________________
દસ પ્રકારના કલ્પવૃક્ષ :
કલ્પવૃક્ષના દસ પ્રકારના હોય છે. તેનાં નામ અને કામ આ પ્રકાર છે : (૧) મતંગા ઃ આ જાતિનાં કલ્પવૃક્ષોથી મધુર ફળ પ્રાપ્ત થાય છે. (૨) ભિંગા ઃ આ જાતિનાં કલ્પવૃક્ષોથી સુવર્ણ-રત્નના વાસણ મળે છે. (૩) સુડિયંગા ? આ કલ્પવૃક્ષ ઓગણપચાસ પ્રકારના મનોહર વાદ્ય પ્રદાન કરે છે. (૪) જોઇયંગા : આ કલ્પવૃક્ષ રાત્રિના સમયે સૂર્ય સમાન પ્રકાશ પ્રદાન કરે છે. (૫) દીવંગા ? આ કલ્પવૃક્ષ દીપના સમાન પ્રકાશ કરે છે. (૬) ચિગંગા : આ જાતિના કલ્પવૃક્ષ સુગંધિત ફૂલોનો ભૂષણ આપે છે. (૩) ચિત્તરસા : આ જાતિના કલ્પવૃક્ષ અઢાર પ્રકારનાં ભોજન આપે છે. (૮) મણિઅંગા : આ કલ્પવૃક્ષ સુવર્ણ-રત્નોના આભૂષણ આપે છે. (૯) ગિહગારા ઃ આ કલ્પવૃક્ષ મનવાંછિત મહેલ વગેરે આપે છે. (૧૦) અનિગિણાઃ આ કલ્પવૃક્ષ ઉત્તમ વસ્ત્ર પ્રદાન કરે છે.
અકર્મ ભૂમિજ મનુષ્યોના સંબંધમાં વિશેષ જાણકારી કાલચક્રથી આરક પ્રકરણમાં આપવામાં આવશે. મનુષ્યના અન્ય અપેક્ષિક ભેદ :
અન્ય વિવક્ષાની અપેક્ષા એ મનુષ્ય જાતિના બે ભેદ કર્યા છે - આર્ય અને સ્વેચ્છ. જેમ કે “તત્ત્વાર્થ સૂત્ર'માં કહેવાયું છે કે -
માર્યા સ્નેચ્છા ”
- તત્ત્વાર્થ, અ-૩, સૂત્ર-૧૫ | નિમિત્ત ભેદની દૃષ્ટિથી છ પ્રકારના આર્ય છે - ક્ષેત્ર-આર્ય, જાતિ-આર્ય, કુળ-આર્ય, કર્મઆર્ય શિલ્પ-આર્ય અને ભાષા-આર્ય. ક્ષેત્ર-આર્ય એ છે કે - જે પંદર કર્મભૂમિઓમાં અને એમાં પણ આર્ય-દેશોમાં ઉત્પન્ન થાય છે. પ્રત્યેક ક્ષેત્રમાં સાડા પચીસ આર્ય દેશ છે. પાંચ ભરત અને પાંચ ઐરાવતમાં બસો પંચાવન આર્ય દેશ છે. અને પાંચ વિદેહમાં એક્સો સાઠ વિજય આર્ય દેશ છે, આમાં જ તીર્થકર ઉત્પન્ન થાય છે અને ધર્મ-પ્રવર્તન કરે છે. આમને છોડીને પંદર કર્મભૂમિઓનું શેષ ક્ષેત્ર આર્યદેશ મનાતું નથી.
ભરત ક્ષેત્રના આર્યદેશોનાં નામ આ પ્રકાર છે :* (૧) મગધદેશ : આની રાજધાની રાજગૃહી છે અને આમાં એક કરોડ છાંસઠ
લાખ ગામ છે. (૨) અંગદેશ ઃ આની રાજધાની ચંપાનગરી છે. આમાં પાંચ લાખ પાંચ હજાર ગામ છે. * આ આગમિક વિવેચન તત્કાલિક ભૌગોલિક અને ક્ષેત્રીય સ્થિતિને સ્પષ્ટ કરે છે. આમાં વર્તમાનકાળનો
પ્રયોગ આગમના આધાર પર જ થયો છે. (૩૦૦) નો જ છે. જે રીતે જિણધમો)