________________
(૨૩) ગુરુ શિષ્યોને ભણાવતા નથી. (૨૪) શિષ્ય અવિનીત થઈ જાય છે. (૨૫) અધર્મી, કદાગ્રહી, ધૂર્ત, દગાબાજ અને કલેશકારી લોકો વધુ હોય છે. (૨૬) ધર્માત્મા, સુશીલ અને સરળ સ્વભાવી લોકો ઓછા થઈ જાય છે.
(૨૭) ઉસૂત્ર પ્રરૂપણા કરનાર, લોકોને ભ્રમમાં નાખીને ફસાવવાવાલા નામમાત્રના ધર્માત્મા વધુ હોય છે.
(૨૮) આચાર્ય અલગ-અલગ સંપ્રદાય સ્થાપિત કરીને આત્મસ્થાપી (પોતાનું જમાવવું) અને પર ઉત્થાપી (બીજાઓને ઉખાડનાર) હોય છે.
(૨૯) શ્લેચ્છ રાજા વધુ હોય છે. (૩૦) લોકોની ધર્મ ઉપર પ્રીતિ ઓછી થઈ જાય છે.
આ ઊતરતા આરામાં સોના-ચાંદી વગેરે ધનનો વિચ્છેદ થઈ જશે, લોખંડના ધાતુ રહેશે. ચામડાના મોહરાં (ચલણ) ચાલશે જેના પાસે એ રહેશે તે શ્રીમંત માનવામાં આવશે. આ આરામાં ઉપવાસ માસખમણ સમાન લાગશે. આ આરામાં લગભગ જ્ઞાનનો વિચ્છેદ થઈ જશે. માત્ર “દર્શકૈલાલિક સૂત્ર'ના ચાર અધ્યયન રહેશે. કોઈનું મંતવ્ય છે કે દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગ અને આવશ્યક - એ ચાર સૂત્ર રહેશે. આમાં ચાર જીવ એકાવનારી હશે. (૧) દુપસહ નામના આચાર્ય (૨) ફાલ્ગની નામના સાધ્વી (૩) જિનદાસ શ્રાવક અને (૪) નાગશ્રી શ્રાવિકા.
પંચમ આરાના અંતિમ દિવસે અર્થાત્ અષાઢ સુદ પૂનમના દિવસે શક્રેન્દ્રનું આસન ચલાયમાન થશે ત્યારે દેવેન્દ્ર-શકેન્દ્ર આકાશવાણી કરશેઃ “હે લોકો ! પાંચમો આરો આજ સમાપ્ત થઈ રહ્યો છે. કાલ છઠ્ઠો આરો લાગશે સાવધાન થઈ જાઓ, જે ધર્માધના કરવી હોય તે કરી લો.” આ સાંભળીને પૂર્વોક્ત ચારેય જીવ, સર્વજીવોથી ક્ષમાયાચના કરી નિઃશલ્ય થઈને સંથારો ગ્રહણ કરશે. એના અનંતર સંવર્તક-મહાસંવર્તક વાયુ ચાલશે જેનાથી પર્વત, ગઢ, કોટ, કૂવા, વાવડીઓ, મહેલ વગેરે નષ્ટ થઈ જશે. માત્ર વૈતાદ્ય પર્વત, ગંગાનદી, સિંધુ નધી, ઋષભકૂટ અને લવણ સમુદ્રની ખાડી - એ પાંચ સ્થાન બચશે. બાકી બધા નષ્ટ થઈ જશે.* પૂર્વોક્ત ચાર જીવ સમાધિમરણથી કાલધર્મને પ્રાપ્ત થઈને પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થશે. એના અનંતર ચાર ચીજોનો વિચ્છેદ થઈ જશે. પ્રથમ પહોરમાં જૈન ધર્મ, દ્વિતીય પહોરમાં અન્ય ધર્મ, તૃતીય પહોરમાં રાજનીતિ અને ચોથા પહોરમાં બાદર અગ્નિનો વિચ્છેદ થઈ જશે.
* દિગંબર સંપ્રદાયમાં ૭ વૃષ્ટિઓનો ઉલ્લેખ છે. પવન, ઠંડી, ક્ષાર જળ, ઝેર, વજગિ, માટી' અને ડૂમ. એ પ્રત્યેક સાત-સાત દિવસ ચાલશે. પ્રાયઃ જોવા મળે છે કે કોઈ પણ મહાઉપદ્રવ લગભગ ૭ દિવસ સુધી ચાલે છે.
(૩૯૦)
આ જ છે
જિણધો]