________________
વૃષ્ટિના સમયે ફેંકાયેલું બાણ સંતપ્ત બાણ જળકણોને ગ્રહણ કરતા તથા તેમને સુકાવતું ચાલ્યું જાય છે. તેવી રીતે અંતરાલગતિનો સમય કાર્મહયોગથી ચંચળ જીવ પણ કર્મવર્ગણાઓને ગ્રહણ કરે છે અને એમને પોતાની સાથે મળતા સ્થાનાંતરની તરફ ગતિમાન થાય છે. જન્મ અને તેના ભેદ:
પૂર્વભવ સમાપ્ત થવાથી સંસારીજીવ નવો ભવ ધારણ કરે છે. તેના માટે એમણે જન્મ લેવો પડે છે. પરજન્મની વિધિ બધાની એકસરખી હોતી નથી. પૂર્વભવનું સ્થૂળ-શરીર છોડ્યા પછી અંતરાલગતિથી માત્ર કાર્મણ-શરીરની સાથે આવીને નવીન ભવના યોગ્ય સ્થૂળ-શરીરના માટે પહેલા યોગ્ય પુગલોને ગ્રહણ કરવો જન્મ કહેવાય છે. જન્મના ત્રણ પ્રકાર છે -
“સમૂછનોંપાતા નY''
- - તત્ત્વાર્થ સૂત્ર, અ-૨, સૂત્ર-૩૨ સમૂછન, ગર્ભ અને ઉપપાતના રૂપમાં ત્રણ પ્રકારના જન્મ થાય છે. માતા-પિતાના સંબંધ વગર જ ઉત્પત્તિસ્થાનમાં ઔદારિક પુગલોને પહેલા-પહેલા શરીર રૂપમાં પરિણત કરવું સમૂર્ઝન જન્મ છે.
ઉત્પત્તિસ્થાનમાં સ્થિત શુક્ર અને સોહીનાં પુગલોના પહેલા-પહેલા શરીર માટે ગ્રહણ કરવો ગર્ભજન્મ છે. ઉત્પત્તિસ્થાનમાં સ્થિત-વૈક્રિય પુગલોને પહેલા-પહેલા શરીર રૂપમાં પરિણત કરવાં ઉપપાત-જન્મ છે.
જરાયુજ, અંડજ અને પોતજ પ્રાણીઓનો ગર્ભ-જન્મ થાય છે. દેવ અને નારકનો ઉપપાત-જન્મ થાય છે. શેષ બધા અર્થાતુ પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, અગર્ભજ પંચેન્દ્રિય, તિર્યંચ મનુષ્યનો સમૂછન જન્મ થાય છે.
જે જરાયુથી પેદા થાય છે, તે જરાયુજ પ્રાણી છે. જેમ કે મનુષ્ય, ગાય, ભેંસ, બકરી વગેરે જાતિના જીવ. જરાયુ એક પ્રકારના પડદા જેવું આવરણ છે, જે રક્ત, માંસથી ભરેલું હોય છે અને જેમાં ગર્ભસ્થ શિશુ લપેટાયેલું રહે છે. ઈંડાથી પેદા થનાર અંડજ પ્રાણી છે. જેમ સાપ, મોર, ચકલી, કબૂતર વગેરે જાતિના જીવ જો કોઈ પ્રકારના આવરણથી વેખિત થતું નથી, તે પોતજ છે. જેમ કે હાથી, નોળિયો, ઉંદર વગેરે જાતિના જીવ. આ ન તો જરાયુથી લપટાયેલા પેદા થાય છે અને ન ઈંડાથી, પરંતુ ખુલ્લા શરીરે પેદા થાય છે.
દેવો અને નારકોના જન્મને માટે વિશેષ નિયત સ્થાન હોય છે, જેને ઉપપાત કહે છે. દેવશય્યાના ઉપરનું દિવ્યવસ્ત્રથી આચ્છન્ન ભાગ દેવોનું ઉપપાત ક્ષેત્ર છે. જેમ વરાળથી રોટલી ફૂલે છે તેવી રીતે કોઈ દેવ જન્મ લે છે ત્યારે તે શય્યા ફૂલે છે અને એમાંથી અંતમુહૂર્તના એક હૃષ્ટપુષ્ટ, નીરોગી નવયુવકની જેમ નવીન જન્મ લેનાર દેવ સહસા ઊઠી-બેસે છે. જેમ કોઈ વ્યક્તિ સૂતા પછી એકદમ જાગીને ઊઠી-બેસે છે, તેવી રીતે દેવ ઉપપાત શય્યામાં સહસા ઊઠી-બેસે છે. દેવોમાં બાળકિશોર વગેરે અવસ્થાઓ હોતી નથી.
નારક જીવ વજમય કુંભિઓમાં પેદા થાય છે. આ કુંભીઓ જ એમનું ઉત્પત્તિસ્થાન છે. (૩૨૨) 0.0000 0.00 જિણધામો)