Book Title: Jina Dhammo Part 01
Author(s): Nanesh Acharya
Publisher: Akhil Bharatvarshiya Sadhumargi Jain Sangh

View full book text
Previous | Next

Page 497
________________ અધિકરણ (શસ્ત્ર વગેરે સાધનોના કારણે પણ કર્મબંધમાં અંતર હોય છે. જેમ હત્યાચોરી વગેરે અશુભ અને પર-રક્ષણ વગેરે શુભ કાર્ય કરનાર બે મનુષ્યોમાંથી એકની પાસે અધિકરણ (શસ્ત્ર) ઉગ્ર હોય અને બીજાના પાસે સાધારણ હોય, તો સામાન્ય શસ્ત્રધારીની અપેક્ષા ઉગ્ર શસ્ત્રધારીનું કર્મબંધ તીવ્ર હોવું સંભવ છે, કારણ કે ઉગ્ર શસ્ત્રના સન્નિધાનથી એમાં તીવ્ર આવેશ રહે છે. ઉક્ત રીતિથી તીવ્ર ભાવ, મંદભાવ, જ્ઞાતભાવ, અજ્ઞાતભાવ, વિર્ય અને અધિકરણના ભેદથી કર્મબંધમાં વિશેષતા હોવાનું કથન કરવામાં આવ્યું છે. આચાર્ય ઉમાસ્વાતિએ ‘તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે - तीव्रमन्द ज्ञाताज्ञात भाववीर्याधिकरण विशेषेभ्यस्तद्विशेषः । - તત્વાર્થ, અધ્યાય-૬, સૂત્ર-૭ બાહ્ય આસવની સમાનતા હોવા છતાંય કર્મબંધમાં અસમાનતાના કારણે રૂપમાં ઉક્ત સૂત્રમાં વિર્ય, અધિકરણ વગેરેની વિશેષતાનું કથન કરવામાં આવ્યું છે, છતાંય કર્મબંધની વિશેષતાનું વિશેષ નિમિત્ત કાષાયિક પરિણામની તીવ્રમંદ ભાવ જ છે. જાણી જોઈને પાપપ્રવૃત્તિ, શક્તિની અધિકતા અને શસ્ત્ર ઉગ્રતાના કારણે કર્મબંધમાં જે વિશેષતા બતાવવામાં આવી છે, એનું મૂળ કારણ કાષાયિક પરિણામની તીવ્રતા-મંદતા જ છે. અર્થાત્ કર્મબંધનો બધો આધાર અધ્યવસાયો પર, કાષાયિક પરિણામોની તીવ્રતા-મંદતા પર અવલંબિત છે. ઉક્ત ભાવની પુષ્ટિ આગમમાં નીચે લખેલા પાઠથી સારી રીતે થઈ જાય છે. _ 'जे आसवा ते परिस्सवा, जे परिस्सवा ते आसवा, जे अणासवा ते अपरिस्सवा, जे अपरिस्सवा ते अणासवा ।' - આચારાંગ સૂત્ર, અધ્ય-૪, ઉદ્દેશક-ર જે આસવ(કર્મ બંધન)ના હેતુ છે, તે કર્મની નિર્જરાના હેતુ પણ હોઈ કે છે, જે કર્મની નિર્જરાના હેતુ છે, તે કર્મ બંધનના હેતુ પણ બની શકે છે. (અથવા જેટલા કર્મ ખપાવવાના હેતુ છે, એટલા જ કર્મ બંધનના હેતુ છે અને જેટલા કર્મબંધનના હેતુ છે, એટલા જ કર્મક્ષયના પણ હેતુ છે.) જે વ્રત વગેરે આસ્રવ રૂપ નથી, તે પણ (અશુભ અધ્યવસાયોથી) નિર્જરાના કારણે નથી થતા અને જે સંવર કે નિર્જરાના કારણ નથી તે પણ કદાચ (શુભ પરિણામોથી) પાપબંધના કારણ નથી થતા. પ્રસ્તુત પાઠમાં આસ્રવ અને નિર્જરા સંબંધિત વિવેચન કરવામાં આવ્યું છે. કર્મબંધન અને નિર્જરાનો મુખ્ય આધાર અધ્યવસાય છે. બાહ્ય કારણો ઉપર કર્મ બંધન કે કર્મ નિર્જરાનો મુખ્ય આધાર અધ્યવસાય છે. બાહ્ય કારણો ઉપર કર્મ બંધન કે કર્મ નિર્જરાનો એટલો આધાર નથી, જેટલો કે પરિણામોની ધારા ઉપર. આ જ કારણ છે કે એક પદાર્થને જોઈને એક વ્યક્તિ અનેક પ્રકારનો વિચાર કરે છે અને બીજી વ્યકિત બીજા પ્રકારનો તથા ત્રીજી વ્યક્તિ ત્રીજા પ્રકારનો વિચાર કરે છે. એક પદાર્થના અવલોકન માટે વિલાસનો પોષક છે. અને એક માટે વૈરાગ્યનો વર્ધક છે. એક પદાર્થ એકના માટે અમૃત છે, એ જ બીજા માટે વિષ છે. જે સ્ત્રી, માળા વગેરે પદાર્થોને જોઈને વિષયાસક્ત જીવ કર્મોનું બંધન કરે છે, એમને (૪૮૦) 00,0000000 જ જિણધામો)

Loading...

Page Navigation
1 ... 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538