________________
ઉંમરમાં પુસ્તક વાંચવા લાગ્યા હતા. આ પ્રતિભા આ જન્મના પ્રયત્નનું પરિણામ નથી માની શકાતું. અન્તતઃ આ જ ફેંસલા પર પહોંચવાનું થાય છે કે એ વિશેષ પ્રતિભા પૂર્વજન્મના વિશેષ સંસ્કારોનું ફળ છે. આત્માનું અસ્તિત્વ માનવાથી જ પુનર્જન્મ કે પૂર્વજન્મની સંગતિ થઈ શકે છે. તેથી એવી અસાધારણ પ્રતિભાઓ પૂર્વભવને અને આત્માને સિદ્ધ કરવા માટે પર્યાયી આધાર બને છે.
સમાચારપત્રોમાં સેંકડો ઘટનાઓ રોજ પ્રકાશિત થાય છે. જેનાથી પૂર્વજન્મનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. અનેક વ્યક્તિઓને પોતાના પૂર્વજન્મની ઘટનાઓની સ્મૃતિ થઈ જાય છે અને તે એવી વાતો બતાવે છે, જેનાથી આ ભવમાં કોઈ સંબંધ નથી હોતો, પરંતુ તે વાતો પૂર્વજન્મથી સંબંધિત હોય છે. એમના કહેવા અનુસાર એમના કથનની શોધ કરવાથી એમનાં તે કથનો સાચાં સિદ્ધ થયાં છે.
ઉપર્યુક્ત વાતો આત્માના અસ્તિત્વને પ્રબળતા સાથે પ્રમાણિત કરે છે. પ્રત્યક્ષ વગેરે પ્રમાણોથી તથા અન્ય ઉપપત્તિઓ અને યુક્તિઓથી આત્મતત્ત્વની સિદ્ધિ અબાધિત રૂપથી થઈ જાય છે. અનેક આધુનિક વિચારકોના ચિંતનમાં પણ હવે આ તથ્ય સ્પષ્ટ થઈ રહ્યું છે. આધુનિક વિચારકોના અભિમત
કેટલાંક ઉદ્ધરણ અહીં પ્રસ્તુત છે ઃ વિજ્ઞાનવેત્તા શ્રી મૈકડૂગલ કહે છે : “આપણે આ વાતને માનવા માટે બાધ્ય છીએ કે - કથિત માનસિક ચેષ્ટાઓનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. પણ એ એક જ પદાર્થ કે મૂળ તત્ત્વની અવસ્થાઓ વિશેષ છે. આપણને આ પદાર્થ અમૂર્તિક માનવો પડશે. કારણ કે આ જ પદાર્થ મનુષ્યના સંપૂર્ણ જ્ઞાનનો આધાર છે, તેથી આ પદાર્થને મનુષ્યની ‘આત્મા’ કહી શકાય છે”
ફિજિયાલૉજિકલ સાઇકોલૉજિ પ્રો. આલ્બર્ટ આઈન્સ્ટીન : “મારો વિશ્વાસ છે કે આખી પ્રકૃતિમાં ચેતના કામ કરી રહી છે.’’ - ધિ મોડર્ન રિવ્યૂ. કોલકાતા, જુલાઈ-૧૯૩૬
-
સર એ. એસ. એડિગ્ટન : “કેટલીક અજ્ઞાન શક્તિ કામ કરી રહી છે, આપણે નથી જાણતા, તે શું છે ?... હું ચેતનાને મુખ્ય માનું છું, ભૌતિક પદાર્થને ગૌણ પુરાણો નાસ્તિક વાદ ચાલ્યો ગયો છે. ધર્મ આત્મા અને મનનો વિષય છે અને તે કોઈ પ્રકારે પણ હલાવી શકાતો નથી.’ ધિ મોડર્ન રિવ્યુ. કોલકાતા, જુલાઈ-૧૯૩૬
સર જેમ્સ જોન્સ : “આજકાલ આ વાતમાં ઘણા બધા લોકો સંમત છે કે જ્ઞાનની સરિતા અયાંત્રિક વાસ્તવિક તત્ત્વની તરફ વહેતી જાય છે. હવે વિશ્વ યંત્રની અપેક્ષા વિચારના વધુ સમીપ લાગે છે. મને એવી વસ્તુ દેખાતી નથી, જે જડની દુનિયામાં અકસ્માતે ટપકી પડી હોય.’’ મિસ્ટીરિઅસ યુનિવર્સ, પૃષ્ઠ-૧૩૭
૨૮૮
જિણધમ્મો
-