________________
પ્રશ્ન : શું તે પરમાણુ જલબિંદુઓમાં પેસી શકે છે?
જવાબ : હા, પેસી શકે છે. પ્રશ્ન : શું તે એનાથી સડન-ગલન પ્રાપ્ત કરે છે ?
જવાબ : ના, એવું નથી થતું. તેના પર કોઈ શસ્ત્રનો કોઈ પ્રભાવ નથી પડતો.
જે તીક્ષ્ણથી તીક્ષ્ણ શસ્ત્રથી પણ છેદન-ભેદનને પ્રાપ્ત નથી થતો, તેને કેવળજ્ઞાનીઓએ વ્યાવહારિક પરમાણુ કહ્યો છે. પરમાણુના સ્વરૂપને નીચેના શ્લોકમાં સુસ્પષ્ટ કરવામાં આવ્યું છે .
कारणमेव तदन्त्यं, सूक्ष्मो नित्यश्च भवति परमाणु ।
एक रस वर्ण गन्धो, द्विस्पर्शः कार्यलिंगश्च ॥ અર્થાત્ : પરમાણુ યણુક ચણક વગેરે સ્કન્ધોના કારણે હોય છે, પરંતુ એનું કોઈ કારણ નથી હોતું. તે સૂક્ષ્મ અને નિત્ય હોય છે, એના દ્વારા નિષ્પન્ન કાર્યોથી એની ઓળખ થાય છે. એમાં એક રસ, એક વર્ણ, એક ગંધ અને બે સ્પર્શ જોવા મળે છે. અભવ્યરાશિથી અનંત ગુણ વધુ અને સિદ્ધ રાશિથી અનંતમાં ભાગ ઓછા પરમાણુઓનો જે સ્કન્ધ બને છે, એ જ જીવ દ્વારા ગ્રહણ કરવા યોગ્ય હોય છે.
એવા અનંત પુદ્ગલ સ્કન્ધોથી કર્મ-વર્ગણા બને છે અને અનંત કર્મ-વર્ગણાઓથી કર્મ પ્રકૃતિ બને છે. આ રીતે જેટલા પુલ આત્મસંયોગી છે, તે મિશ્રણા” પુદ્ગલ કહેવાય છે. આત્માથી સંબદ્ધ હોવા છતાંય જે પુદ્ગલ અલગ થઈ ગયા છે, તે પ્રયોગ-સા પુદ્ગલ કહેવાય છે અને જે પુગલોનો આત્મા સાથે સંબંધ નથી થયો તે વિસ્ત્રસા પુદ્ગલ કહેવાય છે. એ ત્રણેય પ્રકારના પુગલ દ્વિપ્રદેશી આદિ સ્કધ અને પરમાણુ સંપૂર્ણ લોકમાં અનંતાનંત છે. તેથી પુગલોના ભેદ પણ અનંતાનંત છે. પુદ્ગલોનું કાર્ય - પુલોના વિવિધ પરિણમન હોય છે, તેથી એમનાં કાર્ય પણ અનેક પ્રકારનાં છે. એમાંથી કેટલાકનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. “તત્ત્વાર્થ સૂત્ર'માં પુગલોના કાર્ય આ પ્રમાણે બતાવવામાં આવ્યાં છે - 'शरीर वांगमनः प्राणापानाः पुद्गलानाम् ।'
वितमरणोपग्रहाश्च' ..
- તત્ત્વાર્થ સૂત્ર, અ-૫, સૂ-૧૯-૨૦ શરીર, વાણી, મન, નિશ્વાસ-ઉચ્છવાસ એ પુગલોનો ઉપકાર છે. સુખ-દુઃખ, જીવન અને મરણ પણ પુદ્ગલોના ઉપકાર છે.
શરીર : પુદ્ગલોના જીવો પર વિવિધ પ્રકારના અનુગ્રહ-નિગ્રહ થાય છે. ઔદારિક વગેરે બધાં શરીર પૌગલિક જ છે. કાર્પણ-શરીર અતીન્દ્રિય છે, પરંતુ તે ઔદારિક વગેરે Kઅજીવ તત્વ - જડ દ્રવ્યો
છેજે
ર૪૩૫)