________________
સંસાર-પરિણત આત્મા કર્મ-પુગલોથી એટલો એકમેક થઈ ગયો છે કે એમના વિના એનું કામ ચાલી જ શકતું નથી. અહીં સુધી કે એને આ કર્મબંધનોથી છૂટવા માટે પણ આમનો જ સહારો લેવો પડે છે. મુમુક્ષુ આત્માને પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે જે સાધના કરવી પડે છે, એની માટે પણ આ શરીર વગેરે પૌગલિક પદાર્થોનું અવલંબન લેવું પડે છે. આ પ્રકારના ખૂબ દીર્ઘકાલીન સંસર્ગની અપેક્ષાથી જીવને રૂપી પણ માનવામાં આવ્યો છે. શરીર વગેરેની ક્રિયાઓ પણ જીવના સંસર્ગથી જ થઈ શકે છે, અન્યથા નહિ. નિર્જીવ શરીર વગેરેમાં સ્વયં ક્રિયા નથી થઈ શકતી. આ રીતે ચિરકાળથી પૌગલિક તત્ત્વને જીવે અને જીવ તત્ત્વને પૌદ્ગલિક તત્વે પ્રભાવિત કરી રાખ્યો છે. આ અપેક્ષાથી શરીર વગેરેની પૌગલિક ક્રિયાઓને આત્માની પર્યાય પણ માનવામાં આવી છે. જેમ કે ‘ભગવતી સૂત્રમાં કહ્યું છે -
“अहं भंते ! पाणाइवाए मुसावाए जाव मिच्छा दंसण सल्ले, पाणाइवाय वेरमणे जाव मिच्छा दंसण सल्लविवेग, उपत्तिया जाव पारिणमिया उग्गहे जाव धारणा उट्ठाणे, कम्मे बले वीरिए पुरिसक्कार परक्कमे नेरइयत्ते असुर कुमारत्ते, जाव वेमाणियत्ते, नाणावरणिज्जे जाव अंतराइए, कण्हलेस्स जाव सुक्क लेस्सा, सम्मदिट्ठी चक्खुदंसणे ४ आभिणि बोहियणाणे जाव विभंग नाणे, आहार सन्ना ४, ओरालिय सरीरे ५, मण जोगे ३, सागरोवओगे अणागारोवओगे जे यावण्णे तहप्पगारा सव्वे ते णण्णत्थ आयाए परिणमंति ? हंता गोयमा ! पाणाइवाए जाव सव्वे ते णण्णत्थ आयाए परिणमंति ।"
- ભગવતી સૂત્ર, શ.-૨૦, .-૩, સૂ-૬૬૪ “ભગવન્! પ્રાણાતિપાત, મૃષાવાદ, યાવત્ મિથ્યાદર્શન શલ્ય, પ્રાણાતિતપાત વિરમણ, થાવત્ મિથ્યાદર્શન શલ્ય વિવેક, ઔત્પત્તિકી યાવત્ પરિણામિકી બુદ્ધિ, અવગ્રહ યાવત્ ધારણા, ઉત્થાન-કર્મ-બળ-વીર્ય પુરુષકાર-પરાક્રમ, નૈરયિકત્વ યાવત્ વૈમાનિકત્વ, જ્ઞાનાવરણીય થાવત્ અંતરાય, કૃષ્ણ લેશ્યા યાવત્ શુક્લ વેશ્યા, ચક્ષુદર્શન વગેરે ૪, મતિજ્ઞાન યાવત્, વિભંગ જ્ઞાન, આહાર વગેરે સંજ્ઞા ૪, ઔદારિક વગેરે ૫, શરીર, મનોયોગ વગેરે ૩ ત્રણ યોગ, સાકારોપયોગ અનાકારોપયોગ તથા અન્ય આ પ્રકારની પર્યાય શું આત્માની પર્યાય કહી શકાય છે ?”
હા ગૌતમ ! આત્માને છોડીને અન્યત્ર એ પર્યાય નથી જોવા મળતી, તેથી આમને આત્માની પર્યાય માનવામાં આવે છે. પર્યાયો દ્રવ્યથી કથંચિત્ અભિન્ન હોય છે. આ દૃષ્ટિએ તે બધી પર્યાયો આત્માની છે, આત્મા સિવાય અન્યત્ર એવું પરિણમન નથી હોતું. આત્મામાં જ આ ઉપર્યુક્ત પરિણમન થાય છે. તેથી એ આત્મપર્યાયો છે. આ પ્રકાર આત્મા પોતાના શુદ્ધ મૌલિક રૂપમાં અને પૌગલિક સંસર્ગના કારણે કથંચિત્ રૂપી પણ છે.
સ્વદેહ પરિમાણવઃ જૈનદષ્ટિ અનુસાર આત્મા અરૂપી અને અમૂર્ત છે છતાં પ્રદેશોમાં સંકોચ અને વિસ્તાર થવાથી તે પોતાના નાના-મોટા શરીરના પરિમાણમાં થઈ જાય છે. જે ( જીવ તત્ત્વઃ એક વિવેચન
૨૯૫)