________________
(૩) પિંગલ-નિધિ : આ નિધિથી મનુષ્યો અને પશુઓના બધા પ્રકારના આભૂષણ પ્રાપ્ત થાય છે.
(૪) સર્વરત્ન-નિધિ ઃ આ નિધિથી ચક્રવર્તીને ચૌદ રત્ન અને બધા પ્રકારનાં રત્નો તથા ઝવેરાતની પ્રાપ્તિ થાય છે.
(૫) મહાપર્મ-નિધિ ઃ આ નિધિથી વસ્ત્રોની તથા એમને રંગવાની સામગ્રી પ્રાપ્ત થાય છે.
(૬) કાળ-નિધિ : અષ્ટાંગ નિમિત્ત સંબંધી, ઇતિહાસ સંબંધી અને કુંભાર વગેરેના શિલ્પ સંબંધી શાસ્ત્રોની પ્રાપ્તિ આ નિધિથી થાય છે.
(૭) મહાકાળ-નિધિ : આ નિધિથી સુવર્ણ વગેરે ધાતુઓની, વાસણોની અને રોકડ ધનની પ્રાપ્તિ થાય છે.
(૮) માણવકા-નિધિ ઃ આ નિધિથી બધા પ્રકારનાં અસ્ત્ર-શસ્ત્રની પ્રાપ્તિ થાય છે.
(૯) શંખ-નિધિ : ધર્મ, અર્થ, કામ અને મોક્ષના સાધન બતાવવાવાળા શાસ્ત્રની, પ્રાકૃત-સંસ્કૃત વગેરે સંકીર્ણ-ગદ્ય-પદ્યમય શાસ્ત્રોની અને બધા પ્રકારનાં વાજિંત્રોની પ્રાપ્તિ થાય છે.
આ નવ મહાનિધિઓ સંદૂકના સમાન બાર યોજન લાંબા, નવ યોજન પહોળા અને આઠ યોજન ઊંચા ચક્રથી યુક્ત, ગંગા અને સમુદ્રના સંગમના સ્થાન પર રહે છે. જ્યારે ચક્રવર્તી અષ્ટમ તપ કરીને એમની આરાધના કરે છે ત્યાં સુધી એમના પગોની નીચે આવીને રહે છે. એમાંથી દ્રવ્યમય વસ્તુ તો સાક્ષાત્ નીકળે છે અને કર્મરૂપ વસ્તુઓને બતાવનારી વિધિઓનાં પુસ્તકો નીકળે છે. જેમને વાંચીને ઈષ્ટાર્થથી સિદ્ધિ કરી શકાય છે. ચક્રવર્તીની આયુ પૂર્ણ થવાથી અથવા દીક્ષા લીધા પછી આ બધાં સાધનો પોત-પોતાના સ્થાને ચાલ્યાં જાય છે.
એ ચૌદ રત્ન અને નવ નિધિઓ ૧૦૦૦-૧000 દેવોથી અધિષ્ઠિત હોય છે. તે દેવ પૂર્વોક્ત બધા કાર્ય કરે છે. અન્ય ત્રાદ્ધિ :
ચક્રવર્તીના ૨ હજાર આત્મરક્ષક દેવ હોય છે. છએ ખંડોના બત્રીસ હજાર દેશોમાં (એકવીસ લાખ કોસોમાં) એમનું રાજ્ય હોય છે. ૩૨ હજાર મુગટધારી રાજા એમના સેવક હોય છે. ૬૪ હજાર રાણીઓ હોય છે. ૮૪ લાખ હાથી, ૮૪ લાખ ઘોડા, ૮૪ લાખ રથ, ૯૬ કરોડ પગપાળા, ૩૨ હજાર નૃત્યકાર, ૧૬ હજાર રાજધાનીઓ, ૧૬ હજાર દ્વીપ, ૯૯ હજાર દ્રોણમુખ, ૯૬ કરોડ ગામ, ૪૯ હજાર બગીચા, ૧૪ હજાર મહામંત્રી, ૧૬ હજાર પ્લેચ્છ રાજા સેવક, ૧૬ હજાર રત્નાગાર, ૨૦ હજાર સોના-ચાંદીના આગાર, ૪૮ હજાર પટ્ટન, ૩ કરોડ ગોકુળ, ૩૬૦ ભોજન બનાવનારા રસોઈયા, ૨૬ લાખ અંગમર્દક, ૯૯ કોટિ દાસ-દાસીઓ, ૯૯ લાખ અંગરક્ષક, ૩ કરોડ આયુધ શાળાઓ, ૩ કરોડ વૈદ્ય, ૮ હજાર (૮૪) એ જ છે જે જેમાં જિણધમો)