________________
આપવાથી પાપ થવું કેવી રીતે બતાવી શકે છે? બુદ્ધિમાનોએ પ્રસંગનું ધ્યાન રાખીને એ વાત સ્વયં સમજી લેવી જોઈએ.
ભ્રમ વિધ્વંસનકાર એક કુયુક્તિ રજૂ કરતાં લખે છે -
“अने भगवंता तो साधु ने कल्पे तेहिज द्रव्य कह्या छै । अनेरा ने दया पुण्य हुवे तो गाय-भैंस पुण्णे, रूपो पुण्णे, खेती पुण्णे, डोली पुण्णे इत्यादि बोल મujતા, તે તો માથા નઈં ?”
ઉક્ત કથન અનુચિત છે. અહીં સ્થાનાંગ”ના આ પાઠમાં સાધુના કલ્પને યોગ્ય વસ્તુનું જ કથન છે તો “સ પુool, શતરની પુuvો, મશ્ન પુud' વગેરે પાઠ પણ હોવો જોઈએ, કારણ કે સાધુને એ બધું લેવું કહ્યું છે અને એમનું દાન કરવાથી પણ દાતાને પુણ્ય થાય છે, પાપ નહિ. તથાપિ આ બધી વસ્તુઓનો આ પાઠમાં ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. એનાથી એ સ્પષ્ટ થાય છે કે આ પાઠ માત્ર સાધુઓ માટે જ નથી, બધાં પ્રાણીઓ માટે આવ્યો છે. પુણ્યના નિમિત્તે બીજાં પ્રાણીઓને દાન આપવાથી પણ પુણ્ય થાય છે, એકાંત પાપ નહિ.
આ પાઠમાં જે નવ પ્રકારથી પુણ્ય હોવું કહ્યું છે. એનો એ અર્થ નથી કે એનાથી અલગ વસ્તુ આપવાથી પુણ્ય થતું નથી. કારણ કે સાધુને પાડિહારી, સોય, કાતર વગેરે આપવાથી ભ્રમ વિધ્વંસનકારની માન્યતા અનુસાર પણ પુણ્ય જ થાય છે. પરંતુ ઉક્ત પાઠમાં એમના દાન દેવાથી પુણ્ય નથી કહ્યું, છતાંય એમના દાનથી પુણ્ય જ થાય છે.
ઉક્ત પાઠમાં પુણ્યનાં વિશેષ કારણોનું જે કથન છે, ગૌણ કારણોનું નહિ. તેથી અનાજ વગેરેથી ભિન્ન વસ્તુઓનું દાન જો ધર્માનુકૂળ હોય તો એકાંત પાપમાં નથી. જેમ ઉક્ત પાઠમાં નહિ લખેલી સોય, કાતર, ભસ્મી, અચિત્ત, માટીનો ઢગલો, ઔષધ વસ્તુઓ સાધુઓને દેવાથી પાપ નથી થતું, એ જ રીતે સાધુથી ઇતર વ્યક્તિને જો ધર્માનુકૂળ વસ્તુઓ પુણ્યાર્થ આપવામાં આવે, તો એનાથી પણ એકાંત પાપ નથી થતું.
તેથી, સિદ્ધ થાય છે કે “ઠાણાંગ સૂત્રમાં વર્ણિત નવ પ્રકારનું પુણ્ય માત્ર સાધુઓને અનાજ વગેરે આપવાથી જ નથી થતું, પણ કોઈપણ જરૂરતમંદને શુભ ભાવનાપૂર્વક અનુકંપા બુદ્ધિથી ઉક્ત સૂત્ર વણિત અથવા અન્ય ઉપયોગી પદાર્થ આપવાથી પણ થાય છે. ઉક્ત પાઠમાં સર્વ સાધારણ માટે છે, માત્ર સાધુ માટે નહિ. કારણ કે મૂળ પાઠમાં ક્યાંય કોઈ વિશિષ્ટ નિર્દેશ નથી, તેથી માત્ર સાધુને અનાજ વગેરે આપવાથી જ પુણ્ય થાય છે, અન્યને દેવાથી એકાંત પાપ થાય છે, આ માન્યતા નિતાંત ભ્રમપૂર્ણ અને મિથ્યા છે. સાધુથી અલગ બધા કુપાત્ર નથી :
તેરાપંથ સંપ્રદાય સાધુથી ઇતર બધાને કુપાત્ર માને છે. માતા-પિતા, મોટાભાઈ વગેરે ગુરુજન પણ આ પંથની દૃષ્ટિમાં કુપાત્ર છે. એમને જો ધર્માનુકૂળ કોઈ વસ્તુ આપવામાં આવે તો આ પંથ એને કુપાત્ર દાન કહીને એમાં એકાંત પાપ બતાવે છે. એની માન્યતા છે કે જેમ વેશ્યા, હિંસક, ચોર વગેરેને વ્યભિચાર, હિંસા, ચોરી માટે આપવામાં આવેલા દાનમાં (૪૬૨) એ છે જે છે તે
જિણધમો)