________________
નિર્માણ કરનાર સ્કંધોથી વૈક્રિય-શરીરના કારણભૂત સ્કંધ અસંખ્યાત-ગુણ છે. યદ્યપિ ઔદારિકના આરંભિક સ્કંધ પણ અનંત પરમાણુઓના હોય છે, અને વૈક્રિય-શરીરના સ્કંધગત પરમાણુ પણ અનંત હોય છે. તદપિ ઔદારિકની અપેક્ષા વૈક્રિયના આરંભ સ્કંધ અસંખ્યાત ગુણ અધિક હોય છે. વૈક્રિયથી આહારકના આરંભ સ્કંધ અસંખ્યાત ગુણ અધિક હોય છે. તેથી ‘તત્ત્વાર્થ સૂત્ર’માં કહ્યું છે -
‘‘પ્રવેશતોસંબંધનુાં પ્રા તૈનસાત્ ।'' તત્ત્વાર્થ સૂત્ર, અ-૨, -૩૮/૩૯
અર્થાત્ પ્રદેશોની અપેક્ષાથી ઔદારિકની અપેક્ષા વૈક્રિયકના પ્રદેશ અસંખ્યાત ગુણ, વૈક્રિયકથી આહારકના પ્રદેશ અસંખ્યાત ગુણ હોય છે. આહારકથી તૈજસના પ્રદેશ અનંત ગુણ અધિક હોય છે, તથા તૈજસના કાર્યણના સ્કંધગત પરમાણુ અનંતગુણ અધિક હોય છે. આ રીતે પૂર્વ-પૂર્વ શરીરની અપેક્ષા ઉત્તર-ઉત્તર શરીરના આરંભક દ્રવ્ય અધિક-અધિક હોય છે. પરંતુ પરિણમનની વિચિત્રતાના કારણે જ ઉત્તર-ઉત્તર શરીર નિબિડ, નિબિડતર, નિબિડતમ બનતું જાય છે અને સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ કહેવાય છે.
તૈજસ-કાર્મણ શરીરની વિશેષતા :
તૈજસ અને કાર્મણ શરીર અપ્રતિઘાતી છે, આખા લોકમાં ક્યાંય પણ તેનો પ્રતિઘાત હોતો નથી. વજ્ર જેવી કઠિન વસ્તુ પણ તેને પ્રવેશ કરતા રોકી શકતી નથી. આ અત્યંત સૂક્ષ્મ છે. યદ્યપિ સાધારણતયા એ સમજાય છે કે એક મૂર્તથી બીજી મૂર્ત વસ્તુનો પ્રતિઘાત થાય છે, તથાપિ આ પ્રતિઘાતનો નિયમ સ્થૂળ વસ્તુઓ પર લાગુ પડે છે, સૂક્ષ્મ પર નહિ. સૂક્ષ્મ વસ્તુ ભલે તે મૂર્ત હોય, વિના રુકાવટ સર્વત્ર પ્રવેશ મેળવી શકે છે. જેમ લોહપિંડમાં અગ્નિ. એમ તો વૈક્રિય અને આહારક શરીર પણ સૂક્ષ્મ હોવાથી અપ્રતિઘાતી હોય છે. પરંતુ એમનું અપ્રતિઘાતિત્વ સંપૂર્ણ લોકમાં ન હોઈ માત્ર ત્રસ-નાડીમાં જ છે, જ્યારે તૈજસ અને કાર્મણનું અપ્રતિઘાતિત્વ સર્વલોકાન્ત પર્યંત છે.
ન
તૈજસ અને કાર્મણ શરીરોનો સંબંધ આત્માની સાથે પ્રવાહ રૂપથી અનાદિ છે. ઔદારિક વગેરે આરંભના ત્રણ શરીર અમુક કાળ પછી કાયમ રહેતાં નથી, તેથી તેમનો આત્માની સાથે સંબંધ કાદાચિત્ક છે, તેથી તત્ત્વાર્થ સૂત્રમાં કહેવાયું છે કે -
अप्रतिघाते अनादि सम्बन्धे च । सर्वस्य । તત્ત્વાર્થ, અ-૨, સૂત્ર-૪૧/૪૨/૪૩
અર્થાત્ તેજસ-કાર્મણ શરીર અપ્રતિઘાતી છે; અનાદિ સંબંધવાળા છે તથા સંસારવર્તી બધા જીવોને સદા હોય જ છે.
શરીર અને તેના ભેદ
૩૨૦