________________
રાજ્યભાર સોંપીને ચાર હજાર પુરુષોની સાથે દીક્ષા ધારણ કરી. સંયમ લીધાના એક હજાર વર્ષ પછી એમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. એક લાખ પૂર્વ સુધી સંયમ પાળીને અષ્ટાપદ પર્વત ઉપર પદ્માસનથી સ્થિત થઈને, દસ હજાર સાધુઓના પરિવારથી નિર્વાણને પ્રાપ્ત થયા.
પ્રથમ તીર્થકરના સમયે રાજકુળમાં પ્રથમ ચક્રવર્તીનો પણ જન્મ થાય છે. જેમ કે તીર્થકરની માતા ચૌદ સ્વપ્ન જુએ છે, એ જ રીતે ચક્રવર્તીની માતા પણ ચૌદ સ્વપ્ન જુએ છે, પરંતુ તે થોડા મંદા હોય છે. આ ચક્રવતીના દેહમાન પાંચસો ધનુષનો અને આયુષ ચોર્યાસી લાખ પૂર્વનો હોય છે. તે ચાલીસ લાખ અષ્ટાપદોના બળના ધારક હોય છે. યુવાવસ્થા પ્રાપ્ત થવાથી પહેલાં માંડલિક રાજા થાય છે અને પછી તેર અષ્ટમ ભત્ત (તેલા) કરીને ભરત ક્ષેત્રના છ ખંડો પર એકછત્ર શાસન કરે છે.
અ3)
(ચક્રવર્તીની ત્રાદ્ધિ)
ચક્રવર્તીનાં ચૌદ રત્ન અને નવ નિધિઓ હોય છે. નિમ્નલિખિત ચૌદ રત્નોમાંથી આદિના સાત એકેન્દ્રિય અને અંતના સાત પંચેન્દ્રિય રત્ન છે : ચૌદ રત્ન:
(૧) ચક્ર-રત્ન : સેનાના આગળ-આગળ આકાશમાં ઘન-ઘનન શબ્દ કરતાં ચાલે છે અને છ ખંડ સાધવાનો માર્ગ બતાવે છે.
(૨) છત્ર-રત્ન : સેનાના ઉપર લાંબા-પહોળા છત્રના રૂપમાં પરિણત થઈ જાય છે અને ઠંડી, તાપ, વાયુ વગેરેના ઉપસર્ગથી બચાવે છે.
(૩) દંડ-રત્ન વિષમ-સ્થાનને સમ કરીને સડક જેવો રસ્તો બનાવી લે છે અને વૈતાઢ્ય પર્વતની બંને ગુફાઓનાં દ્વાર ખોલે છે.
(૪) ખગ-રત્ન ઃ અહીં પચાસ આગળ લાંબું, સોળ આંગળ પહોળું અને અડધા આગળ મોટું અત્યંત તીક્ષ્ણ ધારવાળું ખગ્ન હોય છે. હજારો કોસના અંતરે દૂરસ્થિત શત્રુનું માથું કાપી નાખે છે. એ ચારેય રત્ન ચક્રવર્તીના આયુધશાળામાં ઉત્પન્ન થાય છે.
(૫) મણિ-રત્ન : આ ચાર આંગળ લાંબુ અને બે આંગળ પહોળુ હોય છે. આને ઊંચા સ્થાન પર રાખી દેવાથી બે યોજન સુધી ચંદ્રમાની સમાન પ્રકાશ કરે છે. જો હાથીના મસ્તક પર રાખી દેવામાં આવે, તો ગજસવારને કોઈ પ્રકારનો ભય નથી થતો.
(૬) કાંગની-રત્ન ઃ છએ બાજુથી ચાર-ચાર આંગળ લાંબું-પહોળું, સોનાના એરણના સમાન છ તળિયે, આઠ ખૂણે અને બાર હાંસિયાવાળા તથા આઠ સોનેયાભર વજનના હોય છે. એનાથી વૈતાઢય પર્વતની ગુફાઓમાં એક-એક યોજના અંતર પર પાંચસો ધનુષના ગોળાકાર ઓગણપચાસ મંડળ કરવામાં આવે છે. એમનો ચંદ્રમાની સમાન પ્રકાશ ત્યાં સુધી બનેલા રહે છે, જ્યાં સુધી કે ચક્રવર્તી જીવિત રહે છે. (૩૮૨) છે જે છે
છે કે જે જિણધમો)