________________
સર્વ જીવની અપેક્ષાથી તો જીવ તત્ત્વનું આધાર ક્ષેત્ર સંપૂર્ણ લોકાકાશ જ છે. પ્રશ્ન થઈ શકે છે કે પ્રત્યેક આત્માના અસંખ્યાત-પ્રદેશ છે, અને લોકાકાશના પણ અસંખ્યાત-પ્રદેશ છે અને આત્માઓ અનંત છે, તો તે અનંત આત્માઓ લોકાકાશના અસંખ્યાત-પ્રદેશોમાં કેવી રીતે રહી શકે છે ? આ પ્રશ્નનું સમાધાન એ છે કે આત્મ-પ્રદેશોમાં પ્રદીપ પ્રભાની જેમ સંકોચ-વિસ્તારનો ગુણ છે, તેથી અંગુલાસંધ્યેય આકાશ-પ્રદેશ ક્ષેત્રમાં સાધારણ શરીરી અનંત જીવ એક સાથે રહી શકે છે. મનુષ્ય વગેરેના એક ઔદારિક શરીરના ઉપર અને સુંદર અનેક સમૂર્ણિમ જીવોની સ્થિતિ જોવા મળે છે. આ રીતે લોકાકાશમાં અનંત જીવોનો
સમાવેશ અસંગત નથી.
આત્મા અદૃષ્ટવાન છે ઃ સંસારવર્તી આત્મા કાર્મણ-વર્ગણાના દલિકોથી અનાદિકાળથી સંબંધ છે. આ નથી બતાવી શકાતું કે આત્મા પહેલાં-પહેલ ક્યારે કર્માણુઓથી સંબંદ્ધ થયો ? જેમ કે આ નથી કહી શકાતું કે ખાણમાં રહેલું સોનું ક્યારે માટીથી સંબંદ્ધ થયું ? ખાણવર્તી સોનું અનાદિકાળથી માટીના સંસર્ગમાં રહેલું છે, એમ જ સંસારવર્તી આત્મા અનાદિકાળથી કર્મ પુદ્ગલોથી સંબંદ્ધ છે. આ સંબંદ્ધ તૂટી શકે છે. જેમ કે સોનામાંથી માટીને વિશિષ્ટ પ્રક્રિયાથી અલગ કરી શકાય છે, એમ જ આત્માને વિશિષ્ટ સાધના વગે૨ે દ્વારા કર્મ સંબંધોથી અલગ કરી શકાય છે. આત્મા દ્વારા કરેલાં શુભાશુભ કર્મ જ અદૃષ્ટ બની જાય છે અને તે અદૃષ્ટના કારણે આત્માને શુભાશુભ ફળની પ્રાપ્તિ થાય છે. હાનિલાભ, જીવન-મરણ, યશ-અપયશ વગેરે સારા-ખોટા પરિણામ અદૃષ્ટના આધીન હોય છે. જગતમાં જોવા મળતા વૈષમ્ય અને વૈચિત્ર્ય અદૃષ્ટ-કર્મના નિમિત્તથી જ છે. પ્રત્યેક સંસારવર્તી આત્મા પોતાના અર્દષ્ટથી બંધાયેલો છે, છતાં તે અટ્ઠષ્ટ પણ એના જ દ્વારા નિર્મિત કરવામાં આવેલો છે. જીવને શુભાશુભ ફળ આપનાર ઈશ્વર નથી પણ એનું સ્વયંનું નિર્મિત અદૃષ્ટ છે. તેથી સંસારવર્તી આત્માને પૌદ્ગલિક અર્દષ્ટવાન કહેવામાં આવ્યો છે.
પરસ્પર પ્રભાવ : આત્મા અને કર્માણુઓનો પરસ્પર પ્રભાવ પડે છે. આત્માની કોઈપણ ક્રિયા ભલે તે મનથી વિચારાત્મક હોય કે વચન-વ્યવહારરૂપ હોય કે શરીરની પ્રવૃત્તિરૂપ હોય, પોતાના કાર્મણ-શરીરમાં અને આસપાસના વાતાવરણમાં નિશ્ચિત અસર પાડે છે. આ વાત સૂક્ષ્મ કૅમેરાયંત્રથી પ્રમાણિત કરવામાં આવી છે. જે ખુરશી ઉપર એક વ્યક્તિ બેસે છે, એ વ્યક્તિના ઊઠ્યા પછી અમુક સમય સુધી ત્યાંના વાતાવરણમાં એ વ્યક્તિનું પ્રતિબિંબ કૅમેરામાં લેવામાં આવ્યું છે. વિભિન્ન પ્રકારના વિચારો અને ભાવનાઓની પ્રતિનિધિ રેખાઓ મસ્તિષ્કમાં પડે છે, આ પણ પ્રયોગોથી સિદ્ધ કરવામાં આવ્યું છે.
આત્મા અને ભૌતિક પદાર્થોનો સ્વભાવ પ્રતિક્ષણ પરિણમન કરવાનો છે અને વાતાવરણ અનુસાર પ્રભાવિત થવાનો તથા વાતાવરણને પ્રભાવિત કરવાનો છે. એક નાનો શબ્દ ઈશ્વરના તરંગોમાં પોતાના વેગ અનુસાર ઊંડો કે ઉપરી કંપન પેદા કરે છે. આ ઝણઝણાહટ રેડિયો-યંત્રો દ્વારા કાનોથી સાંભળી શકાય છે અને પ્રેષક રેડિયો-યંત્રોથી યથેષ્ટ શબ્દોને નિશ્ચિત સ્થાનો પર મોકલી શકાય છે. આ રીતે આત્મા જ્યારે કોઈ સારા કે ખોટા કરે છે જીવ તત્ત્વ : એક વિવેચન
૩૦૧