________________
યોનિઓ
જન્મ લેવાના સ્થાનને યોનિ કહે છે. જે સ્થાનમાં પહેલા-પહેલા સ્થૂળ-શરીર માટે ગ્રહણ કરેલ પુદ્ગલ કાર્પણ-શરીરની સાથે ગરમ લોખંડમાં પાણીની જેમ મળી જાય છે, તેને યોનિ કહે છે. યોનિના નવ પ્રકાર છે - સચિત્ત, અચિત્ત અને સચિત્તાચિત્ત શીત, ઉષ્ણ અને શીતોષ્ણ, સંવૃત, વિવૃત્ત અને સંવૃત્ત-વિવૃત્ત.
જે જીવ પ્રદેશોથી અધિષ્ઠિત હોય તે સચિત્ત-યોનિ છે. જે જીવ પ્રદેશોથી અધિષ્ઠિત નથી. તે અચિત્ત-યોનિ છે. જે કોઈ ભાગમાં જીવ પ્રદેશોથી અધિષ્ઠિત અને કોઈ ભાગમાં જીવ પ્રદેશોથી અધિષ્ઠિત ન હોય, તે સચિત્તાચિત્ત(મિશ્ર)-યોનિ છે.
જે ઉત્પત્તિસ્થાનમાં શીત સ્પર્શ હોય, તે શીત-યોનિ છે. જે ઉત્પત્તિસ્થાનમાં ઉષ્ણ સ્પર્શ હોય, તે ઉષ્ણ-યોનિ છે.
જે ઉત્પત્તિસ્થાનમાં કેટલોક ભાગ શીત સ્પર્શવાળો અને કેટલોક ભાગ ઉષ્ણસ્પર્શવાળો હોય, તે શીતોષ્ણ (મિશ્ર)યોનિ છે.
જે ઉત્પત્તિસ્થાન ઢંકાયેલું અથવા દબાયેલું હોય, તે સંવૃત્ત-યોનિ છે. જે ઉત્પત્તિસ્થાન ઢંકાયેલું ન હોય, ખુલ્લું હોય, તે વિવૃત્ત-યોનિ છે. જેનો કેટલોક ભાગ ઢંકાયેલો અને કેટલોક ભાગ ખુલ્લો હોય, તે સંવૃત્ત-વિવૃત્ત(મિશ્ર)-યોનિ છે. કોઈ જીવની કોઈ યોનિ હોય છે, તે નિમ્ન યાદી (તાલિકા)માં આગળ બતાવ્યું છે :
યોનિ (૧) નારક અને દેવ
અચિત્ત (૨) ગર્ભજ મનુષ્ય તિર્યંચ
મિશ્ર (સચિત્તાચિત્ત) (૩) શેષ બધું - પાંચ સ્થાવર, ત્રણ વિકેન્દ્રિય ત્રિવિધ-સચિત્ત, અચિત્ત અને
અને અગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ મનુષ્ય સચિત્તાચિત્ત (મિશ્ર) (૧) ગર્ભજ મનુષ્ય અને તિર્યંચ તથા દેવ મિશ્ર (શીતોષ્ણ) (૨) તેજસ્કાયિક (અગ્નિકાયના જીવ)
ઉષ્ણ (૩) શેષ બધા અર્થાત્ ચાર સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, ત્રિવિધ-શાંત ઉષ્ણ અને શીતોષ્ણ
અગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ મનુષ્ય તથા દેવ (મિશ્ર) (૧) નારક, દેવ અને એકેન્દ્રિય
સંવૃત્ત (૨) ગર્ભજ, પંચેન્દ્રિય તિર્યંચ મનુષ્ય
મિશ્ર (સંવૃત્ત-વિવૃત્ત) (૩) શેષ બધું અર્થાત્ ત્રણ વિકેન્દ્રિય,
વિવૃત્ત અગર્ભજ પંચેન્દ્રિય મનુષ્ય અને તિર્યંચ [ જન્મ-મરણની પ્રક્રિયા DD 0 0 0 0 0 0 0 0૩૨૩)
જીવ