________________
આ નમસ્કાર મહામંત્રમાં પાંચ પદ છે -
णमो अरिहंताणं सिद्धाणं
णमो
णमो आयरियाणं
णमो उवज्झायाणं णमो लोए सव्वसाहूणं ॥
આ પાંચ પદોમાં દ્વિતીય પદ સિદ્ધ ભગવાનનું છે, અવશેષ ચાર પદ સાધુના છે. પાંચમું પદ તો સવ્વસાહૂણં હોવાથી સાધુનું જ છે. અન્ય પ્રથમ, તૃતીય તથા ચતુર્થ પદ પણ સાધુરૂપ છે, કારણ કે ઉપાધ્યાય, આચાર્ય અને અરિહત્ત્વ પણ સંયમી હોય છે, ચારિત્ર સંપન્ન હોય છે. એ પણ સામાન્ય સાધુની જેમ પ્રવ્રજ્યા અંગીકાર કરે છે અને સાધના-પથ ઉપર અગ્રેસર થતાં જેમ-જેમ ગુણોનો વિકાસ કરતા જાય છે, તેમ-તેમ ઉપાધ્યાય, આચાર્ય વગેરે પદોથી સુશોભિત થાય છે, પરંતુ મૂલમાં આ ત્રણેયમાં પણ સાધુતા તો છે જ, તેથી આમને સાધુપદમાં પણ સમ્મિલિત કરવામાં આવે છે, જેમ કે -
सिद्धाणं नमो किच्चा, संजयाणं च भावओ
ઉત્તરાધ્યયન, ૨૦-૧
પ્રભુ મહાવીરની જન્મરાશિ પર ભષ્મગ્રહ તથા પંચમ મહાકાળના પ્રભાવથી એમાં ઉતાર-ચડાવ થવો સ્વાભાવિક હતો. આ પ્રસંગને લઈને ‘કલ્પસૂત્ર'માં બતાવવામાં આવ્યું છે કે નિગ્રંથ નિગ્રંથિઓનો પૂજા-સત્કાર ઉદય-ઉદય નહિ થાય.
"जप्पभि चणं से खुद्दाए भासरासी महग्गहे दो वास सहस्सठिई समणस्स भगवओ महावीरस्स जन्म नक्खतसकंते तप्पभिदं च णं समणाणं निग्गंथाणं निग्गंथीणय नो उदिए उदिए पूजा सक्कारे पवत्तइ ।” કલ્પસૂત્ર
-
અહીંયાં નમસ્કાર મંત્ર સ્થિત પાંચેય પદોને સિદ્ધ અને સંયતિ (સાધુ) આ બે પદોમાં સામેલ કરી લીધો છે. આ રીતે અરિહંત વગેરે ચાર પદ સાધુના હોય છે. કહેવાનો અર્થ એ છે કે સામાન્ય સાધુમાં જ્યારે અમુક-અમુક ગુણોનો વિકાસ થઈ જાય છે અને તે આચાર્યપદ પર આસીન થઈ જાય છે ત્યારે તે આચાર્યના રૂપમાં સંબોધિત થવા લાગે છે તથા યથાખ્યાત ચારિત્ર-સંપન્ન સંયતિ જ્યારે ઘનઘાતી કર્મોનો ક્ષય કરીને કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રાપ્ત કરી લે છે. અર્થાત્ સર્વજ્ઞ સર્વદ્રષ્ટા બની જાય છે, ત્યારે તે વિશિષ્ટ અવસ્થા પ્રાપ્ત સંયતિને અરિહંત કહેવામાં આવે છે. એનાથી એ પણ સ્પષ્ટ થઈ જાય છે કે અરિહંત, આચાર્ય અને ઉપાધ્યાય એ પદવીઓ વિશેષણ છે, જે સાધુની અમુક-અમુક અવસ્થાની પરિચાયક છે, પરંતુ મૂળમાં તો બધા સાધુ જ છે.
૪૦૬
જિણધમ્મો