________________
પવિયાં ...”
જેમ કે મનુષ્ય એક હોવા છતાં રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી વગેરે પદો ઉપર આસીન થવાથી તેના પર પદવીથી સંબોધિત થાય છે. આ રીતે અહીં મનુષ્યની જેમ સામાન્ય રૂપથી પણ સાધુ છે, પરંતુ “અરિહંત' વગેરે પદની દૃષ્ટિથી તદ્ તદ્ રૂપમાં સંબોધિત કરવામાં આવે છે.
સાધુના અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ - આ ચાર પદોમાં સર્વોત્કૃષ્ટ સાધુ અરિહંત હોય છે અને તે જ ભવ્યોને મોક્ષમાર્ગ પ્રદાન કરે છે. તેથી આ સ્વયમેવ સિદ્ધ થઈ જાય છે કે “થો: માતઃ કા: સાધુમા ” અર્થાત્ સાધુથી જે માર્ગ આવ્યો અથવા સાધુએ જે માર્ગ બતાવ્યો, તે સાધુમાર્ગના રૂપથી પ્રચલિત થયો.
એના સિવાય “આગમોમાં પણ ભગવાનના પ્રવચનને નિગ્રંથના પ્રવચનના નામથી પોકારવામાં આવ્યો છે તથા ભગવાનને પણ “શ્રમણ' શબ્દથી સંબોધિત કર્યા છે - યથા,
"तएणं से सुबाहुकुमारे समणस्स भगवओ महावीरस्स अंतिए धम्म सोच्चा णिसम्म हट्ठतुढे उट्ठाए उठेइ उट्ठिता जाव एवं वयासी-सद्दाहाभि णं भंते ! णिग्गथं
- સુખવિપાક એમાં ભગવાન મહાવીરને “શ્રમણ” કહ્યા છે. સાથે એમના પ્રવચનને નિગ્રંથ પ્રવચન કર્યું છે. ભગવાનની દેશના શ્રવણ કરીને સુબાહુકુમાર ભગવતુવાણી પર શ્રદ્ધાન કરતાં ભગવાનની સમક્ષ જ કહે છે કે - “ભગવાન ! હું નિથ પ્રવચન સાધુ દ્વારા ઉપદિષ્ટ મોક્ષમાર્ગમાં શ્રદ્ધા કરું છું.” એનાથી પણ સાધુમાર્ગ ફલિત થાય છે. આ પ્રકારનો ઉલ્લેખ અન્ય પણ અનેક આગમોમાં પર્યાપ્ત રૂપથી મળે છે. શ્રાવકને પણ ભગવદોપાસક કે જિનોપાસક નથી કહેતાં “શ્રમણોપાસક' કહેવામાં આવ્યા છે. એનાથી પણ સામાર્ગ ધ્વનિત થાય છે. એના સિવાય અર્વાચીન સાહિત્ય - “જૈન ધર્મના પ્રભાવક આચાર્ય” વગેરે ગ્રંથોમાં પણ સાધુ માર્ગને પ્રાચીન તરીકે સ્વીકાર કર્યો છે.
સાધુ માર્ગની પ્રાચીનતા જાણી લેવાથી આ જિજ્ઞાસા પ્રસ્ફટિતુ થવી સ્વાભાવિક છે કે આજે તો દિગંબર, શ્વેતાંબર વગેરે અનેક સંપ્રદાયો દષ્ટિગત થાય છે. એમનો આવિર્ભાવ ક્યારે અને કેવી રીતે થયો? એ વિષયક વિસ્તૃત જાણકારી જૈન ધર્મના મૌલિક ઈતિહાસ’ વગેરેથી કરી શકાય છે. પરંતુ જિજ્ઞાસા શમનાર્થ સંક્ષિપ્ત જાણકારી પ્રસ્તુત કરવી અપ્રાસંગિક નહિ ગણાય.
પ્રભુ મહાવીરની જન્મરાશિ પર ભષ્પગ્રહ તથા પંચમ કાળના પ્રભાવથી એમાં ઉતારચડાવ હોવો સ્વાભાવિક હતું. આ પ્રસંગને લઈને “કલ્પસૂત્ર'માં બતાવવામાં આવ્યું છે કે નિગ્રંથ - નિગ્રંથીઓના પૂજા સત્કાર ઉદય-ઉદય નહિ થાય.”
"जप्पभिइं चणं से खुदाए भासरासी महग्गए दो वास सहस्सठिई समणस्स भगवओ महावीरस्स जन्म नक्खत सकते तप्पभिई च, णं समणाणं णिग्गंथाणं निग्गंथीणय नो उदिए उदिए पूजा सक्कारे पवत्तइ ।"
- કલ્પસૂત્ર પ્રભુ મહાવીરના નિર્વાણોપરાંત છસો વર્ષો સુધી સાધુમાર્ગનિરાબાધ ગતિથી ચાલી રહ્યો હતો, પરંતુ વીર નિર્વાણની સાતમી શતાબ્દીમાં આ સાધુમાર્ગમાંથી એકાંત માન્યતાના કારણે એક શાખા ઉત્સર્પિણી કાળ
(૪૦)