________________
વગેરે હોય છે, એમ તો ત્યાં ઇન્દ્રોના સામાનિક દેવ હોય છે. પુરોહિતના સમાન ઇન્દ્રોના ૩૩ ત્રાયદ્ગિશક દેવ હોય છે. રાજાના અંગરક્ષકોની જેમ ઇન્દ્રોના અંગરક્ષક દેવ હોય છે. મંત્રીની જેમ ઇન્દ્રની સલાહકાર પરિષદ હોય છે, જેને આત્યંતર પરિષદ કહે છે, એના સભ્યો પરિષદ્ય કહેવાય છે. તે ઇન્દ્રોના બોલાવવાથી જ આવે છે. કામદારોની જેમ મધ્ય પરિષદના દેવ હોય છે, જે બોલાવવાથી પણ આવે છે અને વગર બોલાવે પણ આવે છે. કિંકરોના સમાન બધા કામ કરનાર બાહ્ય પરિષદના દેવ હોય છે. તે દેવ વગર બોલાવે આવે છે અને પોત-પોતાના કામમાં તત્પર રહે છે.
દ્વારપાલની જેમ ચાર લોકપાલ દેવ હોય છે. સેનાના સમાન સાત પ્રકારના અનીક દેવ હોય છે. તે પોત-પોતાના પદ અનુસાર અશ્વ, ગજ, રથ, બળદ, પગપાળા વગેરે રૂપમાં યથોચિત રીતથી ઇન્દ્રના ઉપયોગમાં આવે છે. ગંધર્વોના અનીકના દેવ મધુર ગાન-નાન કરે છે. નાટક-અનીકના દેવ બત્રીસ પ્રકારનાં મનોરમ નાટક કરે છે. આભિયોગિક દેવ ઈન્દ્રના દ્વારા બતાવેલ કાર્ય કરે છે. પ્રકીર્ણના દેવ વિમાનોમાં રહેનાર પ્રજાના સમાન હોય છે. બધા ઇન્દ્રોની આયુ ઉત્કૃષ્ટ જ હોય છે.
જેમ કે મનુષ્ય જાતિમાં, નિમ્ન સ્તરના મનુષ્ય પણ ગણવામાં આવે છે, એમ જ દેવોમાં પણ કેટલાક ધૃણાસ્પદ, અશુભ વિક્રિયાવાળા, મિથ્યાષ્ટિ, અજ્ઞાની દેવ પણ હોય છે, જે કિલ્વિષિક દેવ કહેવાય છે. એવા કિલ્વિષિક દેવ ત્રણ પ્રકારના છે - (૧) ત્રણ પલ્યવાળા, (૨) ત્રણ સાગરવાળા અને (૩) તેર સાગરોપમની આયુવાળા. ભવનવાસીઓથી લગાવીને પહેલા-બીજા દેવલોક સુધી ત્રણ પલ્યોપમની આયુવાળા કિલ્વિષિક હોય છે. ચોથા દેવલોક સુધી ત્રણ સાગરોપમની આયુવાળા કિલ્વિષિક દેવ હોય છે. છઠ્ઠા દેવલોક સુધી તેર સાગરોપમની આયુવાળા કિલ્વિષિક દેવ હોય છે. પ્રાયઃ દેવ, ગુરુ, ધર્મની નિંદા કરનાર અને તપ-સંયમની ચોરી કરનાર તથા હાસ્ય વગેરેની રુચિવાળા મરીને કિલ્વિષિક દેવ થાય છે.
દેવોના જન્મ પિપાદ-શસ્યાઓમાં હોય છે.આ શય્યાઓ પર દેવ દૂષ્ય ઢાંકેલો રહે છે. જ્યારે કોઈ જીવ ત્યાં ઉત્પન્ન થાય છે તો તે શય્યા એ જ રીતે ફૂલી જાય છે જેમ અંગારાઓ પર નાખેલી રોટલી ફૂલી જાય છે. ત્યારે પાસે રહેલા દેવ એ વિમાનમાં ઘટાનાદ કરે છે. ઘંટાનાદ સાંભળીને દેવ-દેવીઓ એ ઉપાડદશધ્યાની પાસે એકત્રિત થઈ જાય છે, અને જયજયકારની ધ્વનિથી તે વિમાન ગુંજી ઊઠે છે. અંતર્મુહૂર્તમાં પોતાની પર્યાપ્તિઓને પૂર્ણ કરીને તે દેવ પૂર્ણ યૌવનવાળા યુવકની જેમ દેવદૂષ્ય વસ્ત્રોથી અલંકૃત થઈને બેસે છે. ત્યારે સમીપસ્થ દેવ એનાથી પ્રશ્ન કરે છે, - “તમે શું દીધું, શું કર્યું, શું ધર્મ ક્રિયા કરી જેનાથી અમારા નાથ બન્યા?” તે દેવ સહજ અવધિજ્ઞાનથી પોતાના પૂર્વભવને જુએ છે, અને પોતાના સ્વજન વગેરેને સૂચના આપવા હેતુ મનુષ્ય લોકમાં આવવા ચાહે છે ત્યારે તે દેવ એનાથી પ્રાર્થના કરે છે કે “પહેલાં મુહૂર્તભર અહીંનું નાટક તો જોઈ લો.” ત્યારે ત્યાં નૃત્ય અનીક જાતિના દેવ બત્રીસ પ્રકારનું નાટક કરે છે. ગંધર્વ અનીક જાતિના દેવ - ઓગણપચાસ પ્રકારનાં વાદ્યોના સાથે મધુર સ્વરથી રાગ-રાગિણીઓ આલાપે છે. એમાં અહીંના બે હજાર વર્ષ પૂરા થઈ જાય છે. તે દેવના દિવ્ય સુખોપભોગમાં તલ્લીન થઈ જાય છે.
[ ઊદ્ધ લોક ) 00000000000000(૧૩)