________________
પર સ્થિર રહે છે. એમનો કોઈ સ્કધ નથી બનતો. આ કારણે એમાં તિર્યક-પ્રચય (સ્કધ) હોવાની શક્તિ નથી. તેથી કાળ-દ્રવ્યને અસ્તિકામાં નથી ગણ્યો. તિર્યક-પ્રચય ન હોવા છતાંય ઊર્ધ્વ-પ્રચય છે. એનાથી પ્રત્યેક કાલાણુમાં (કાળ અણુમાં) હંમેશાં પર્યાય થયા કરે છે. એ જ પર્યાય “સમય” કહેવાય છે. એક-એક કાળ અણુના અનંત સમય-પર્યાય સમજવા જોઈએ. સમય-પર્યાય જ અન્ય દ્રવ્યોના પર્યાયોનું નિમિત્ત કારણ છે. નવીનતા-પુરાણતા, જ્યેષ્ઠતા-કનિષ્ઠતા વગેરે બધી અવસ્થાઓ કાળ અણુના સમય પ્રવાહના કારણે જ સમજવી જોઈએ. પુદ્ગલ પરમાણુને લોકાકાશના એક પ્રદેશથી બીજા પ્રદેશ સુધી મંદગતિથી જવામાં જેટલો સમય લાગે છે, એટલા સમયમાં કાળ-અણુનો એક સમય-પર્યાય વ્યક્ત થાય છે. અર્થાત્ સમય-પર્યાય અને એક પ્રદેશથી બીજા પ્રદેશ સુધીની પરમાણુની મંદ ગતિ, આ બંનેનું પરિમાણ બરાબર છે. આ મંતવ્ય દિગંબર ગ્રંથોમાં છે. વસ્તુ-સ્થિતિ શું છે??
નિશ્ચય દૃષ્ટિથી જોવા જઈએ તો કાળને અલગ દ્રવ્ય માનવાની કોઈ જરૂર નથી. એને જીવાજીવના પર્યાયરૂપ માનવાથી જ બધાં કાર્ય તથા બધા વ્યવહાર ઉત્પન્ન થઈ જાય છે. તેથી એ જ પક્ષ તાત્ત્વિક છે, અન્ય પક્ષ વ્યાવહારિક તથા ઔપચારિક છે. કાળને મનુષ્ય ક્ષેત્ર પ્રમાણ માનવાનો પક્ષ સ્થૂળ લોકવ્યવહાર પર નિર્ભર છે અને એને અણુરૂપ માનવાનો પક્ષ ઔપચારિક છે. એવો સ્વીકાર ન કરવામાં આવે તો પ્રશ્ન થાય છે કે જ્યારે મનુષ્ય ક્ષેત્રથી બહાર પણ નવત્વ પુરાણત્વ વગેરે ભાવ થાય છે ત્યારે પછી કાળને મનુષ્ય ક્ષેત્રમાં જ કેવી રીતે માની શકાય છે ?
બીજું, એ માનવામાં શું યુક્તિ છે કે કાળ જ્યોતિષ ચક્રના સંચારની અપેક્ષા રાખે છે. જો અપેક્ષા રાખતો પણ હોય તો શું તે લોકવ્યાપી થઈને જ્યોતિષ ચક્રના સંચારની મદદ નથી લઈ શકતો ? તેથી એને મનુષ્ય ક્ષેત્ર પ્રમાણ માનવાની કલ્પના ચૂળ વ્યવહાર પર નિર્ભર છે. કાળને અણુરૂપ માનવાની કલ્પના ઔપચારિક છે. પ્રત્યેક પુગલ પરમાણુની પર્યાયને જ ઉપચારથી કાલાણું સમજવો જોઈએ અને કાલાણુના અપ્રદેશત્વના કથનની સંગતિ આ જ રીતે કરી લેવી જોઈએ. એવું ન માનીને કાલાણુને સ્વતંત્ર માનવામાં પ્રશ્ન એ થાય છે કે જો કાળ સ્વતંત્ર દ્રવ્ય માનવામાં આવે છે, તો પછી તે ધર્માસ્તિકાયની જેમ સ્કન્ધ રૂપ કેમ નથી માનવામાં આવતું ? એના સિવાય એક એ પણ પ્રશ્ન થાય છે કે જીવ-અજીવના પર્યાયમાં તો નિમિત્ત કારણ સમય-પર્યાય છે. પણ સમય-પર્યાયમાં નિમિત્ત કારણ શું છે? જો તે સ્વાભાવિક હોવાથી અન્ય નિમિત્તની અપેક્ષા નથી રાખતો તો પછી જીવ અજીવના પર્યાય પણ સ્વાભાવિક કેમ ન માનવામાં આવે. જો સમય-પર્યાયના માટે અન્ય નિમિત્તની કલ્પના કરવામાં આવે તો અનવસ્થા આવે છે. માટે અણુ પક્ષને ઔપચારિક માનવું જ ઠીક છે. વેદિક દર્શનમાં કાળનું સ્વરૂપ :
વૈદિક દર્શનોમાં પણ કાળના વિશે મુખ્ય બે પક્ષ છે - (૧) વૈશેષિક દર્શન અ.-૨, આ.-૨, સૂ-૬-૧૦ તથા (૨) ન્યાયદર્શન. કાળને સર્વવ્યાપી સ્વતંત્ર દ્રવ્ય માને છે. સાંખ્ય (૪૪૪) જ
છે જિણધમો)