________________
૧૦માં ઠાણામાં પુરુષજ્યેષ્ઠ' આ પદ આત્માની સાથે સંયુકત થયું છે. જેનો અર્થ એ છે કે મોહનું જેટલું હલકાપણું હશે, એટલું જ ઊર્ધ્વગમન થશે. તેથી એ પણ પુણ્યનો હેતુ સિદ્ધ થાય છે.
વિશુદ્ધ અધ્યવસાય અને મોહની અલ્પતાના કારણે અનિવૃત્તિ બાદર ગુણસ્થાનમાં પુરુષ વેદમાં એક સ્થાન સુધી રસ બંધ પણ સંભવ છે.
આ દૃષ્ટિના પરિપ્રેક્ષ્યમાં આ ચાર પ્રકૃતિઓને પૂર્વાચાર્યોએ પુણ્ય પ્રકૃતિના રૂપમાં ગણાવ્યો છે તે સંભવ લાગે છે. વિદ્વજ્જન ગહન દૃષ્ટિથી ચિંતન કરે, એ અપેક્ષા છે.
ઉપર્યુક્ત પુણ્યની ૪૨ પ્રકૃતિઓમાં પંચેન્દ્રિય જાતિ, મનુષ્ય શરીર, વજ ઋષભ નારાચ સંહનન વગેરે મોક્ષની સામગ્રી સમ્મિલિત છે. અંતરાય કર્મના ક્ષયોપશમ સહિત પુણ્ય વગર આ સામગ્રી નથી મળતી અને આ સામગ્રી વગર મોક્ષની પ્રાપ્તિ નથી થઈ શકતી. તેની વિવેકની સાથે પુણ્ય તત્ત્વને સ્વરૂપ સમજીને એને યથોચિત રૂપથી ગ્રહણ કરવું જોઈએ. પુણ્યની હેય-ૉચ ઉપાદેયતા :
પુણ્ય તત્ત્વને ખૂબ ઊંડાણથી સમજવું જોઈએ. આ એવું તત્ત્વ છે, જે વિવિધ ભૂમિકાઓમાં ઉપાદેય, શેય અને હેય બની જાય છે. ચારિત્ર (સર્વ વિરતિ) પ્રાપ્તિના પૂર્વ ભૂમિકાઓમાં પુણ્ય તત્ત્વ ઉપાદેય છે, કારણ કે પંચેન્દ્રિયતત્વ, મનુષ્ય ભવ, આર્ય ક્ષેત્ર વગેરે સંયમ ગ્રહણની સામગ્રી પુણ્ય વગર પ્રાપ્ત નથી થતી. જ્યાં સુધી પુણ્યનો સહારો નથી લેવામાં આવતો ત્યાં સુધી આ સામગ્રી પ્રાપ્ત નથી થતી. આ સામગ્રીના અભાવમાં સંયમની પ્રાપ્તિ નથી થઈ શકતી. સર્વવિરતિ રૂપ ચારિત્ર સ્વીકાર કર્યા પછી સંયામાવસ્થામાં પુણ્ય તત્ત્વ જ્ઞય તથા ઉપાદેય છે, હેય નથી. ચારિત્રની પૂર્ણતા હોવાથી અર્થાત્ ચૌદમા ગુણસ્થાનમાં તે હેય થઈ જાય છે, કારણ કે શરીરને છોડ્યા વગર મોક્ષની પ્રાપ્તિ નથી થઈ શકતી. બધાં કમ પ્રકૃતિઓનો સર્વથા ક્ષય થવાથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે.
જેમ કે સમુદ્રની એક પારથી બીજે પાર જવા માટે જહાજ પર ચડવું આવશ્યક હોય છે અને કિનારાની નજીક પહોંચીને એનો ત્યાગ કરવો પણ એટલો જ આવશ્યક છે. બંનેના અવલંબન લીધા વગર પાર પહોંચવું સંભવ નથી. આ રીતે પ્રાથમિક ભૂમિકામાં પુણ્ય તત્ત્વને અપનાવવું આવશ્યક છે. અને આત્મ-વિકાસની ચરમ સીમાના નજીક પહોંચ્યા પછી એને છોડી દેવું પણ આવશ્યક છે. જહાજમાં બેઠેલી વ્યક્તિ માટે તે શેય છે અને ઉપાદેય છે, હેય નથી. સંસારરૂપી સમુદ્રથી પાર થવા માટે પુણ્ય રૂપી પોત (જહાજ)ની આવશ્યકતા છે, પરંતુ ચૌદમાં ગુણસ્થાનમાં પહોંચ્યા પછી મોક્ષરૂપી નગરની પ્રાપ્તિના સમયે પુણ્ય હેય થઈ જાય છે.
જે વ્યક્તિ કે જે સમુદાય-વિશેષ આ ભૂમિકાના ભેદને સમસ્યા વગર પહેલાથી જ પુણ્યને હેય સમજીને ત્યાગી દે છે, એની એ જ દશા થાય છે જે કિનારાના નજીક પહોંચ્યા પહેલાં જ જહાજને છોડી દે છે. વચ્ચે જહાજ ત્યાગી દેનારા સમુદ્રમાં ડૂબે છે અને પુણ્યને ત્યાગી દેનારા સંસાર સમુદ્રમાં ડૂબે છે. (૪૫)
અને જિણધામો)