________________
મુનિના શરીરમાં પ્રવેશ કરે છે. આ પ્રક્રિયાથી તેમને પોતાના પ્રશ્નનો ઉત્તર મળી જાય છે. આવા વિશિષ્ટ પ્રયોજનથી બનાવેલ આ શરીર-વિશેષને આહારક-શરીર કહે છે. આ વિશિષ્ટ લબ્ધિજન્ય જ હોય છે. આ કાર્ય માત્ર અંતર્મુહૂર્તમાં થઈ જાય છે.
(૪) તેજસ-શરીરઃ
જે શરીર તેજોમય હોવાના કારણે ખાધેલા આહાર વગેરેના પરિપાકનો હેતુ અને દીપ્તિનો નિમિત્ત હોય, તે તૈજસ-શરીર છે. જે પ્રકારે કૃષક ખેતરના ક્યારામાં અલગ-અલગ પાણી પહોંચાડે છે, એવી રીતે આ શરીર ગ્રહણ કરેલ આહારને વિવિધ રસાદિમાં પરિણત કરીને અવયવ-અવયવમાં પહોંચે છે. મુક્ત આહારના પાચનમાં આ શરીર સહાયક થાય છે. આ શરીરની ઉત્પત્તિ લબ્ધિજન્ય નથી, પરંતુ ક્યારેક-ક્યારેક લબ્ધિના દ્વારા તૈજસશરીરથી તેજો નિસર્ગ કરી શકાય છે.
(૫) કામણ-શરીરઃ કર્મસમૂહ જ કાર્મણ-શરીર છે. આત્માની સાથે લાગેલ કર્મ સમુદાયને કાર્પણ-શરીર કહેવાય છે. આ અન્ય બધાં શરીરોની જડ છે. કારણ કર્મના કારણે શરીરોની રચના થાય છે.
(૬) સ્થૂળ-સૂક્ષ્મ ભાવ ઃ ઉક્ત પાંચ શરીરોમાં ઔદારિક-શરીર બધાથી અધિક સ્થળ છે, વૈક્રિયક તેનાથી સૂક્ષ્મ છે. આહારક વૈક્રિયકથી પણ સૂક્ષમ છે. આહારકથી તૈજસ અને તૈજસના કાર્પણ સૂક્ષ્મ અને સૂક્ષ્મતર છે. સ્થૂળ અને સૂક્ષ્મનો અર્થ છે રચનાની શિથિલતા અને સઘનતા. અહીં ધૂળ અને સૂક્ષ્મ શબ્દથી પરિમાણ અર્થ નથી. દારિકથી વૈક્રિય સૂમ છે. પરંતુ વૈક્રિય આહારકથી સ્થળ છે. આ રીતે અન્ય આહારક વગેરે શરીર પણ પૂર્વ-પૂર્વની અપેક્ષાએ સૂક્ષ્મ અને ઉત્તર-ઉત્તરની અપેક્ષા સ્થળ છે. આ સ્થળ સૂક્ષ્મભાવ અપેક્ષાકૃત છે. તાત્પર્ય એ છે કે જે શરીરની રચના જે બીજા શરીરની રચનાથી શિથિલ થઈ, તે તેનાથી સ્થૂળ છે, અને બીજા તેનાથી સૂક્ષ્મ છે. રચનાની શિથિલતા અને સઘનતા પૌગલિક પરિણતિ પર નિર્ભર કરે છે. પુદ્ગલોમાં અનેક પ્રકારની પરિણમન શક્તિ છે, તેથી પરિમાણમાં અલ્પ હોવા છતાં પણ જ્યારથી શિથિલ રૂપમાં પરિણત થાય છે, ત્યારે સ્થૂળ કહેવાય છે અને પરિમાણમાં બહુલતા હોવા છતાં પણ જેમ જેમ સઘન થતા જાય છે, તેમ તેમ સૂક્ષ્મ-સૂક્ષ્મતર કહેવાય છે. ઉદાહરણાર્થ - ભીંડીનું ફળ અને હાથીના દાંત લો. બંને સમાન પરિમાણના હોવા છતાં પણ ભીંડીની રચના શિથિલ હોય છે. અને દાંતની રચના ઠોસ છે. આ રીતે પરિમાણ તુલ્ય હોવાથી પણ સ્પષ્ટ છે કે ભીંડીની અપેક્ષા - દાંતનું પૌદ્ગલિક સ્કંધ અધિક છે.
ઔદારિક વગેરે શરીરોનું નિર્માણ પરમાણુ-સ્કંધોથી થાય છે. અલગ-અલગ પરમાણુઓથી શરીર બનતું નથી. અનંત પરમાણુઓથી બનેલ સ્કંધોથી શરીર બને છે. ઔદારિક-શરીરનું ૩૨) જે
છે તે જિણધમો)