________________
દાર્શનિક દૃષ્ટિથી ચેતનાના ત્રણ પ્રકાર છે - (૧) જ્ઞાન-ચેતના, (૨) કર્મ-ચેતના અને (૩) કર્મફળ-ચેતના. કોઈપણ વસ્તુને જાણવા માટે ચેતનાનું જે જ્ઞાનરૂપ પરિણામ છે, તે જ્ઞાન ચેતના છે. કષાયના ઉદયથી ચેતનાનું જે ક્રોધાદિ રૂપ પરિણામ છે, તે કર્મ-ચેતના છે. શુભ-અશુભકર્મના ઉદયથી ચેતનાનું જે સુખદુઃખ રૂ૫ પરિણામ છે, તે કર્મફળ-ચેતના છે.
બીજી રીતથી પણ ઉક્ત ત્રણ ભેદોનો અર્થ કરવામાં આવે છે. જે જીવમાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને વીર્યાન્તરાય રૂ૫ ઘાતકર્મોનો ઉદયભાવ છે. આ કર્મોદયના કારણ જેની ચેતના-શક્તિ અવિકસિત છે, તેથી જે ઇષ્ટ-અનિષ્ટ કાર્ય કરવામાં અસમર્થ છે, જે પ્રધાન રૂપથી કર્મફળનું વેદન કરે છે, એ એકેન્દ્રિય આદિ જીવની ચેતના કર્મફળ-ચેતના છે. જેના જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને મોહનીય કર્મના વિશેષ ઉદયભાવ હોય છે પરંતુ વિર્યાન્તરાય કર્મના કિંચિત્ ક્ષયોપશમથી જે ઇષ્ટ-અનિષ્ટ કાર્ય કરવામાં સમર્થ છે, તે કીન્દ્રિયાદિ જીવની ચેતના મુખ્ય રૂપથી કર્મચેતના છે. જેના ઘાતકર્મોનો અશેષ ક્ષય થઈ ચૂક્યો છે. એ જીવની ચેતના પ્રધાનરૂપથી જ્ઞાન-ચેતના છે.
અન્ય એક વિચક્ષાથી પણ ચેતનાના ત્રણ ભેદ કહેવાય છે - (૧) પરમ શુદ્ધચેતના (૨) શુદ્ધચેતના અને (૩) અશુદ્ધચેતના. પરમ શુદ્ધચેતના માત્ર જ્ઞાનીઓ તથા સિદ્ધોમાં જ છે. સંસારસ્થ જીવોમાં જે સમ્યગ્દષ્ટિ અને વ્રતી સાધક છે, તેમાં શુદ્ધચેતના છે અને મિથ્યાદેષ્ટિમાં અશુદ્ધચેતના છે. આ રીતે ચેતનાના ભેદ હોવા છતાં પણ ચેતનાની સત્તા બધા જીવોમાં છે. તેથી ચેતનાની દૃષ્ટિથી જીવમાત્રને એકવિધ કહેવાય છે. - દ્વિવિધ જીવ : કોઈ અપેક્ષાથી જીવના બે ભેદ છે - (૧) સિદ્ધ અને (૨) સંસારી. ‘તત્ત્વાર્થ સૂત્રમાં કહેવાયું છે -
સંસારિનો મુવાડ્યું | - તત્ત્વાર્થ, અ-૨૦, સૂત્ર-૧૦ જીવ બે પ્રકારના છે - (૧) સંસારી અને (૨) મુક્ત. આગમ'માં કહેવાયું છે કે – "दुविहा सव्वजीवा पण्णत्ता तं जहा-सिद्धा चेव, असिद्धाचेव ।"
- સ્થાનાંગ સ્થાન-૨, ઉદ્દેશક-૪, સૂત્ર-૬૯ "संसार समावन्नगाचेव असंसार समावन्न गाचेव ।"
- સ્થાનાંગ સ્થાન-૨, ઉદ્દેશક-૧, સૂત્ર-૧૭ સર્વ જીવ બે પ્રકારના છે - (૧) સિદ્ધ અને (૨) અસિદ્ધ. સર્વ જીવ બે પ્રકારના છે - (૧) સંસાર સમાપક અને (૨) અસંસાર સમાપન્નક. શાબ્દિક અંતરના અતિરિકત ભાવ બધાનો એક જ છે.
જે જીવ કર્મબંધનોથી બંધાઈને અનેક યોનિઓમાં શરીર ધારણ કરીને જન્મ-મરણ રૂપથી સંસરણ કરી રહે છે, તે સંસારી જીવ કહેવાય છે. જે સમસ્ત કર્મ-સંસ્કારોથી છૂટીને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં અવસ્થિત છે તથા સ્વરૂપ-૨મણમાં લીન છે તે સિદ્ધ અથવા મુક્ત કહેવાય છે. (૩૦૬
/
WWWા જણધો)