________________
એને ખોટો સમજવામાં આવે છે અને એના પર આંગળી ઉઠાવવામાં આવે છે, હવે પહેલાવાળો દૃષ્ટિકોણ નથી. એનું શ્રેય વિજ્ઞાનને છે.”
- દ્રવિલ, પૃ-૮૫,૮૮ ઉપર્યુક્ત પ્રમાણોના આધારે એમ કહી શકાય છે કે વિજ્ઞાન ધીરે-ધીરે આત્મવાદી બનતું જાય છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય છે કે આત્માના અસ્તિત્વના સંબંધમાં દર્શન કે વિજ્ઞાન એક થતા જાય છે.
આત્માનું સ્વરૂપઆત્માની સિદ્ધિ થઈ ગયા પછી હવે પ્રશ્ન થાય છે કે આત્માનું સ્વરૂપ કેવું છે? આત્માના સ્વરૂપ વિશે દર્શનકારોમાં પર્યાપ્ત મતભેદ જોવા મળે છે. કોઈ આત્માને સર્વવ્યાપક* માને છે તો કોઈ અણું રૂપ માને છે, કોઈ એને સ્વદેહ-પ્રમાણ બતાવે છે. કોઈ આત્માને અંગુષ્ઠ માત્ર માને છે. ** કોઈ આત્માને નિત્ય માને છે, તો કોઈ અનિત્ય* કોઈ આત્માને અકર્તા બતાવે છે તો કોઈ કર્તા અને ભોક્તા માને છે.**
જૈનદૃષ્ટિ અનુસાર, આત્મા ઉપયોગમય પરિણામી, નિત્ય, અમૂર્ત, કર્તા, સાક્ષાતુ-ભોક્તા, સ્વદેહ પરિમાણ, અસંખ્યાત પ્રદેશી, પ્રૌદ્ગલિક અષ્ટવાનું વગેરે વિશેષતાઓથી સંપન્ન છે.
આત્મા ઉપયોગમય છે णाणं च दंसणं चेव चरितं च तवो तहा । वीरियं उवओगो यं एयं जीवस्स लक्खणं ॥
- ઉત્તરા, અ-૨૮, ગા-૧૧ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ - જીવનાં લક્ષણો છે. જીવનું અસાધારણ લક્ષણ ઉપયોગ છે. ઉપયોગનો અર્થ છે - બોધરૂપ વ્યાપારમાં ઉપયોગ બે પ્રકારના છે - જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ. જ્ઞાનોપયોગને સાકારોપયોગ કહેવામાં આવે છે અને દર્શનોપયોગને અનાકારોપયોગ. સાકાર ઉપયોગના આઠ ભેદ છે અને નિરાકાર ઉપયોગના ચાર ભેદ છે. આ રીતે ઉપયોગના કુલ બાર ભેદ થઈ જાય છે. સાકાર ઉપયોગના આઠ ભેદ આ પ્રકાર છે : મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન, કેવળજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુત-અજ્ઞાન અને વિભંગ જ્ઞાન. અનાકાર ઉપયોગના ચાર ભેદ આ છે : ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન. (૧) નેત્રજન્મ સામાન્ય બોધને ચક્ષુદર્શન, (૨) નેત્રના સિવાય અન્ય કોઈ ઇન્દ્રિયથી કે મનથી થનારો સામાન્ય બોધ અચક્ષુદર્શન, * “સર્વ વ્યાપનમાત્માનE'
- શ્વે. '૧/૧૬ ** “સંપુર્ણ માત્રઃ પુરુષ:” - શ્વે.૩/૧૩ કઠો. ૪/૧૨ + મળવાન્ ત્રીદે યવીદ્ધો. - છાન્દો ૩/૧૪/૩
++ नवाना बुद्धयादि गुणानाम् सन्तानमत्यन्त मुच्छिद्यते सन्तान त्वात् । (૨૯૦) 0 0 0 0 0 0 0 0 0 0 જિણવમો ]