________________
ભોગ (૧૪) ઉપભોગ (૧૫) વીર્યરૂપ પાંચ લબ્ધિઓ (૧૬) સમ્યકત્વ (૧૭) ચારિત્ર અને (૧૮) સંયમસંયમ. આ અઢાર પર્યાય ક્ષાયોપથમિક છે. મતિ-જ્ઞાનાવરણાદિ કર્મોના ક્ષયોપશમથી ૪ જ્ઞાન અને ૩ અજ્ઞાન, દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી ચક્ષુદર્શનાદિ ૩, અંતરાય કર્મનો ક્ષયોપશમથી દાનાદિ ૫ લબ્ધિઓ, અનંતાનુબંધી ચતુષ્ક અને દર્શન-મોહના ક્ષયોપશમથી સમ્યકત્વ, અનંતાનુબંધી વગેરે કષાયોના ક્ષયોપશમથી સર્વવિરતિ ચારિત્ર અનંતાનુબંધી આદિ આઠ કષાયોના ક્ષયોપશમથી સંયમસંયમ(દેશવિરતિ)નો આવિર્ભાવ થાય છે. આ રીતે મતિજ્ઞાનાદિ અઢાર પર્યાય ક્ષાયોપશમિક ભાવ છે. ૪. ઓદયિક ભાવ:
આત્માના જે પર્યાય કર્મના ઉદયથી પ્રગટ થાય છે, તે ઔદયિક ભાવ છે. ઉદય એક પ્રકારની વૈભાવિક સ્થિતિ છે, જે કર્મના વિપાકથી થાય છે. પરંતુ આ પ્રકારના બધા વિપાકોમાં જીવની મલિનતાને જ આ આવશ્યક નથી. ઔદાયિક અવસ્થામાં પણ યથાસ્થાન કોઈક ભવ્ય આત્માઓ દેશવિરતિ, સર્વવિરતિ આદિની વિશુદ્ધિમાં વૃદ્ધિ કરતા વીતરાગ દશામાં પહોંચી જાય છે અને કૈવલ્ય પ્રાપ્ત કરી લે છે. આ ઔદયિક ભાવ તેરમાં ગુણસ્થાનમાં પણ ઘાતિક કર્મોના ક્ષયની પશ્ચાતુ અઘાતિક કર્મોના ઉદયમાં રહે છે. આ ઉદય દશામાં આત્મિક પરિપૂર્ણ વિશુદ્ધિ સિદ્ધોના અનંત ચતુર્થના સમાન જ રહે છે. તેથી આ પ્રકારના એકાંતઃ એમ કહી ન શકાય કે ઔદયિક ભાવમાં મલિનતા હોય જ છે. ઔદયિક ભાવમાં ૨૧ ભેદ છે - ગતિ નામ કર્મના ઉદયથી નરક, તિર્યંચ મનુષ્ય અને દેવ - આ ચાર ગતિઓ, કષાય-મોહનીયના ઉદયથી ક્રોધ, માન, માયા, લોભ આ ચાર કષાય, વેદ-મોહનીયના ઉદયથી સ્ત્રી, પુરુષ અને નપુંસક આ ત્રણ ભેદ, મિથ્યાત્વના મોહના ઉદયથી મિથ્યાદર્શન, જ્ઞાનાવરણીયના ઉદયથી અજ્ઞાન, ચારિત્ર-મોહનીયના ઉદયથી અસંયતત્ત્વ, વેદનીય આયુ, નામ, ગોત્રના ઉદયનું પરિણામ - અસિદ્ધત્વ, કષાયોદય રંજિત અને યોગ-પરિણામ રૂપ કૃષ્ણનીલ કપોત, તેજ પદ્ધ અને શુક્લ આ છ વેશ્યાઓ ઉત્પન્ન થાય છે. આ પ્રકારની ગતિ આદિ એકવીસ પર્યાય ઔદયિક ભાવ છે. ૫. પારિણામિક ભાવ :
દ્રવ્યના અસ્તિત્વથી પોતાની મેળે જે પર્યાય પ્રગટ થાય છે, તે પારિણામિક ભાવ છે. અર્થાત્ કોઈપણ દ્રવ્યનું સ્વાભાવિક સ્વરૂપ પરિણમન જ પરિણામિક ભાવ છે. પારિણામિક ભાવના ત્રણ ભેદ છે - (૧) જીવત્વ, (૨) ભવ્યત્વ અને (૩) અભવ્યત્વ. આ ત્રણ ભાવ સ્વાભાવિક છે. અર્થાત્ આ ન તો કોઈ કર્મના ઉદયથી, ન ઉપશમથી, ન ક્ષયથી અને ન ક્ષયોપશમથી પણ ઉત્પન્ન થાય છે. આ અનાદિ સિદ્ધ આત્મ-દ્રવ્યના અસ્તિત્વથી જ સિદ્ધ થાય છે, તેથી આ પરિણામિક ભાવ કહેવાય છે.
અસ્તિત્વ, અન્યત્વ, કર્તવ્ય, ભોક્નત્વ, ગુણત્વ, પ્રદેશત્વ, અસંખ્યાત પ્રદેશત્વ, અસર્વગતત્વ, અરૂપત્ર આદિ અનેક પરિણામિક ભાવ છે. તદાપિ આત્માના ત્રણ પરિણામિક ભાવ જ ૩૦૪)SO TOOK જિણઘો]