________________
मनोवाक्काय कर्माणि, योगाः कर्म शुभाशुभं । यदाश्रवंति जन्तूनामाश्रवास्तेन कीर्तिता ॥१॥ मैत्र्यादि वासितं चेतः कर्म स्युते शुभात्मकम् । कषाय विषयाक्रान्तं वितनोत्यशुभं मनः ॥२॥ मैत्र्या सर्वेषु सत्वेषु प्रमोदेन गुणाधिके ।। माध्यस्थ्येनाविनीतेषु कृपया दुःखितेषु वा ॥३॥ सततं वासितं स्वान्तं कस्यचित् पुण्यशालिनः । वितनोति शुभं कर्म, द्विचत्वारिंशदात्मकमिति ॥४॥ शुभार्जनाय निर्मिथ्यं, श्रुतज्ञानाश्रितं वचः । विपरीतं पुनज्ञेय, मशुभार्जन हेतवे ॥५॥ शरीरेण च सुप्तेन, शरीरी चिनुते शुभम् । सतता रंभण्य जन्तु-घातकेना शुभं पुनः ॥६॥ कषाय विषया योगा, प्रमादाविरति तथा ।
मिथ्यात्वमार्त रौद्रश्चेत्यशुभं प्रति हेतवः ॥७॥ અર્થાત્ મન-વચન અને કાયાની પ્રવૃત્તિને યોગ કહે છે. યોગના નિમિત્તથી શુભ કે અશુભ કર્મોનું આત્મામાં આગમન થાય છે. તેથી યોગને આસ્રવ કહે છે. ૧
જેનું અંતઃકરણ મૈત્રી વગેરે શુભ ભાવોથી ભાવિત થાય છે, તે શુભ પ્રવૃત્તિઓનો આસ્રવ કરે છે. જેનું મન વિષય-કષાયોથી મલિન થાય છે, તે અશુભ પ્રવૃતિઓને આસ્રવ કરે છે. ૨
બધા જીવોમાં મૈત્રી, ગુણાધિકોમાં પ્રમોદ ભાવના, દુષ્ટોના પ્રત્યે માધ્યસ્થ ભાવના અને દુઃખીઓની પ્રત્યે કરુણા જે પુણ્યશાળી આત્માના ચિત્તમાં બની રહે છે, તે ૪૨ પ્રકારની પુણ્ય પ્રકૃતિઓનો આસ્રવ કરે છે. ૩-૪
જે વ્યક્તિ નિરવદ્ય સત્ય ભાષણ કરે છે અને શાસ્ત્રાનુસાર વચન બોલે છે, તે શુભ વાગુયોગ દ્વારા શુભ પ્રકૃતિનો આસ્રવ કરે છે. એનાથી વિપરીત જે સાવદ્ય અને અસત્ય ભાષણ કરે છે, શાસ્ત્રથી વિપરીત બોલે છે, તે અશુભ વાગુયોગથી અશુભ પ્રકૃતિઓનો આસ્રવ કરે છે. ૫
જે વ્યક્તિ શરીર દ્વારા આરંભોથી વિરત રહે છે, તે શુભ કાર્ય યોગ શુભ આસ્રવ કરે છે. જે જીવ શરીર દ્વારા સતત હિંસા વગેરે આરંભમાં લીન રહે છે, તે અશુભ પ્રકૃતિઓનો આસ્રવ કરે છે. ૬
કષાય, વિષય, યોગ, પ્રમાદ, અવિરતિ, મિથ્યાત્વ અને આર્ત-રૌદ્રધ્યાન - એ બધા અશુભ પ્રકૃતિઓના આસવના હેતુઓ છે. ૭ (૪૦)
જિણધર્મોો]