________________
જૈન ધર્મની પ્રાચીનતાઃ ઐતિહાસિક દષ્ટિઃ
કાળ સંબંધી ઉપર્યુક્ત વિવેચનથી આ દિવાલોકની જેમ સ્પષ્ટ થઈ જાય છે કે સમયનો આ અનવરત ગતિશીલ પ્રવાહ અનાદિ અનંત કાળથી ચાલ્યો આવે છે. અનંત ઉત્સર્પિણીઓ તથા અવસર્પિણીઓ અતીતના ઊંડાણમાં સમાઈ ચૂકી છે, અને પ્રત્યેક અવસર્પિણીઉત્સર્પિણીમાં તીર્થકર થતા રહે છે. માટે તીર્થકરો દ્વારા પ્રતિપાદિત જૈન ધર્મ અનાદિ અનંતથી ચાલ્યો આવે છે. કાળપ્રવાહના કારણે એના પ્રચાર-વિસ્તારમાં ચૂનાધિકતા અવશ્ય થઈ છે. છતાં એની પ્રાગૈતિહાસિકતાને કોઈપણ સ્થિમિાં નકારી શકાતું નથી.
આ વસ્તુ-સ્થિતિના હોવા છતાંય કેટલાક આધુનિક ઇતિહાસકારોએ જૈન ધર્મ અથવા દર્શનની પ્રાગૈતિહાસિકતા પર પ્રશ્નવાચક ચિહ્ન લગાવવાનો એક અસફળ પ્રયાસ કર્યો છે. આટલું જ નહિ એમનું કથન છે કે જૈન ધર્મ અપેક્ષાકૃત એક નવીન ધર્મ છે અને ભગવાન મહાવીર એના સંસ્થાપક હતા. પરંતુ આ પ્રતિપાદન કેટલું ઊંચું તથા બટકણું છે, તે નીચેના પ્રતિપાદનથી સ્પષ્ટ થઈ જાય છે.
અહીં, જૈન ધર્મની ઐતિહાસિકતા તથા પ્રાચીનતાના સંબંધમાં વૈદિક ગ્રંથો - વેદો તથા પુરાણોનાં કેટલાંક ઉદ્ધરણો પર દૃષ્ટિપાત કરીને એ સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરીશું કે જૈન ધર્મ વૈદિક કાળથી પણ અતિ પૂર્વમાં પ્રસિદ્ધ રહેલો ધર્મ છે.
તથ્ય એ છે કે આ યુગના પ્રથમ તીર્થકર શ્રી ઋષભનાથ જૈન ધર્મના સંસ્થાપક હતા. જેમનો સમય આજથી કરોડો વર્ષ પૂર્વ થયો હતો. એમના પછી ત્રેવીસ તીર્થંકર બીજા થયા, જેમણે પોત-પોતાના સમયમાં જૈન ધર્મનો પ્રચાર કર્યો. આ જ તીર્થકરોમાં શ્રી મહાવીર અંતિમ અર્થાત્ ચોવીસમા તીર્થંકર હતા. એમણે કોઈ નવો ધર્મ નથી ચલાવ્યો, છતાં એ જ જૈન ધર્મનો પુનરોદ્ધાર કર્યો, જે તીર્થકર શ્રી ઋષભનાથના સમયથી ચાલ્યો આવે છે. આજે બધા ઇતિહાસકાર ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથને એક ઐતિહાસિક મહાપુરુષ માને છે, અને તે એક મતથી એ પણ સ્વીકાર કરે છે કે શ્રી મહાવીરના જન્મથી પહેલાં પણ ભારતવર્ષમાં જૈન ધર્મ પ્રચલિત હતો. આ તથ્યના પક્ષમાં સૌથી પ્રબળ બૌદ્ધ ગ્રંથ મઝિમ નિકાય મહાસીહનાદ સુત્ત-૧૨'થી મળે છે. જ્યારે મહાત્મા બુદ્ધે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ઘરનો ત્યાગ કર્યો હતો ત્યારે તે થોડા સમય માટે જૈનમુનિની અવસ્થામાં પણ રહ્યા હતા, પરંતુ જૈનમુનિની કઠિન ચર્યાનું પાલન ન કરી શકવાના કારણે એમણે થોડા સમય પછી વસ્ત્ર ધારણ કરી લીધાં હતાં. આ તથ્યનો ઉલ્લેખ એમણે સ્વયં બૌદ્ધ ગ્રંથમાં કર્યો છે.
મહાત્મા બુદ્ધ એક પ્રાચીન તથા પ્રતિષ્ઠિત ધર્મ માનીને જ આ ધર્મની દીક્ષા લીધી હશે. પરંતુ આ શિથિલ અવસ્થામાં હતી. તીર્થકર મહાવીરે એમાં નવા રૂપમાં પ્રાણ ફૂંક્યા.
જૈન ધર્મની પ્રાચીનતાનું પ્રમાણ આપણને વેદો અને પુરાણોથી પણ મળે છે. વેદ સંસારનો સૌથી પ્રાચીન ગ્રંથ માનવામાં આવે છે. આ વેદોમાં જ અનેક સ્થાનો પર જૈન તીર્થકરો યથા વૃષભનાથ, સુપાર્શ્વનાથ અને નેમિનાથ(અરિષ્ટનેમિ)નાં નામ આવ્યાં છે અને K ઉત્સર્પિણી કાળ ) 0 0 0 0 0 0 0 0 0 0 0૩૯૦)