Book Title: Jina Dhammo Part 01
Author(s): Nanesh Acharya
Publisher: Akhil Bharatvarshiya Sadhumargi Jain Sangh

View full book text
Previous | Next

Page 443
________________ અધર્મ-દ્રવ્ય (Medium of rest for soul and matter) : પ્રોફેસર એ. ચક્રવર્તીએ “પંચાસ્તિકાયસારના દાર્શનિક પચિરય”માં પૃષ્ઠ ૨૬-૨૭ ઉપર લખ્યું છે - “જૈન વિચારક પ્રસંગને અનુરૂપ એ પ્રશ્ન કરે છે કે અણુ-પરમાણુ (Atoms) એક સાથે મળીને સંસારમાં લોક(Universe)માં જ મહાઔધનું નિર્માણ કેમ કરે છે ? તેઓ મહાસ્કન્ધથી હટીને કે વિખરાઈને અનંત આકાશ (Infinite space) અથવા અલોક-આકાશમાં કેમ નથી જતા ?” એનાથી એ સ્પષ્ટ થાય છે કે લોક આકાશ(Finite space)ના આગળ સંસાર (Universe) નથી. વાસ્તવિક સત્ય એ છે કે લોકનું નિર્માણ સ્થાયી છે. માટે લોક ક્રમબદ્ધ કે નિયમબદ્ધ છે. એમાં અન્ય દ્રવ્યોની ઉપસ્થિતિ એ વાતનો સંકેત છે કે એમાં પરસ્પર સંઘર્ષ નથી, અથવા તે એકબીજાના અવરોધક નથી, જે એ વાતનું પ્રમાણ આપે છે કે લોકનું માળખું સ્થાયી છે. આ એક સૈદ્ધાંતિક સત્ય-તથ્ય છે કે લોકના મધ્યમાં ગતિશીલ અણુ, દ્રવ્યની શક્તિના સિદ્ધાંતથી આબદ્ધ છે. આ દ્રવ્ય-શક્તિ ગતિમાન અણુને સંસારમાં જ રોકી શકે છે, બહાર જવા દેતી નથી. આ શક્તિને કે દ્રવ્ય(Substance)ને અધર્મ-દ્રવ્ય (Medium of rest for soul and matter) કહેવામાં આવ્યું છે. અધર્મ-દ્રવ્ય અને ગુરવ આકર્ષણ (Gravitation): ઇથરની શોધ પછી પણ વૈજ્ઞાનિકોની સમસ્યાનો ઉકેલ ન આવ્યો. એમની સામે એ સમસ્યા હતી જ કે પદાર્થ કઈ શક્તિથી આકર્ષિત થઈને પૃથ્વીની તરફ આવે છે અને ગ્રહ, નક્ષત્ર તથા તારા વગેરે કયા આકર્ષણના કારણે સૂર્યના ચારેય તરફ ફરે છે. આ આકર્ષણશક્તિ (Cementry force) શું છે ? આ અન્વેષણના પરિણામ સ્વરૂપ જે સમાધાન સામે આવ્યું છે, તેને વિજ્ઞાનમાં Therory of gravitation ગુરુત્વ આકર્ષણનો સિદ્ધાંત માનવામાં આવ્યો છે. ન્યૂટને Letters to Bentley' પુસ્તકમાં આના વિશે લખ્યું છે - “પદાર્થો માટે ગુરુત્વ આકર્ષણ આવશ્યક તથા સ્વાભાવિક કે અંતવર્તી શક્તિ છે. પદાર્થ અને આ શક્તિનો શું સંબંધ છે ? આને સ્પષ્ટ કરવા માટે મને પૂછો. ગુરુત્વ-આકર્ષણનું સાચું કાર્ય શું-શું છે, એને હું જાણું છું - એવું કહેવાનું હું સાહસ નહિ કરીશ. આના પર ચિંતન કરવા માટે હજુ પર્યાપ્ત સમય જોઈએ. છતાંય એટલું તો કહીશ કે ગુરુત્વ-આકર્ષણ થોડું સ્થિર અને નિશ્ચલ સાધનોનું માધ્યમ છે, જે નિશ્ચિત નિયમોથી આબદ્ધ છે. એ સાધનો ભૌતિક છે કે અભૌતિક, તે હું પાઠકોના વિચાર-વિમર્શ કરવા માટે છોડી દઉં છું.” ન્યૂટન એ નિશ્ચય નહોતો કરી શક્યો કે - “આ શક્તિ ભૌતિક છે કે અભૌતિક. - પરંતુ પદાર્થોના નીચે પડવા, રોકાવા તથા ચંદ્ર વગેરેનો ચારેય તરફ ચક્કર લગાવવા વગેરે ગુરુત્વાકર્ષણને તે માધ્યમ સ્વીકાર કરે છે.” ન્યૂટનનું કહેવું છે કે - આકર્ષણની શક્તિના કારણે બે પદાર્થોમાં જે સીધું પરિવર્તન થાય છે, તે એમના પુંજ (માત્રા) કે સમૂહ ઉપર નિર્ભર છે. ક્યારેક-ક્યારેક પદાર્થોનો આકાર એ જ રહે છે, પરંતુ અંતરના કારણે પણ એમાં થોડું અંતર આવે છે.” એ યુગના વૈજ્ઞાનિકોનું એ માનવું હતું કે - “ગુરુત્વાકર્ષણ પદાર્થોને પોતાના તરફ ખેંચે છે. ન્યૂટનના (૪૨૬)00000000000000 { જિણધમો)

Loading...

Page Navigation
1 ... 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538