________________
અધર્મ-દ્રવ્ય (Medium of rest for soul and matter) :
પ્રોફેસર એ. ચક્રવર્તીએ “પંચાસ્તિકાયસારના દાર્શનિક પચિરય”માં પૃષ્ઠ ૨૬-૨૭ ઉપર લખ્યું છે - “જૈન વિચારક પ્રસંગને અનુરૂપ એ પ્રશ્ન કરે છે કે અણુ-પરમાણુ (Atoms) એક સાથે મળીને સંસારમાં લોક(Universe)માં જ મહાઔધનું નિર્માણ કેમ કરે છે ?
તેઓ મહાસ્કન્ધથી હટીને કે વિખરાઈને અનંત આકાશ (Infinite space) અથવા અલોક-આકાશમાં કેમ નથી જતા ?” એનાથી એ સ્પષ્ટ થાય છે કે લોક આકાશ(Finite space)ના આગળ સંસાર (Universe) નથી. વાસ્તવિક સત્ય એ છે કે લોકનું નિર્માણ સ્થાયી છે. માટે લોક ક્રમબદ્ધ કે નિયમબદ્ધ છે. એમાં અન્ય દ્રવ્યોની ઉપસ્થિતિ એ વાતનો સંકેત છે કે એમાં પરસ્પર સંઘર્ષ નથી, અથવા તે એકબીજાના અવરોધક નથી, જે એ વાતનું પ્રમાણ આપે છે કે લોકનું માળખું સ્થાયી છે. આ એક સૈદ્ધાંતિક સત્ય-તથ્ય છે કે લોકના મધ્યમાં ગતિશીલ અણુ, દ્રવ્યની શક્તિના સિદ્ધાંતથી આબદ્ધ છે. આ દ્રવ્ય-શક્તિ ગતિમાન અણુને સંસારમાં જ રોકી શકે છે, બહાર જવા દેતી નથી. આ શક્તિને કે દ્રવ્ય(Substance)ને અધર્મ-દ્રવ્ય (Medium of rest for soul and matter) કહેવામાં આવ્યું છે. અધર્મ-દ્રવ્ય અને ગુરવ આકર્ષણ (Gravitation):
ઇથરની શોધ પછી પણ વૈજ્ઞાનિકોની સમસ્યાનો ઉકેલ ન આવ્યો. એમની સામે એ સમસ્યા હતી જ કે પદાર્થ કઈ શક્તિથી આકર્ષિત થઈને પૃથ્વીની તરફ આવે છે અને ગ્રહ, નક્ષત્ર તથા તારા વગેરે કયા આકર્ષણના કારણે સૂર્યના ચારેય તરફ ફરે છે. આ આકર્ષણશક્તિ (Cementry force) શું છે ? આ અન્વેષણના પરિણામ સ્વરૂપ જે સમાધાન સામે આવ્યું છે, તેને વિજ્ઞાનમાં Therory of gravitation ગુરુત્વ આકર્ષણનો સિદ્ધાંત માનવામાં આવ્યો છે. ન્યૂટને Letters to Bentley' પુસ્તકમાં આના વિશે લખ્યું છે - “પદાર્થો માટે ગુરુત્વ આકર્ષણ આવશ્યક તથા સ્વાભાવિક કે અંતવર્તી શક્તિ છે. પદાર્થ અને આ શક્તિનો શું સંબંધ છે ? આને સ્પષ્ટ કરવા માટે મને પૂછો. ગુરુત્વ-આકર્ષણનું સાચું કાર્ય શું-શું છે, એને હું જાણું છું - એવું કહેવાનું હું સાહસ નહિ કરીશ. આના પર ચિંતન કરવા માટે હજુ પર્યાપ્ત સમય જોઈએ. છતાંય એટલું તો કહીશ કે ગુરુત્વ-આકર્ષણ થોડું સ્થિર અને નિશ્ચલ સાધનોનું માધ્યમ છે, જે નિશ્ચિત નિયમોથી આબદ્ધ છે. એ સાધનો ભૌતિક છે કે અભૌતિક, તે હું પાઠકોના વિચાર-વિમર્શ કરવા માટે છોડી દઉં છું.” ન્યૂટન એ નિશ્ચય નહોતો કરી શક્યો કે - “આ શક્તિ ભૌતિક છે કે અભૌતિક. - પરંતુ પદાર્થોના નીચે પડવા, રોકાવા તથા ચંદ્ર વગેરેનો ચારેય તરફ ચક્કર લગાવવા વગેરે ગુરુત્વાકર્ષણને તે માધ્યમ સ્વીકાર કરે છે.”
ન્યૂટનનું કહેવું છે કે - આકર્ષણની શક્તિના કારણે બે પદાર્થોમાં જે સીધું પરિવર્તન થાય છે, તે એમના પુંજ (માત્રા) કે સમૂહ ઉપર નિર્ભર છે. ક્યારેક-ક્યારેક પદાર્થોનો આકાર એ જ રહે છે, પરંતુ અંતરના કારણે પણ એમાં થોડું અંતર આવે છે.” એ યુગના વૈજ્ઞાનિકોનું એ માનવું હતું કે - “ગુરુત્વાકર્ષણ પદાર્થોને પોતાના તરફ ખેંચે છે. ન્યૂટનના
(૪૨૬)00000000000000 { જિણધમો)