________________
બાહ્ય પરિષદની ૨૫૦ દેવીઓ છે. દેવોનું આયુષ્ય જઘન્ય દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ એક સાગરોપમનું છે. દેવીઓનું આયુષ્ય જઘન્ય દસ હજાર વર્ષ ઉત્કૃષ્ટ ત્રણસો અગિયાર પલ્યોપમનું છે.
આ અંતરના ઉત્તર વિભાગમાં ચાલીસ લાખ ભવન છે. એમના સ્વામી બલેન્દ્ર છે. બલેન્દ્રના ૬૦ હજાર સામાયિક દેવ, ૨ લાખ ૪૦ હજાર આત્મરક્ષક દેવ છે, છ અગ્રમહિષીઓ જેમનો ૬-૬ હજારનો પરિવાર છે. ૭ અનીક (સેના) અને ૩ પરિષદ છે. આત્યંતર પરિષદના ૨૦ હજાર દેવ, મધ્ય પરિષદના ૨૪ હજાર દેવ અને બાહ્ય પરિષદના ૨૮ હજાર દેવ છે. આત્યંતર પરિષદમાં ૪૫૦ દેવીઓ, મધ્ય પરિષદમાં ૪૦૦ દેવીઓ અને બાહ્ય પરિષદમાં ૩૫૦ દેવીઓ છે. આ દેવોનું આયુષ્ય જઘન્ય દસ હજાર વર્ષથી થોડું વધુ અને ઉત્કૃષ્ટ એક સાગરોપમથી થોડું વધુ છે એમની દેવીઓનું આયુષ્ય જઘન્ય દસ હજાર વર્ષથી થોડું વધુ અને ઉત્કૃષ્ટ સાડા ચાર પલ્યોપમનું છે.
નાગકુમાર : બીજા અંતરમાં નાગકુમાર જાતિના ભવનપતિ દેવ રહે છે. દક્ષિણ વિભાગમાં એમના ચુંમાલીસ લાખ ભવન છે અને ધરણેન્દ્ર તેમના સ્વામી છે. ઉત્તર વિભાગમાં ચાલીસ લાખ ભવન છે અને ભૂતેન્દ્ર તેમના સ્વામી છે.
સુપર્ણકુમાર : ત્રીજા અંતરમાં સુપર્ણકુમાર જાતિના ભવનપતિ દેવ રહે છે. દક્ષિણ વિભાગમાં એમના આડત્રીસ લાખ ભવન છે અને એમના સ્વામી વેણુ-ઇન્દ્ર છે. ઉત્તર વિભાગમાં ચોત્રીસ લાખ ભવન છે અને તેમના સ્વામી વેણુ દાલેન્દ્ર છે.
વિધુત્યુમાર ? ચોથા અંતરમાં વિઘુકુમાર જાતિના ભવનપતિ દેવ રહે છે. દક્ષિણ વિભાગના ઇન્દ્ર હરિકાન્ત છે અને ઉત્તર વિભાગના ઇન્દ્ર હરિશેખરેન્દ્ર છે.
અગ્નિકુમાર: પાંચમા અંતરમાં અગ્નિકુમાર જાતિના ભવનપતિ દેવ રહે છે. દક્ષિણ વિભાગમાં ઇન્દ્ર અગ્નિશિખેન્દ્ર અને ઉત્તર વિભાગના ઇન્દ્ર અગ્નિમાણવેન્દ્ર છે.
દ્વીપકુમાર : છઠ્ઠા અંતરમાં દ્વીપકુમાર જાતિના ભવનપતિ દેવ રહે છે. દક્ષિણ વિભાગના ઇન્દ્ર પુરણેન્દ્ર અને ઉત્તરના વિશિષ્ટ છે.
ઉદધિકુમાર : સાતમા અંતરમાં ઉદધિકુમાર જાતિના ભવનપતિ દેવ રહે છે. દક્ષિણ વિભાગના ઇન્દ્ર જલકાત્તેન્દ્ર અને ઉત્તરના ઇન્દ્ર જળપ્રત્યેન્દ્ર છે.
વાયુકુમાર : નવમા અંતરમાં વાયુકુમાર જાતિના ભવનપતિ દેવ રહે છે. દક્ષિણ વિભાગમાં ઇન્દ્ર બેલવકેન્દ્ર અને ઉત્તરના પ્રભંજનેન્દ્ર છે. (૩૪૮)
, , જિણધમો)