Book Title: Jina Dhammo Part 01
Author(s): Nanesh Acharya
Publisher: Akhil Bharatvarshiya Sadhumargi Jain Sangh

View full book text
Previous | Next

Page 496
________________ કમસ્ત્રવોમાં પરિણામ-ભેદ વગેરેથી વિશેષતાઃ કર્માસ્ત્રવોમાં બાહ્ય સાધન સમાન હોવા છતાંય કર્મબંધમાં અંતર થઈ જાય છે, તેથી કર્માસ્ત્રવોનો આધાર મુખ્યત્વે અધ્યવસાય છે. બાહ્ય ક્રિયાઓ અને એમના સાધન એક સીમા સુધી કર્મબંધના નિમિત્તથી થાય છે, પરંતુ મુખ્ય રૂપથી કર્મબંધ અધ્યવસાયો પર નિર્ભર કરે છે. બાહ્ય ક્રિયા સમાન હોવા છતાંય અધ્યવસાયોમાં બહુ ખૂબ) અંતર થઈ શકે છે. ઉદાહરણ સ્વરૂપ એક હિંસક વ્યક્તિ છૂરી, ચાકુ ચલાવીને ઘાતક બુદ્ધિથી કોઈ વ્યક્તિને મારે છે, અને એક ડોક્ટર રોગીને સાજો કરવા માટે શલ્ય-ચિકિત્સા (ઓપરેશન) કરતી વખતે છરી, ચાકુનો પ્રયોગ કરે છે. ઉક્ત બંને વ્યક્તિઓએ શસ્ત્ર છરી-ચાકુનો પ્રયોગ તો કર્યો, અધિકરણ (સાધન) પણ એમના સમાન છે, પરંતુ બંનેના અધ્યવસાયોમાં બહુ મોટું અંતર છે. એકના અધ્યવસાય હિંસક હોવાથી સંક્લિષ્ટ છે, અશુભ છે, જ્યારે બીજાના અધ્યાવસાય શાંતિ-આરોગ્યદાયક હોવાથી શુભ છે. તેથી પહેલી હિંસક વ્યક્તિ અશુભ કર્મબંધની ભાગી બને છે, જ્યારે બીજી વ્યક્તિ શસ્ત્રનો પ્રયોગ કરવા છતાંય મુખ્યત્વે શુભકર્મ-પુણ્યકર્મનો ભાગી બને છે. બાહ્ય બંધકારણ સમાન હોવા છતાંય પરિણામની તીવ્રતા અને મંદતાના કારણે કર્મબંધ અલગ-અલગ પ્રકારના હોય છે. જેમ કે એક જ દેશ્યના બે દર્શકોમાંથી મંદ આસક્તિવાળાની અપેક્ષા તીવ્ર આસક્તિવાળું કર્મ જ તીવ્ર બંધ કરે છે. તીવ્ર ભાવના કારણે તીવ્ર બંધ અને મંદભાવના કારણે મંદ બંધ થાય છે. એ જ રીતે ઇચ્છાપૂર્વક પ્રવૃત્તિ કરવી - જાણી જોઈને આરંભ વગેરે કરવું જ્ઞાતભાવ છે. વગર ઈચ્છાએ અજાણતાં કૃત્યનું થઈ જવું અજ્ઞાત ભાવ છે. જાણી જોઈને ભૂલ કરવામાં અને અજાણતા ભૂલ થઈ જવામાં બહુ મોટો ભેદ છે. જે જાણી જોઈને પાપ-પ્રવૃત્તિ કરે છે, એને તીવ્ર કર્મબંધ થાય છે અને જે અજાણતા પાપ થઈ જાય છે, એનો કર્મબંધ અપેક્ષાકૃત ઓછો હોય છે. જાણી જોઈને કોઈને ઠોકર મારવામાં અને અજાણતા ઠોકર લાગી જવામાં - ક્રિયાની સમાનતા છતાં વિચારોમાં ભાવોમાં બહુ મોટો ભેદ છે. જાણી જોઈને ઠોકર મારવામાં તીવ્ર સંક્લિષ્ટ પરિણામ હોય છે, જ્યારે અજાણતાં ઠોકર લાગવાથી પરિણામોમાં સંમ્પિષ્ટતા નથી થતી. તેથી જ્ઞાતભાવ અને અજ્ઞાતભાવમાં બાહ્ય વ્યાપાર સમાન હોવા છતાંય કર્મબંધમાં અંતર પડે છે. જેમાં એક વ્યક્તિ મૃગને મૃગ સમજીને બાણથી વીંધી નાખે છે અને બીજી વ્યક્તિ નિશાન તો કોઈ નિર્જીવ વસ્તુ ઉપર સાધે છે, પરંતુ ભૂલથી હરણ વીંધાઈ જાય છે. ભૂલથી મારનારની અપેક્ષા જાણી જોઈને મારનારનો કર્મબંધ ઉત્કટ હોય છે. વીર્ય (શક્તિ) પણ કર્મબંધની વિચિત્રતાનું કારણ હોય છે. જેમ દાન, સેવા વગેરે શુભકાર્ય હોય કે હિંસા, ચોરી વગેરે અશુભકાર્ય - બધાં શુભાશુભ કાર્ય બળવાન વ્યક્તિ જે સહજતા અને ઉત્સાહથી કરી શકે છે, નિર્બળ મનુષ્ય એ જ કાર્ય કઠિનાઈથી કરી શકે છે. તેથી બળવાનની અપેક્ષા નિર્બળનો શુભાશુભ કર્મબંધ મંદ હોય છે. એ જ અપેક્ષાથી કહેવાયું છે કે - “જે જૂરી તે થન્ને ? જે કર્મ કરવામાં વીર છે, તે ધર્મમાં પણ વીર હોઈ શકે છે. આ રીતે વીર્યના કારણે પણ કર્મબંધમાં અંતર હોય છે. [ આસ્રવ તત્ત્વ છેઆ જે આજે છે જ, ૪૦૯)

Loading...

Page Navigation
1 ... 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538