________________
ચોથો આરો સમાપ્ત થવામાં જ્યારે ત્રણ વર્ષ અને સાડા આઠ મહિના બાકી રહે છે ત્યારે ચોવીસમાં તીર્થકર મોક્ષ પધારે છે. વર્તમાન અવસર્પિણી કાળમાં ભગવાન મહાવીરના મોક્ષ પધાર્યા પછી તરત જ શ્રી ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન થયું. તે બાર વર્ષ પર્યત કેવળીપર્યાયમાં રહીને મોક્ષ-પધાર્યા. એના પછી શ્રી સુધમા સ્વામીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અને તે આઠ વર્ષ સુધી કેવળી-પર્યાયમાં રહીને મોક્ષ પધાર્યા. ત્યાર પછી શ્રી જંબૂ સ્વામીને કેવળજ્ઞાન થયું. તે ચુંબાલીસ વર્ષ સુધી કેવળ-પર્યાયમાં રહીને મોક્ષ પધાર્યા. આ પ્રકારે પ્રભુ મહાવીરના નિર્વાણ પછી ચોંસઠ વર્ષ સુધી કેવળજ્ઞાન રહ્યું. એના પછી કોઈ કેવળજ્ઞાની ન થયું. ચોથા ઓરાના જન્મેલા મનુષ્યને પાંચમા આરામાં કેવળજ્ઞાન થઈ શકે છે. પરંતુ પાંચમા આરામાં જમેલાને કેવળજ્ઞાન નથી થતું.
શ્રી જંબૂ સ્વામીના મોલમાં પધાર્યા પછી ૧૦ બોલોનો વિચ્છેદ થઈ ગયો. તે ૧૦ બોલ આ પ્રકારના છે : (૧) કેવળ જ્ઞાન (૨) મનઃપર્યાય જ્ઞાન (૩) પરમાવધિ જ્ઞાન (૪) પરિહાર વિશુદ્ધિ ચારિત્ર (૫) સૂક્ષ્મ સમ્પરાય ચારિત્ર (૬) યથાખ્યાત ચારિત્ર (૭) પુલાક લબ્ધિ (૮) આહારક શરીર (૯) ક્ષપક-ઉપશમ શ્રેણી (મતાંતરથી ક્ષાયિક સમ્યકત્વ) અને (૧૦) જિનકલ્પ. વર્તમાન અવસર્પિણી કાળના ૨૪ તીર્થકર) ૧૨ ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ, કામદેવ, રુદ્ર અને નારદોનાં નામ વગેરેનું વિવરણ સંલગ્ન કોષ્ટકોથી સમજવું જોઈએ. વર્તમાનકાલીન કામદેવો, રુદ્રો અને નારદોનાં નામ
૨૪ કામદેવોનાં નામ ઃ (૧) બાહુબલી (૨) અમૃતતેજ (૩) શ્રીઘર (૪) દશાર્ણભદ્ર (૫) પ્રસન્નચંદ્ર (૬) ચંદ્રવર્ણ (૭) અગ્નિયુક્તિ (૮) સનકુમાર (૯) શ્રીવત્સ રાજા (૧૦) કનક પ્રભ (૧૧) મેઘવર્ણ (૧૨) શાંતિનાથ (૧૩) કુન્થનાથ (૧૪) અરનાથ (૧૫) વિજયનાથ (૧૬) શ્રીચંદ્ર (૧૭) નલરાજા (૧૮) હનુમાન (૧૯) બલિરાજા (૨૦) વસુરાજ (૨૧) પ્રદ્યુમ્ન (૨૨) નાગકુમાર (૨૩) શ્રી કુમાર અને (૨૪) જમ્મુ સ્વામી.
૧૧ રૂદ્રોનાં નામ : (૧) ભીમ (૨) જયતિસત્ય (૩) રુદ્રાય (૪) વિશ્વાનલ (૫) સુપ્રતિષ્ઠ (૬) અચલ (૭) પોંડરિક (૮) અજિતધર (૯) અજિતનાભિ (૧૦) પીઠ અને (૧૧) સત્યકી.
૯ નારદોનાં નામ : (૧) ભીમ (૨) મહાભીમ (૩) રુદ્ર (૪) મહારુદ્ર (૫) કાળ (૬) મહાકાળ (૭) ચતુર્મુખ (૮) નસ્કવદન અને (૯) ઉર્ધ્વમુખ (૫) દુષમ :
ચોથા આરાની સમાપ્તિ પર એકવીસ હજાર વર્ષનો પાંચમો દુઃશમ નામનો આરો પ્રારંભ થાય છે. આ આરામાં દુઃખની વિપુલતા હોય છે. નામ માત્રનું સુખ હોય છે. ચોથા આરાની અપેક્ષા વર્ણ, ગંધ, રસ, સ્પર્શમાં અર્થાત્ શુભ પુદ્ગલોમાં અનંતગણી હીનતા આવે છે. આયુ ઘટતા-ઘટતા સો વર્ષ ઝાઝેરું અને શરીરની અવગાહના સાત હાથની તથા પાસળીઓ
(૮૮)
2000 જિણધમો)