________________
ઐતિહાસિક સ્થિતિ પર ચિંતન પણ અપેક્ષિત છે અને આને જ અહીં સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
જાગતિક અવધારણાઓમાં કેટલીક અવધારણાઓ એવી છે જેમને શાશ્વત સત્ય ()ના રૂપમાં માનવામાં આવે છે. ધર્મ કિંવા સાધુમાર્ગ પણ એ જ અવધારણાઓમાં એક છે. કેમ કે ચેતનાના સર્વાંગીણ વિકાસ અથવા ચરમોત્કર્ષ રૂપ પરમ સાધ્યની અવાપ્તિ(ઉપલબ્ધિ)નો સંદેશ આ ધર્મનું પ્રમુખ પ્રતિપાદ્ય છે, તેથી આનો આત્મ ધર્મથી તાદાત્મ્ય હોવું આનુષંગિક જ થઈ જાય છે. આ મૌલિક તથ્યના આધારે આપણે આ નિર્ણય પર પહોંચીએ છીએ કે સાધુમાર્ગીય ધર્મને ઐતિહાસિકતાની સાથે સંબંધ કરવો એવો જ અપ્રસ્તુત છે, જેમ કે મરઘી અને ઈંડામાં પ્રથમ હોવાનો પ્રશ્ન.
ઇતિહાસનું કાર્ય છે સભ્યતા તથા સંસ્કૃતિનાં સ્મૃતિ-ચિહ્નોને પંપાળવું અને એને કાળબદ્ધતાની સાથે અનુબંધિત કરવું. સાધુમાર્ગ કોઈ સંસ્કૃતિ તથા સભ્યતાનું નામ નથી. એનો સંબંધ જીવનના શાશ્વત સત્યોથી છે, તેથી એને આપણે ઐતિહાસિકતાના બંધનમાં નથી બાંધી શકતા. સીધા શબ્દોમાં સાધુમાર્ગ પ્રાગૈતિહાસિક ધર્મ જ નથી, તે પોતાના આદિને અનાદિની કુક્ષિમાં નિમજ્જિત જુએ છે.
ઇતિહાસ તથા પ્રાગૈતિહાસની પણ કેટલીક સીમા રેખાઓ છે. સાધુમાર્ગ એ સીમાઓના સંકુચિત સ્થાનથી પર જ નથી, બહુ જ દૂર (પરે) છે. તથાપિ આવિર્ભાવ તથા તિરોભાવ અથવા ાસ તથા વિકાસના પરિપ્રેક્ષ્યમાં જ્યારે એની ઐતિહાસિકતા પર ચિંતન ગતિશીલ હોય છે, તો આપણે નિષ્કર્ષ પર પહોંચીએ છીએ.
બતાવવામાં આવ્યું છે કે જૈનદર્શન અનુસાર કાળની અનવરત પરિક્રમાને પરિગણિત કરવા માટે કાળને ઉત્સર્પિણી-અવસર્પિણી, ષટ્ આરા(કાળ-ખંડો)ના રૂપમાં વિભક્ત કર્યો છે. તે અનુસાર પ્રથમ ત્રણ કાળખંડો(આરાઓ)ના વ્યતીત હોવાથી ભોગભૂમિક જીવનવ્યવસ્થાના ઉપરાંત કર્મભૂમિ જીવન-નિર્વાહની પ્રણાલી થવાથી તીર્થંકર ભગવાન ઋષભદેવે આ સાધુમાર્ગની પરંપરાની પ્રત્યે જનમાનસને પ્રેરિત કર્યું હતું. તેથી એમ કહી શકાય છે કે અવસર્પિણી કાળની અપેક્ષાથી ભગવાન ઋષભદેવ આના ઉદ્ગાતાઆવિર્ભાવકર્તા છે.
એના પછી ઉત્તરવર્તી કાળમાં ભગવાન અજિતનાથથી લઈને ભગવાન મહાવીર સુધીના ૨૩ તીર્થંકરોએ પોત-પોતાના શાસનમાં સાધુમાર્ગનું પ્રતિપાદન કર્યું હતું. આ તથ્યને સ્પષ્ટ કરવાનો મૌલિક આધાર છે નમસ્કાર મંત્ર.
નમસ્કાર મંત્ર સાર્વભૌમિક છે. તે સમગ્ર જૈનસમાજને એક સ્વરથી માન્ય છે. આને આગમોનું મૂળ બીજ કહેવામાં આવે છે. આ ‘દ્વાદશાંગી’નું સારભૂત તત્ત્વ છે. એમાં સંપૂર્ણ અંગ-ઉપાંગ સમાવિષ્ટ થઈ જાય છે. એનાથી પણ પ્રચલિત જૈન ધર્મ સાધુમાર્ગના રૂપમાં
જ ફલિત થાય છે.