________________
આકાશાસ્તિકાય ?
આકાશ-દ્રવ્યના અસ્તિત્વને બધા દર્શનકારોએ સ્વીકાર કર્યો છે. આકાશનું લક્ષણ છે - 'आकाशस्यावगाहः'
- તત્ત્વાર્થ સૂત્ર, અ-૧, સૂ-૧૮ અવગાહ પ્રદાન કરવું - સ્થાન આપવું આકાશનું લક્ષણ છે. જેમ દૂધ ખાંડને અવગાહ આપે છે અથવા દીવાલ પૂંટીને અવગાહ આપે છે. આ બધાં દ્રવ્યોનો આધાર છે. અન્ય બધાં દ્રવ્યો આધેય છે અને આકાશ-દ્રવ્ય બધાં દ્રવ્યોનો આધાર છે. આ વ્યવહાર નયની દૃષ્ટિથી છે. નિશ્ચય નયની દૃષ્ટિથી તો બધાં દ્રવ્યો સ્વપ્રતિષ્ઠ છે, અર્થાત્ પોત-પોતાના સ્વરૂપમાં સ્થિત છે. તાત્ત્વિક દૃષ્ટિથી એક દ્રવ્યનું ધ્રૌવ્ય રૂપ બીજા દ્રવ્યના ધ્રૌવ્ય રૂપમાં નથી રહેતું. પ્રશ્ન થઈ શકે છે કે વ્યવહાર દૃષ્ટિથી અન્ય દ્રવ્ય આકાશ-દ્રવ્ય ઉપર આધારિત છે, તો આકાશદ્રવ્યનો આધાર શું છે? આનો જવાબ એ જ આપી શકાય છે કે આકાશ કોઈ અન્ય દ્રવ્યના આધાર પર સ્થિત નથી. તે સ્વયં પ્રતિષ્ઠિત છે. આકાશ-દ્રવ્યથી મોટો કે એના સદેશ અને કોઈ દ્રવ્ય છે જ નથી. આ રીતે નિશ્ચય અને વ્યવહાર બંને દૃષ્ટિઓથી આકાશ સ્વપ્રતિષ્ઠ છે. આકાશ અન્ય દ્રવ્યોનો આધાર એટલા માટે કહેવાય છે કે તે બધાં દ્રવ્યોથી મહાન છે.
આકાશના અનંત પ્રદેશ છે. આ સર્વવ્યાપક અર્થાતુ લોકાલોકવ્યાપી છે. એના સામાન્ય રૂપથી બે ભેદ છે - (૧) લોકાકાશ અને (૨) અલોકાકાશ. જે આકાશ ખંડમાં ધર્મ-અધર્મઆકાશ-પુદ્ગલ અને જીવ રૂપ પંચાસ્તિકાય વિદ્યમાન છે, તે લોકાકાશ કહેવાય છે અને જ્યાં આકાશ જ આકાશ છે અને કોઈ દ્રવ્ય નથી, તે અલોકાકાશ કહેવામાં આવે છે. અસ્તિકાર્યોનો આધાર આધેય સંબંધનો વિચાર લોકાકાશને લઈને જ કર્યો છે. ધર્મ અને અધર્મ એ બંને અસ્તિકાય એવો અખંડ સ્કધ છે, જે સંપૂર્ણ લોકાકાશમાં સ્થિત છે. વસ્તુતઃ અખંડ આકાશના લોક-અલોક ભાગોની કલ્પના પણ ધર્મ-અધર્મ દ્રવ્યોના સંબંધને કારણે જ છે. જ્યાં ધર્મ-અધર્મ દ્રવ્યોનો સંબંધ ન હોય તે અલોક અને જ્યાં એમનો સંબંધ હોય તે લોક છે.
આકાશ અનંત છે :
વિજ્ઞાન અનુસાર સ્પેસ એક શુદ્ધ દ્રવ્ય છે. એમાં ન તો વર્ણ છે, ના ગંધ છે, ના રસ છે, ના સ્પર્શ છે. જૈનદર્શને આકાશને બે ભાગોમાં વિભક્ત કર્યું છે - લોક-આકાશ અને અલોક-આકાશ. લોક-આકાશ સીમિત છે, સાત છે અને અલોક-આકાશ અસીમ તથા અનંત છે. ગણિત-વિજ્ઞાનમાં નિષ્ણાત એચ. વાડે પણ આ વિચારનો સ્વીકાર કરતાં લખ્યું છે - “સંપૂર્ણ પદાર્થ સંપૂર્ણ આકાશની પણ સીમામાં રહે છે, તેથી વિશ્વ સાત છે.” એનાથી એ સ્વીકાર નથી કરી શકાતું કે જે સીમામાં પદાર્થ રહે છે એના આગળ આકાશ નથી. પરંતુ તે સંપૂર્ણ આકાશ આ રીતે ઘુમાવદાર (કવર્ડ) છે કે પ્રકાશનું એક કિરણ આકાશની સીધી રેખામાં લાંબા સમય સુધી યાત્રા કર્યા પછી પુનઃ પોતાના બિંદુ પર આવી જશે. ગણિતજ્ઞોનું અનુમાન છે કે - “પ્રકાશના એક કિરણને આકાશના આ ચક્કરને પૂરો કરવામાં (૪૨૮
રોજ સ જિણધમો