________________
से णं भंते ! उद्गावत्तं वा उद्गबिंदु वा ओगाहेज्जा ? हंता ओगाहेज्जा । से णं तत्थ कुच्छेज्ज वा परियावज्जेज्जवा ? नो इणद्वे समढे, नो खलु तत्थ सत्थं कमइ ।
सत्थेण सुतिक्खेण, वि छित्तुं भेत्तुं च जं । किर न सक्का तं परमाणुं सिद्धा वयंति ।
- ભગવતી, શતક-૧૬, ઉ.-૮ પ્રશ્ન : પરમાણુ કોને કહે છે ?
જવાબ : પરમાણુ બે પ્રકારના છે - સૂક્ષ્મ અને વ્યાવહારિક, સૂક્ષ્મ પરમાણુ સ્થાપ્ય (ઠપ્પ) છે અર્થાત્ વ્યાખ્યાની અયોગ્ય છે. અનંતાનંત સૂક્ષ્મ પરમાણુઓના સમુદાયોના સમ્મિલનથી એક વ્યાવહારિક પરમાણુ થાય છે. પ્રશ્ન : હે ભગવાન ! શું તે વ્યાવહારિક પરમાણુ તલવારની ધાર કે છરા(અસ્ત્રા)ની ધાર
પર સ્થિત રહી શકે છે ? જવાબ : હા, સ્થિત રહી શકે છે. પ્રશ્ન : શું તે એનાથી કપાઈ શકે છે, છિન્ન-ભિન્ન થઈ શકે છે?
જવાબ : ના, એવું નથી થઈ શકતું. એના ઉપર કોઈ શસ્ત્ર નથી ચાલી શકતું અર્થાત્ એના પર કોઈ શસ્ત્રનો કોઈ પ્રભાવ પડી શકતો નથી. પ્રશ્ન : શું તે વ્યાવહારિક પરમાણુ અગ્નિની વચ્ચેથી નીકળી શકે છે?
જવાબ : હા, નીકળી શકે છે. પ્રશ્ન : શું તે અગ્નિ દ્વારા સળગાવી શકાય છે ?
જવાબ : ના, અગ્નિ એને નથી સળગાવી શકતી. તેના પર કોઈ શસ્ત્રનો પ્રભાવ નથી પડતો. પ્રશ્ન : ભગવાન ! શું તે વ્યાવહારિક પરમાણુ પુષ્કર સંવર્તક મહામેઘની વચ્ચે થઈને
નીકળી શકે છે ? જવાબ : હા, નીકળી શકે છે. પ્રશ્ન : શું છે એ મહામેઘના પાણીથી આÁ થઈ શકે છે ?
જવાબ ઃ ના, એ શક્ય નથી, તેના પર કોઈ શસ્ત્ર ચાલતું નથી. પ્રશ્ન : ભગવાન ! શું તે ગંગા મહાનદીના પ્રતિકૂળ પ્રવાહમાં થઈને બહાર નીકળી
શકે છે ? જવાબ હા, બહાર નીકળી શકે છે. પ્રશ્ન : શું તે એનાથી પ્રતિઘાતને પ્રાપ્ત કરે છે?
જવાબ : ના, તે પ્રતિઘાતને પ્રાપ્ત નથી કરતો. તેના પર શસ્ત્રનો પ્રભાવ નથી પડતો. (૪૩૪) 000 000 000 000 જિણધામો)