ અને દ્વેષભાવ કરવાથી શ્રોત્રેન્દ્રિય આસ્રવ થાય છે. ચક્ષુનો સ્વભાવ છે કે તે પોતાના વિષય રૂ૫ વગેરેને ગ્રહણ કરે. એ શક્ય નથી કે ચક્ષુ રૂપને ગ્રહણ જ ન કરે. મનોજ્ઞ-અમનોજ્ઞ રૂપ વગેરે વિષયોમાં રાગભાવ કે દ્વેષભાવ કરવાથી ચક્ષુરિન્દ્રિય આસ્રવ થાય છે.
ઘાણનો સ્વભાવ છે કે તે ગંધને ગ્રહણ કરે. એ તો સંભવ નથી કે ધ્રાણેન્દ્રિય ગંધને ગ્રહણ ન કરે. મનોજ્ઞ-અમનોજ્ઞ ગંધમાં રાગભાવ કે દ્વેષભાવ કરવાથી ઘાણેન્દ્રિય આસવ થાય છે.
એ જ રીતે રસનેન્દ્રિયના વિષય મનોજ્ઞ-અમનોજ્ઞ રસોમાં સ્પર્શનેન્દ્રિયના વિષયભૂત મનોજ્ઞામનોજ્ઞ સ્પશમાં રાગભાવ કે દ્વેષભાવ કરવાથી ક્રમશઃ રસનેન્દ્રિય આસ્રવ અને સ્પર્શનેન્દ્રિય આસ્રવ થાય છે. જેમ કે કહ્યું કે -
ण सक्का ण सोऊं, सद्दा सोय विसयमागया । रागदोसोउ जे तत्थ तं भिक्खू परिवज्जए ॥१॥ ण सक्कं रुव मदढ़, चक्खु विसयमागयं । रागदोसोउ जे तत्थ, तं भिक्खू परिवज्जए ॥२॥ णो सक्कं गंधमाणाग्धाऊं णासा विसयमागयं । रागदोसोउ जे तत्थ तं भिक्खू परिवज्जए ॥३॥ णो सक्का फासं ण वेदेउं फास विसयमागयं । रागदोसाउ जे तत्थ ते भिक्खू परिवज्जए ॥४॥
- આવશ્યક સૂત્ર (૪૮૪) COOOOOOOOOOOOOX જિણધર્મોો]