SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ से णं भंते ! उद्गावत्तं वा उद्गबिंदु वा ओगाहेज्जा ? हंता ओगाहेज्जा । से णं तत्थ कुच्छेज्ज वा परियावज्जेज्जवा ? नो इणद्वे समढे, नो खलु तत्थ सत्थं कमइ । सत्थेण सुतिक्खेण, वि छित्तुं भेत्तुं च जं । किर न सक्का तं परमाणुं सिद्धा वयंति । - ભગવતી, શતક-૧૬, ઉ.-૮ પ્રશ્ન : પરમાણુ કોને કહે છે ? જવાબ : પરમાણુ બે પ્રકારના છે - સૂક્ષ્મ અને વ્યાવહારિક, સૂક્ષ્મ પરમાણુ સ્થાપ્ય (ઠપ્પ) છે અર્થાત્ વ્યાખ્યાની અયોગ્ય છે. અનંતાનંત સૂક્ષ્મ પરમાણુઓના સમુદાયોના સમ્મિલનથી એક વ્યાવહારિક પરમાણુ થાય છે. પ્રશ્ન : હે ભગવાન ! શું તે વ્યાવહારિક પરમાણુ તલવારની ધાર કે છરા(અસ્ત્રા)ની ધાર પર સ્થિત રહી શકે છે ? જવાબ : હા, સ્થિત રહી શકે છે. પ્રશ્ન : શું તે એનાથી કપાઈ શકે છે, છિન્ન-ભિન્ન થઈ શકે છે? જવાબ : ના, એવું નથી થઈ શકતું. એના ઉપર કોઈ શસ્ત્ર નથી ચાલી શકતું અર્થાત્ એના પર કોઈ શસ્ત્રનો કોઈ પ્રભાવ પડી શકતો નથી. પ્રશ્ન : શું તે વ્યાવહારિક પરમાણુ અગ્નિની વચ્ચેથી નીકળી શકે છે? જવાબ : હા, નીકળી શકે છે. પ્રશ્ન : શું તે અગ્નિ દ્વારા સળગાવી શકાય છે ? જવાબ : ના, અગ્નિ એને નથી સળગાવી શકતી. તેના પર કોઈ શસ્ત્રનો પ્રભાવ નથી પડતો. પ્રશ્ન : ભગવાન ! શું તે વ્યાવહારિક પરમાણુ પુષ્કર સંવર્તક મહામેઘની વચ્ચે થઈને નીકળી શકે છે ? જવાબ : હા, નીકળી શકે છે. પ્રશ્ન : શું છે એ મહામેઘના પાણીથી આÁ થઈ શકે છે ? જવાબ ઃ ના, એ શક્ય નથી, તેના પર કોઈ શસ્ત્ર ચાલતું નથી. પ્રશ્ન : ભગવાન ! શું તે ગંગા મહાનદીના પ્રતિકૂળ પ્રવાહમાં થઈને બહાર નીકળી શકે છે ? જવાબ હા, બહાર નીકળી શકે છે. પ્રશ્ન : શું તે એનાથી પ્રતિઘાતને પ્રાપ્ત કરે છે? જવાબ : ના, તે પ્રતિઘાતને પ્રાપ્ત નથી કરતો. તેના પર શસ્ત્રનો પ્રભાવ નથી પડતો. (૪૩૪) 000 000 000 000 જિણધામો)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy