________________
शुभानुबन्ध्यतः, पुण्यं कर्तव्यं सर्वथा नरैः । यत्प्रभावादपातिन्यो जायन्ते सर्व सम्पदः ॥५॥ सदागम विशुद्धेन, क्रियते तत्र चेतसा । एतंच ज्ञानवृद्धेभ्यो जायते नान्यतः क्वचित् ॥६॥ चित्तरत्नमसंक्लिष्ट मान्तरं धनमुच्यते । यस्य तन्मुषितं दौषेस्तस्य शिष्टा विपत्तयः ॥७॥ दया भूतेषु वैराग्यं, विधिवद् गुरु पूजनम् ।
विशुद्धा शील वृत्तिश्च पुण्यं पुण्यानुबन्ध्यदा ॥८॥ અર્થાતુ મનુષ્યો હંમેશાં શુદ્ધ સાધ્ય માટે પણ પુણ્યાનુબંધી પુણ્યનું આચરણ કરવું જોઈએ. કારણ કે એના માધ્યમથી નર શાશ્વત-અમર-નિર્વાણ તથા અવિનશ્વર સ્વરૂપને પ્રાપ્ત કરી શકે છે. ૫
જ્ઞાન વૃદ્ધ શ્રુત સ્થવિરોના સમ્યક ઉપાસનાના કારણે પ્રાપ્ત વિશુદ્ધ આગમના જ્ઞાન દ્વારા જેનું ચિત્ત નિર્મળ થઈ ગયું છે, એ જ વ્યક્તિ પુણ્યાનુબંધી પુણ્યનું અનુષ્ઠાન કરી શકે છે. ૬
ચિત્ત રત્નની નિર્મળતા જ આભ્યતર ધન કહેવામાં આવે છે. જેના નિર્મળ ચિત્તરૂપી રત્ન દોષોના દ્વારા ચોરી લીધું હોય, એના માટે માત્ર વિપત્તિઓ જ બચેલી રહે છે. ૭
બધા જીવો ઉપર દયા કરવી, વૈરાગ્યભાવ ધારણ કરવો (રાગ-દ્વેષ રહિતતા), વિધિપૂર્વક ગુરુની ઉપાસના કરવી, નિરતિચાર વ્રતોનું પાલન કરવું વગેરે પુણ્યાનુબંધી પુણ્યબંધના ઉપાય છે. ૮ પુણ્યની ૪૨ પ્રકૃતિઓઃ
પુણ્ય પૂર્વોક્ત અન્નપુણે વગેરે નવ પ્રકારથી બાંધવામાં આવે છે અને નિમ્નોક્ત ૪૨ શુભ પ્રકૃતિઓના રૂપમાં ભોગવવામાં આવે છે. આ ૪૨ શુભ કર્મ પ્રકૃતિઓને જ પુણ્ય પ્રકૃતિના રૂપમાં ઓળખવામાં આવે છે -
सायं, उच्चागोयं, नर-तिरि-देवाउयाइं तह णामे । देवदुगं मणुयदुगं पणिंद जाइय तणुपणगं ॥ अंगोवंगाण तिगं पढ़मं संघयण वज्जरिसह नारायं । पढमं चिय संठाणं वण्णाइ चउक्क सुपसत्थं ॥ अगुरुलहु पराघायं उस्सासं आयवं च उज्जोए । सुपसत्था विहगगइ तसाइदसगं य निम्माणं ॥ तित्थयरेणं सहिया बायाला पुण्णपगइओ ॥
- સ્થાનાંગ ટીકા, સ્થાન-૧, પૃ-૧૫ ( પુણ્ય તત્ત્વઃ એક પરિશીલન છે છે
૪૫૩)