________________
આપવાથી પણ પુણ્ય થવું જોઈએ. પરંતુ એમનું આ કથન તર્કસંગત નથી, કારણ કે ચોરજાર-હિંસક-વેશ્યા વગેરેને આ રીતે અપાતું દાન અનુકંપા દાન નથી, પણ અધર્મ દાન છે. દાતા પાપ ભાવનાથી એ દાન કરે છે, તેથી એમાં પુણ્ય નથી, એકાંત પાપ છે. પરંતુ જે દાન દીન-હીન જીવો પર દયા કરીને પુણ્યાર્થ આપવામાં આવે છે, એનાથી તો પુણ્ય થાય છે. “સ્થાનાંગ સૂત્ર'માં નવમા સ્થાનમાં એવા જ દાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેથી અનુકંપા દાનને એકાંત પાપમય બતાવવું આગમથી સર્વથા વિરુદ્ધ છે. ઉક્ત સ્પષ્ટીકરણથી સર્વથા સિદ્ધ થઈ જાય છે કે “સ્થાનાંગ સૂત્ર”માં કથિત નવ પ્રકારના પુણ્ય માત્ર સાધુને આપવાથી જ નથી થતું, પણ જરૂરતમંદ જીવોને અનુકંપા બુદ્ધિથી આપવાથી પણ પુણ્ય થાય (મળ) છે. શુભ ભાવથી કોઈપણ જીવને આપવામાં આવેલું દાન પુણ્ય બંધનું કારણ છે. એમાં કોઈ સંદેહ ન હોવો જોઈએ. અનેરી પ્રકૃતિ પુચની છે, પાપની નહિઃ
સ્થાનાંગ સૂત્ર'ના આ પુણ્ય સંબંધિત પાઠના નીચે ટબ્બા અર્થ લખીને એની સમાલોચના કરતા ભ્રમ વિધ્વંસનકારે લખ્યું છે - ___ “अनेजे टब्बा में कह्यो - पात्र ने विषे जे अन्नादिक तो देवो, तेह थकी तीर्थंकरादिक पुण्य-प्रकृतिनो बंध । तो अधिक शब्द में तो बयालीसुंह पुण्यप्रकृति आई... वली कोई पुण्यनी प्रकृति बाकी नहीं, अनेरा ने दीधां अनेरी प्रकृतिनो વંથ, તે મને પ્રતિ પાપ ની છે ”
ભ્રમ વિધ્વંસનકારે જે ટબ્ધાર્થ લખ્યો છે, તે અપૂર્ણ છે. આચાર્ય ભીષણજીના જન્મથી પૂર્વ લખેલા “ટબ્બા' અર્થમાં ઉક્ત પાઠનો આ રીતે અર્થ કર્યો છે - “પાત્રને વિશે
"अन्नादिक दीजै तेह थकी तीर्थंकर नामादिक पुण्य प्रकृति नो बंध। .
तेह थकी अनेरां ने देव॒ते अनेरी पुण्य प्रकृति नो बंध ॥" ઉક્ત ટબ્બા અર્થમાં સાધુથી ઇતરને દાન દેવાથી પુણ્ય પ્રકૃતિનો બંધ સ્પષ્ટ લખ્યો છે, તેથી ભ્રમ વિધ્વંસનકારે આ ટબ્બાને છોડીને એવો અપૂર્ણ ટબ્બાનો અર્થ આપ્યો છે. જે અપૂર્ણ ટબ્બાનો આશ્રય આચાર્ય જીતમલજીએ લીધો છે, એ અનુસાર પણ સાધુથી અલગ વ્યક્તિને દાન આપવામાં એકાંત પાપ હોવું સિદ્ધ નથી થતું. એમના માન્ય ટબ્બામાં પણ અનેરાં ને રેવું તે મને પ્રતિ નો વંશ ' લખ્યું છે, ત્યાં પાપ પ્રકૃતિનો બંધ નથી લખ્યું, તેથી ત્યાં અનેરી પ્રકૃતિથી મતલબ તીર્થકર નામ વગેરે પ્રકૃતિથી અલગ પુણ્ય પ્રકૃતિનો બંધ હોવો અભિપ્રેત છે. અનેરી પ્રકૃતિનો અર્થ પાપ પ્રકૃતિ બતાવવું સર્વથા અપ્રાસંગિક અને અનુચિત છે.
પોતાના પક્ષના સમર્થનમાં ભ્રમ વિધ્વંસનકારે આગળ લખ્યું છે કે - “નિ ઋષમદિવસ कहिवे चौबीसुंइ तीर्थंकर आया । गौतादिक साधु कहिवे १४ हजार ही आया । प्राणातिपादिक पाप कहिवे १८ पाप आया, मिथ्यात्व आदिक आस्रव कहिवे ५ आस्रव आया । तिम तीर्थंकर आदि पुण्य प्रकृति कहिवे सब पुण्यनी प्रकृति आई । वली कोई पुण्यनी प्रकृति बाकी रही नहीं. ॥" (૪૦૦
અને જિણધમો)