________________
સંસ્થાન સંસ્થાન બે રીતના છે - (૧) ઈત્યંત્વ અને (૨) અનિત્યંત્વ. જે આકારની કોઈની સાથે તુલના કરી શકાય તે ઇન્ધત્વ છે અને જેની તુલના ન કરી શકાય તે અનિત્યંત્વ છે. વરસાદ વગેરેનું સંસ્થાન અનિયંત્વ છે, કારણ કે અનિયતાકાર હોવાથી કોઈ એક પ્રકારથી એનું નિરૂપણ નથી કરી શકાતું. અન્ય પદાર્થોનું સંસ્થાન ઇત્યંત્વરૂપ છે. જેમ દડો, શિંગોડું વગેરે. ગોળ, ત્રિકોણ, ચતુષ્કોણ, દીર્ઘ, પરિમંડળ (વલયાકાર) વગેરે રૂપમાં ઇત્યંત રૂપ સંસ્થાનના અનેક ભેદ છે.
ભેદ : સ્કન્ધ રૂપમાં પરિણત પુગલપિંડના વિભાગ હોવા ભેદ છે. એના પાંચ પ્રકાર છે - (૧) આકરિક : ચીરવાથી કે ખોદવાથી થનારું લાકડી, પથ્થર વગેરેનું ભેદન. (૨) ચૌણિક કણ-કણ રૂપમાં ચૂર્ણ થઈ જવું, જેમ કે સન્તુ લોટ વગેરે. (૩) ખંડ: ટુકડાટુકડા થઈને તૂટી જવું, જેમ કે ઘડાના કપાલ (ઠીકરાં) વગેરે. (૪) પ્રતર : આવરણ કે રેસા કાઢવા. જેમ કે અભ્રક, ભોજપત્ર વગેરે. (૫) અનુતટ : છાલ કાઢવી, જેમ કે વાંસ, શંખ વગેરે.
તમ ઃ અંધકાર યુગલોનું કાર્ય છે. તે પ્રકાશનું અભાવાત્મક રૂપ નથી, પણ કૃષ્ણવર્ણ વગેરે વાળા પુગલોનું પિંડ છે. નૈયાયિક વગેરે દર્શન તમને પ્રકાશનો અભાવ માત્ર માને છે. એનું ખંડન આ વિધાન દ્વારા થાય છે.
છાયા : પ્રકાશ પર આવરણ આવી જવાથી છાયા થાય છે. તેના બે પ્રકાર છે - (૧) દર્પણ વગેરે સ્વચ્છ પદાર્થોમાં સ્પષ્ટ દેખાતું બિંબ અને (૨) અસ્વચ્છ વસ્તુઓ પર પડનારો પડછાયો પ્રતિબિંબ રૂપ છાયા છે. છાયા પણ પુગલોનું કાર્ય છે. પ્રકારનો અભાવમાત્ર નથી, જેમ કે નૈયાયિક વગેરે દર્શન માને છે.
આતપ-ઉધોત : સૂર્ય વગેરેનો ઉષ્ણ પ્રકાશ આતપ છે અને ચંદ્રમણિ ખદ્યોત વગેરેનો શીતળ પ્રકાશ ઉદ્યોત છે. સ્પર્શ વગેરે તથા શબ્દ વગેરે ઉપર્યુક્ત બધા પર્યાય પુદ્ગલનું કાર્ય હોવાથી પૌલિક છે. પુદ્ગલના મુખ્ય પ્રકાર :
સમસ્ત પુદ્ગલ રાશિનો બે ભાગમાં સમાવેશ થઈ જાય છે, તે છે પરમાણુ અને સ્કધ.
પરમાણુ કારણ રૂપ છે, કાર્યરૂપ નથી. તે અંત દ્રવ્ય છે - તે નિત્ય, સૂક્ષ્મ અને એક રસ, એક ગંધ, એક વર્ણ અને બે સ્પર્શથી યુક્ત હોય છે. તે અતીન્દ્રિય છે, અને એના કાર્યથી તેની ઓળખ થાય છે. પરમાણુનો કોઈ વિભાગ નથી થઈ શકતો, તેથી એનો આદિ, મધ્ય અને અંત તે સ્વયં જ હોય છે. પરમાણુ અબદ્ધ (અસમુદાય રૂ૫) હોય છે.
સ્કન્ધ : બીજા પ્રકારનું પુગલ-દ્રવ્ય સ્કન્ધ છે. બધા સ્કન્ધ બદ્ધ-સમુદાય રૂપ હોય છે અને તે પોતાના કારણ-દ્રવ્યની અપેક્ષાથી કાર્ય-દ્રવ્ય રૂપ અને કાર્ય-દ્રવ્યની અપેક્ષાથી કારણ-દ્રવ્ય રૂપ હોય છે. જેમ કે ઢિપ્રદેશ વગેરે (આદિ) સ્કન્ધ પરમાણુ વગેરે આદિનું કાર્ય છે અને ત્રિપ્રદેશ આદિના કારણે છે.
સ્કન્ધ-દ્રવ્યની ઉત્પત્તિ ત્રણ પ્રકારથી થાય છે - કોઈ સ્કન્ધ સંઘાત(એકત્વ-પરિણતિ)થી ઉત્પન્ન થાય છે. કોઈ ભેદથી અને કોઈ એક સાથે ભેદ સંઘાતથી. જ્યારે અલગ-અલગ સ્થિતિ (૪૪૦) જે
જિણધમો)